SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા પર શિષ્યને નિર્જરા થાય તેમ ન હોય તે કાર્યનો નિષેધ કરે; કેમ કે નિર્જરા હંમેશાં ઉચિત કાળે, ઉચિત રીતે સ્વપરની ગુણવૃદ્ધિને અનુકૂળ એવી પ્રવૃત્તિથી થાય છે. તેથી ગુણવાન ગુરુના વચનથી શિષ્યને નિર્ણય થાય છે કે ગુરુએ આ કાર્ય મને કરવાનું કહ્યું છે, તેથી આ કાર્ય જે રીતે કરવાનું છે, તે રીતે હું કરીશ તો અવશ્ય મને નિર્જરારૂપ ફળ મળશે. હવે નિર્જરાના આશયથી શિષ્ય કોઈ કાર્યની પૃચ્છા કરી હોય અને ગુરુએ તે કાર્યનો નિષેધ કર્યો હોય ત્યારે તેને જ્ઞાન થાય છે કે આ કાર્ય મારા માટે ઈષ્ટનું સાધન નથી, માટે મને ગુરુએ નિષેધ કર્યો છે, તેથી ત્યારે તે કાર્ય કરતો નથી. આમ છતાં ફરી તેવા સંયોગો ઉપસ્થિત થાય અને શિષ્યને જણાય કે હવેના સંયોગોમાં આ કાર્ય કદાચ મારા ઈષ્ટનું સાધન હોઈ શકે, તેથી ગુરુને પ્રતિપૃચ્છા કરે, અને ત્યારે ગુરુના વિધિવચનથી ત્યાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન થતાં તે કાર્ય કરવાની ઈચ્છા થાય છે અને તેનાથી સમ્યગુ પ્રવૃત્તિ આદિ થાય છે, અને સમ્યગ્ પ્રવૃત્તિ દ્વારા ફલનિષ્પત્તિમાં પ્રતિબંધક કર્મોનું વિગમન થાય છે. ટીકાઃ अथानुचितत्वज्ञानेन तदेव कार्य निषेद्धा गुरुः कथं पुनस्तदेवानुजानीयाद् ? विरोधादिति चेत् ? न, एकत्रैव कार्ये उत्सर्गापवादाभ्यां विधिनिषेधसंभवात् । ટીકાર્ચ - હાથ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે અનુચિતપણાના જ્ઞાનથી તે જ કાર્યને નિષેધ કરનાર ગુરુ ફરી તે જ કાર્યની=પૂર્વમાં નિષિદ્ધ કરેલ કાર્યની, કેવી રીતે અનુજ્ઞા આપે ? કેમ કે વિરોધ છે, એમ જો તું કહેતો હો તો તારી વાત બરાબર નથી; કેમ કે એક જ કાર્યમાં ઉત્સર્ગથી નિષેધ અને અપવાદથી વિધિનો સંભવ છે=પૂર્વે વૈયાવચ્ચારિરૂપ કાર્યને અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર વગેરે ન હતાં, માટે ઉત્સર્ગથી નિષેધ હતો, હવે તે દ્રવ્ય-ક્ષેત્ર ફર્યા તેથી અપવાદથી તે કાર્ય વિધિરૂપ બનવાનો સંભવ છે. * નિવે' એ, “ઋ'કારાંત ‘નિષેધુ' શબ્દ છે તેથી પિતૃ’ શબ્દનું જેમ પિતા પ્રથમ એકવચન છે. તેમ ‘નિવેદ્ધા' પ્રથમા એકવચન છે. ભાવાર્થ : ‘ક’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, ગુરુને જ્યારે પૂર્વમાં પૃચ્છા કરી હતી ત્યારે અનુચિતપણાના જ્ઞાનને કારણે ગુરુએ ત્યારે તે કાર્યનો નિષેધ કર્યો હતો, અને હવે તે જ કાર્યનો નિષેધ કરનાર ગુરુ કેવી રીતે વળી તે જ કાર્યની અનુજ્ઞા આપે ? અને જો અનુજ્ઞા આપે તો વિરોધ થાય. આશય એ છે કે, મનસ્વી રીતે ગુરુએ વિધિ કે નિષેધ કરવાના નથી, પરંતુ જ્યાં શિષ્યના ઈષ્ટનું સાધન હોય ત્યાં વિધિ કરવાની છે વિધાન કરવાનું છે, એટલે કે “તું આ કાર્ય કર” - તેમ કહેવાનું છે; અને જ્યાં અનિષ્ટનું સાધન બનતું હોય ત્યાં ગુરુને નિષેધ કરવાનો આવે કે “તારે આ કાર્ય કરવાનું નથી.” તેથી પૂર્વમાં જ્યારે શિષ્યના માટે આ કાર્ય અનુચિત છે તેવું જ્ઞાન થવાના કારણે નિષેધ કર્યો હતો, તે કાર્યની ફરી શિષ્ય ગુરુને પૃચ્છા કરે ત્યારે તે અનુચિત કાર્યની અનુજ્ઞા ગુરુ કેવી રીતે આપી શકે ? અર્થાત્ આપી શકે નહિ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy