SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા ૫૪ લક્ષણના ભેદથી ભેદનો વ્યવહાર કરાય છે. * “સ્વરૂપમેન્ટેડ' સ્વરૂપના ભેદમાં તો લક્ષણના ભેદથી ભેદ છે, પરંતુ સ્વરૂપના અભેદમાં પણ પ્રમાણપ્રમેયની જેમ લક્ષણના ભેદથી ભેદ છે, એ પ્રમાણે ‘’ થી સમુચ્ચય છે. ઉત્થાન : અહીં કોઈને શંકા થાય કે, આપૃચ્છા અને પ્રતિકૃચ્છાના લક્ષણમાં સાંર્ય દોષ હોવાથી લક્ષણભેદ થઈ શકશે નહિ. તેનું નિરાકરણ કરવા માટે કહે છે - ટીકાર્ય : ન ૨ નિયો: .. નક્ષત્વિાન્ ! આ બંનેનું આપૃચ્છા અને પ્રતિપૃચ્છાતા વિષયનું સાંકર્ય હોવાથી લક્ષણપણું બંનેનું સ્વતંત્રલક્ષણપણું, અપસિદ્ધાંત માટે છે, એમ ન કહેવું; કેમ કે “નીવે મેતે ! fણયમા નીવે” એની જેમ એકપદવ્યભિચારી લક્ષણપણું છે=આ બંને સામાચારી એકપદવ્યભિચારી એવા લક્ષણવાળી છે. “નીવે મેતે સૂત્રનો અર્થ આ પ્રમાણે છે – હે ભગવંત ! જીવ નારકી છે ? અથવા નારકી જીવ નથી ? હે ગૌતમ ! જીવ કથંચિત્ નારકી છે અને કથંચિત્ નારકી નથી, પરંતુ નારકી નિયમા જીવ છે.” ભાવાર્થ :ત્તિ ન ઘ=ન પુનઃ ..... મારી ત્તાક્ષાત્વાન્ સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે - ‘પુનઃ” શબ્દથી એ કહેવું છે કે, પૂર્વમાં કહ્યું કે, જેમ પ્રતિપુચ્છામાં આપૃચ્છા પ્રધાનરૂપ નથી, તેમ વળી પ્રતિપૃચ્છા આપૃચ્છા જ નથી. અવતરણિકામાં કહેલ કે, પ્રતિપૃચ્છા આપૃચ્છા છે જુદી નથી. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે, પ્રતિપૃચ્છા આપૃચ્છા જ નથી; કેમ કે બંનેનું લક્ષણ જુદું છે. તે આ રીતે - આપૃચ્છાનું લક્ષણ નિજહિતકાર્યનું ગુરુને નિવેદન છે, અને પ્રતિપૃચ્છાનું લક્ષણ ગુરુ વડે પૂર્વનિવેદિત અર્થની પૃચ્છા કરવી તે પ્રતિપૃચ્છા છે. એ પ્રમાણે આપૃચ્છા અને પ્રતિપૃચ્છા બંનેનો લક્ષણના ભેદથી ભેદ છે. અહીં પ્રશ્ન થાય કે, આપૃચ્છાનું લક્ષણ જેમ નિજહિતકાર્યનિવેદનરૂપ છે અને તે તેનું સ્વરૂપ પણ છે, અને પ્રતિપૃચ્છાનું સ્વરૂપ પણ એવું જ છે; કેમ કે પ્રતિપૃચ્છા પણ નિજહિતકાર્યનિવેદન માટે જ કરાય છે. તેથી લક્ષણનો ભેદ હોવા છતાં બંનેનું સ્વરૂપ સમાન છે. તેથી ગ્રંથકાર કહે છે – જેમ પ્રમાણ અને પ્રમેયના સ્વરૂપનો અભેદ હોવા છતાં લક્ષણના ભેદથી ભેદ છે, તેમ આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનું નિહિતકાર્યનિવેદનરૂપ સ્વરૂપ સમાન હોવા છતાં બંનેના લક્ષણના ભેદથી બંનેનો ભેદ છે. અહીં પ્રમાણ અને પ્રમેયનું સ્વરૂપ આ રીતે સમાન છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy