________________
૩૦૧
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા: ૫૪ હોવાથી, પ્રતિપૃચ્છાનો આપૃચ્છાથી ભેદ નથી; કેમ કે વિષયભેદમાત્રથી વળી ભેદ સ્વીકારવામાં અનંત કાર્યના વિષયવાળી એવી આપૃચ્છાના પણ આતંત્યનો પ્રસંગ આવે છે. એ પ્રકારના પરના વિભ્રમને દૂર કરવા માટે કહે છે -
* ‘માપૃચ્છાનામપિ અહીં ‘’ થી એ કહેવું છે કે, પ્રતિપૃચ્છાના આનત્યનો તો પ્રસંગ છે, પણ આપૃચ્છાના પણ આમંત્યનો પ્રસંગ છે.
ભાવાર્થ
આપૃચ્છા સામાચારીનું લક્ષણ છે “નિજહિતકાર્યનું ગુરુને નિવેદન કરવું અને પ્રતિપૃચ્છા સામાચારીનું પણ લક્ષણ, “નિજહિતકાર્યના નિવેદનરૂપ” છે; કેમ કે આપૃચ્છા કર્યા પછી વિલંબિત કાર્ય કરવામાં આવે ત્યારે પણ, “આ કાર્ય મારી નિર્જરાનું કારણ છે કે નહિ?” તે જાણવા અર્થે ફરી પૂછવાનું પ્રયોજન છે. તેથી પોતાનું નિર્જરારૂપ હિતનું કાર્ય છે કે નહિ તે જાણવું, તે આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનું લક્ષણ છે. માટે દશવિધ સામાચારીમાં આપૃચ્છા અને પ્રતિપૃચ્છા એ બે સ્વતંત્ર સામાચારી કહી શકાય નહિ, પરંતુ તેમ કહી શકાય કે
જ્યારે નિજહિતકાર્ય જાણવાનો પ્રસંગ હોય ત્યારે આપૃચ્છા કરવામાં આવે છે, અને વિલંબનથી તે કાર્ય કરવાનું બને તેવા સંયોગમાં, “આ કાર્ય હવે પોતાના હિતનું કારણ બનશે કે નહિ તે જાણવા અર્થે પ્રતિપૃચ્છા કરવામાં આવે છે. તેથી આપૃચ્છા સામાચારી અને પ્રતિકૃચ્છા સામાચારીમાં વિષયભેદ માત્ર છે, પરંતુ ઈચ્છાકારાદિ સામાચારીના ભેદની જેમ આપૃચ્છા અને પ્રતિપૃચ્છા વચ્ચે મૂળ સામાચારીમાં ભેદરૂપે પરસ્પર ભેદ નથી; આમ છતાં તત્કાળ કરવાના કાર્યવિષયક આપૃચ્છા અને ચિરવિલંબથી કાર્ય કરવામાં પ્રતિપૃચ્છા તે રૂપ વિષયભેદમાત્રથી આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનો મૂળ સામાચારીમાં ભેદરૂપે ભેદ સ્વીકારશો, તો આપૃચ્છા સામાચારીના પણ અનેક ભેદો છે. જેમ પડિલેહણ વિષયક આપૃચ્છા, વૈયાવચ્ચ વિષયક આપૃચ્છા, તપ વિષયક આપૃચ્છા ઈત્યાદિ; અને આ રીતે વિષયના ભેદથી તો આપૃચ્છા સામાચારીના પણ અનંત ભેદો માનવા પડે. આમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે, પ્રતિપૃચ્છા સામાચારી દશવિધ સામાચારીનો ભેદ નથી, પરંતુ આપૃચ્છા સામાચારીના જે અનંત ભેદો છે, તઅંતર્ગત એક ભેદ છે, તેમ સ્વીકારીને નવવિધ સામાચારી સ્વીકારવી જોઈએ. એ પ્રકારના પરના વિભ્રમને દૂર કરવા માટે ગ્રંથકાર કહે છે –
અહીં અનંતભેદ શબ્દથી અનંત સંખ્યા ગ્રહણ કરવાની નથી, પરંતુ ઘણા ભેદો પ્રાપ્ત થાય તેમ ગ્રહણ કરવાનું છે.
ગાથા :
ण य एसा पुच्छ च्चिय उवाहिभेया य कज्जभेयवसा । अण्णह कहं ण पविसे इच्छाकारस्स कुच्छिंसि ।।५४ ।।
છાયા :
न चैषाऽऽपृच्छैव उपाधिभेदाच्च कार्यभेदवशात् । अन्यथा कथं न प्रविशेदिच्छाकारस्य कुक्षौ ।।५४ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org