SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા પર ૨૫ અને જો ગુરુ અનુજ્ઞા આપે તો તે ઉચિત કાર્ય બને નહિ. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને ગ્રંથકાર કહે છે કે, એક જ કાર્યમાં ઉત્સર્ગ-અપવાદ દ્વારા વિધિ-નિષેધનો સંભવ છે અર્થાત્ તે તે દ્રવ્ય-ક્ષેત્રમાં તે કાર્ય ઉત્સર્ગથી નિષિદ્ધ હતું, તેથી ગુરુએ તેનો નિષેધ કર્યો હતો, પરંતુ હવેના સંયોગોમાં અપવાદથી તે જ કાર્ય કર્તવ્ય બને છે તેવું લાગતાં ગુરુ અનુજ્ઞા આપી શકે છે, માટે કોઈ વિરોધ નથી. અહીં વિશેષ એ છે કે, ઉચિત પ્રવૃત્તિથી નિર્જરા થાય છે અને શિષ્ય “આ પ્રવૃત્તિ મારી નિર્જરાનું કારણ થશે તેવી સંભાવના લાગવાથી ગુરુને પૃચ્છા કરે છે, પરંતુ ગુરુને જણાય કે તે કાર્યથી શિષ્યને નિર્જરા નહિ થાય; કેમ કે તે ભૂમિકામાં તે કાર્ય કરવું ઉચિત નથી, ત્યારે ગુરુ તે શિષ્યને તે કાર્ય અંગે નિષેધ કરે છે. જેમ કોઈની વૈયાવચ્ચ કરવા અંગે શિષ્ય પૃચ્છા કરી અને ગુરુને જણાયું કે આ સાધુની વૈયાવચ્ચ કરવાથી તેનો પ્રમાદ પુષ્ટ થશે, તેથી પ્રમાદની પુષ્ટિમાં સહાયક બને તેવી ક્રિયા ઉચિત ક્રિયા કહેવાય નહિ, માટે ગુરુએ તેનો નિષેધ કરેલ. આમ છતાં તે જ સાધુ પાછળથી ગ્લાન થયેલ હોય, અને જો હવે તેની વૈયાવચ્ચ ન કરવામાં આવે તો તેને આર્તધ્યાનાદિ થાય તેમ હોય, તે સંયોગોમાં ફરી તે શિષ્ય ગુરુને પૂછે અને ત્યારે ગુરુને પણ થાય કે હવે આ વૈયાવચ્ચનું કાર્ય તે સાધુના આર્તધ્યાનનું નિવારણ કરવા દ્વારા તેના સંયમના સ્થિરીકરણનું કારણ છે, માટે શિષ્યને નિર્જરાનું કારણ બનશે, માટે પૂર્વનિષિદ્ધ એવી તે વૈયાવચ્ચની ક્રિયા માટે પાછળથી સંયોગ પ્રમાણે ગુરુ અનુજ્ઞા પણ આપે. આનાથી એ પ્રાપ્ત થાય કે, ઉત્સર્ગથી દોષપોષકતાને કારણે નિષિદ્ધ એવી પણ વૈયાવચ્ચ, તેવા સંયોગોમાં અપવાદથી ગુણવૃદ્ધિનું કારણ પણ બને છે, માટે પૂર્વનિષિદ્ધ કાર્યમાં પણ પાછળથી અપવાદ દ્વારા પ્રવૃત્તિનો સંભવ છે, તેથી પ્રતિપૃચ્છા ઉચિત છે. ટીકા: तदिदमाह - 'पुव्वणिसिद्धे अण्णे पडिपुच्छा किर उवट्ठिए कज्जे । एवं पि णत्थि दोसो उस्सग्गाईहिं धम्मठिई ।। (પવા. ૧૨/૩૩) તિ | નિરિતાડયુ- “પુલ્વેળિસિદ્ધમિ (? ) દો પુછા' (ાવ. નિ. ૬૧૭) રૂત્તિ તારા ટીકાર્ય : તે આને કહે છે તે પૂર્વમાં જે કહ્યું તે, આને ઉપરના કથનથી પોતાની બુદ્ધિમાં ઉપસ્થિતને, કહે છે=ગ્રંથકાર કહે છે – પંચાશક-૧૨, શ્લોક-૩૩નો અર્થ આ પ્રમાણે છે – १. पूर्वनिषिद्धेऽन्ये प्रतिपृच्छा किलोपस्थिते कार्ये । एवमपि नास्ति दोष उत्सर्गादिभिः धर्मस्थितिः । २. आपुच्छणा उ कज्जे पुव्वनिसिद्धेण होइ पडिपुच्छा । पुव्वगहिएण छंदण णिमंतणा होअगहिए णं ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy