SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 300 રીતે કરવામાં આવે તો તેના ફળની પ્રાપ્તિ થાય. અહીં વિશેષ એટલું છે કે, કોઈપણ ક્રિયા કરતી વખતે શક્તિ ગોપવ્યા વિના યત્નનો અતિશય વર્તતો હોય, છતાં કોઈક તેવા પ્રકારની શારીરિક શક્તિ કે સ્મૃતિના અભાવને કારણે ત્રુટિ રહેતી હોય એટલામાત્રથી, તે ક્રિયાના ફળનો અભાવ થતો નથી. પરંતુ જે પોતાની શારીરિક કે માનસિક શક્તિ છે, તેને ગોપવ્યા વિના “આ મારા માટે ઉચિત કર્તવ્ય છે” તેમ પ્રણિધાન કરીને, ઉચિત વિધિથી કરવાના અધ્યવસાયપૂર્વક શક્ય યત્ન કરતો હોય, તો તે અનુષ્ઠાન અવશ્ય નિર્જરાનું કારણ બને; પરંતુ તે અનુષ્ઠાનમાં વિદ્યમાન શક્તિ પૂર્ણ ન ફોરવતો હોય તો બાહ્ય રીતે ક્રિયાઓ સારી થાય તો પણ અપેક્ષિત નિર્જરારૂપ ફળ મળે નહિ. તેમ પ્રસ્તુતમાં આપૃચ્છા કર્યા પછી પ્રતિપૃચ્છાના અવસરે પ્રતિપૃચ્છા કરીને ગુરુની અનુજ્ઞા અનુસાર પ્રસ્તુત ક્રિયામાં સાધુ વિધિવિષયક પૂર્ણ શક્તિથી યત્ન કરવા માટે ઉદ્યમશીલ હોય, અને કોઈક શારીરિક અંગવિકલતાથી અથવા તથાવિધ ધારણાશક્તિની વિકલતાને કારણે ક્રિયામાં કોઈ વિકલતા આવતી હોય, પરંતુ અંતરંગ રીતે ગુરુવચનના સ્મરણ નીચે સુદૃઢ યત્ન વર્તતો હોય, તો તે પ્રતિપૃચ્છા સામાચારી અવશ્ય નિર્જરાનું કારણ બને. અન્યથા યથાતથા તે ક્રિયા કરે તો સામાચારીના વિતથ સેવનરૂપ કર્મબંધ પણ થાય. પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા : ૫૩ વળી, જ્યારે ચિરવિલંબનથી કોઈ કાર્ય કરવામાં આવે છે, ત્યારે આપૃચ્છાપૂર્વક પ્રતિકૃચ્છા સામાચારીનું પાલન હોય છે, તેથી આપૃચ્છા તે પ્રતિપૃચ્છાના વિશેષણરૂપ બને છે; અને વિશેષણ હંમેશાં ગૌણ હોય છે અને વિશેષ્ય પ્રધાન હોય છે, તેથી આપૃચ્છાની ક્રિયા ગૌણ બને છે અને આપૃચ્છાપૂર્વક પ્રતિકૃચ્છા કરીને તે ઉચિત કાર્ય કરવાની ક્રિયા પ્રધાનરૂપ બને છે. માટે આપૃચ્છા કરીને પ્રતિપૃચ્છા કર્યા વિના તે કાર્ય કરવામાં આવે તો પ્રતિકૃચ્છાનું પણ ફળ ન મળે અને આપૃચ્છાનું પણ ફળ ન મળે; કેમ કે પ્રતિપૃચ્છાનું પાલન નથી અને આપૃચ્છાનું સ્થાન નથી; કારણ કે, તે સ્થાનમાં નિર્જરા પ્રતિ પ્રધાન કારણ આપૃચ્છા નથી પણ પ્રતિકૃચ્છા છે, અને આપૃચ્છા તેના અંગભૂત ગૌણકારણ છે. ક્યારે આપૃચ્છા સામાચારી નિર્જરાનું કારણ બને અને કયારે પ્રતિપૃચ્છા સામાચારી નિર્જરાનું કારણ બને તે બતાવે છે - આપૃચ્છા કર્યા પછી તરત તે કાર્ય કરવામાં આવે તો આપૃચ્છા સામાચારી નિર્જરારૂપ ફળ પ્રત્યે હેતુ બને, જ્યારે આપૃચ્છા કર્યા પછી કોઈક કા૨ણે તરત કાર્ય ન કરવામાં આવે અને વિલંબનથી કાર્ય કરવામાં આવે ત્યારે પ્રતિપૃચ્છા નિર્જરારૂપ ફળ પ્રત્યે હેતુ બને, પરંતુ આપૃચ્છા સામાચારી ફળ પ્રત્યે હેતુ બને નહીં. I૫૩॥ અવતરણિકા : अथ निजहितकार्यनिवेदनात्मकापृच्छालक्षणाक्रान्तत्वात् प्रतिपृच्छाया आपृच्छातो न भेदः, विषयभेदमात्रेण भेदस्वीकारे त्वापृच्छानामप्यनन्तकार्यविषयिणीनामानन्त्यप्रसङ्गादिति परस्य विभ्रममपासितुमाह અવતરણિકાર્ય : ‘થ’ થી શંકા કરે છે – નિજહિતકાર્યનિવેદનસ્વરૂપ આપૃચ્છાના લક્ષણથી આક્રાંત હોવાથી=વ્યાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy