SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પર ૨૯૩ * “ત્તિ =તિ શબ્દ ‘તદ્' અર્થમાં છે, જે સામાચારીનો પરામર્શક છે. * પંચાશકમાં સંડાસુદ્ધિા' ના સ્થાને ‘સ૩ળા પાઠ છે, પરંતુ અર્થ એક જ છે કે – શકુનશુદ્ધિ થયે છતે પ્રવૃત્તિ કરવી. ટીકા : अन्ये आचार्याः पूर्वनिषिद्धे-पूर्वं गुरुणा निवारिते, कार्य इति शेषः, उपस्थितेऽव्यवहितसामग्रीके सति प्रतिपृच्छां ब्रुवते । पूर्वनिषेधवाक्येन जनितमनिष्टसाधनताज्ञानमपोद्योत्तरविधिवाक्यजन्येष्टसाधनताज्ञानद्वारा तयैव तत्रेच्छाप्रवृत्त्यादिक्रमेण प्रतिप्रच्छकस्य कार्यजननसंभवादिति । ટીકાર્ય : ગાથાના ઉત્તરાર્ધને જણાવતાં કહે છે – અન્ય આચાર્યો, પૂર્વનિષિદ્ધ-પૂર્વમાં ગુરુ વડે તિવારિત કાર્ય, ઉપસ્થિત હોતે છતે અવ્યવહિત સામગ્રીવાળું તે કાર્ય હોતે છતે અર્થાત્ તે કાર્ય કરવાને અનુરૂપ દ્રવ્ય-ક્ષેત્ર ઉપસ્થિત થયે છતે, પ્રતિપૃચ્છા કહે છે= પ્રતિપૃચ્છા કરવાનું કહે છેકેમ કે પૂર્વે નિષિદ્ધ કરાયેલ વાક્ય વડે ઉત્પન્ન થયેલા અનિષ્ટસાધનતાના જ્ઞાનને દૂર કરીને ઉત્તર વિધિવાક્યથી જરા ઈષ્ટસાધનતાના જ્ઞાન દ્વારા તેનાથી પ્રતિપૃચ્છાથી જ ત્યાં પોતાને અભિષ્ટ કાર્યમાં, ઈચ્છા-પ્રવૃત્તિ આદિના ક્રમથી પ્રતિપ્રચ્છકને પ્રતિપૃચ્છા કરનાર શિષ્યને, કાર્યજનતનો=કાર્યકરણનો, સંભવ છે. મૂળ ગાથામાં પૂર્વનિષિદ્ધ પછી “વાર્યે એ શબ્દ અધ્યાહાર છે. ‘રૂછપ્રવૃદ્ધિ અહીં ‘સવિ” થી પ્રવૃત્તિના પ્રતિબંધક વિધ્વનાશનું ગ્રહણ કરવું. * ‘સન્મવતિ' ‘સન્મવાત' પછી ‘તિ’ અન્ય આચાર્યના કથનની સમાપ્તિમાં છે. ભાવાર્થ : વળી બીજા આચાર્યો કહે છે : ગુરુએ પૂર્વમાં કોઈ કાર્ય કરવાનો નિષેધ કર્યો હોય, પરંતુ તેવા સંયોગો ઉપસ્થિત થવાથી તે કાર્ય હવે કરવા જેવું જણાતું હોય, તો તે કાર્ય કરવા વિષયક ગુરુને પ્રતિપૃચ્છા કરવી જોઈએ; કેમ કે પૂર્વમાં ગુરુના નિષેધવાક્યથી શિષ્યને તે કાર્યમાં અનિષ્ટસાધનતાનું જ્ઞાન થયું તેથી તે કાર્યમાં પ્રવૃત્તિ ન હતી, પરંતુ અત્યારના સંયોગમાં શિષ્ય ગુરુને પૂછવા જાય અને ગુરુ તે કાર્ય કરવાનું કહે, ત્યારે ગુરુના વિધિવાક્ય દ્વારા પૂર્વના નિષેધવાક્યથી થયેલ અનિષ્ટસાધનતાનું જ્ઞાન દૂર થાય છે અને તે કાર્યમાં શિષ્યને ઈષ્ટસાધનતાનું જ્ઞાન થાય છે, આથી તે કાર્ય કરવાની શિષ્યને ઈચ્છા થાય છે. તેથી વિધિપૂર્વક તે કાર્યમાં યત્ન કરે છે ત્યારે, તે કાર્યમાં વિઘ્ન કરનારા કર્મો શિષ્યના સમ્યગુ યત્નથી દૂર થાય છે. આ ક્રમથી પ્રતિપૃચ્છાને કારણે કાર્યનિષ્પત્તિનો સંભવ છે, માટે પ્રતિપૃચ્છા કરવી જોઈએ, એ પ્રકારનો પૂર્વાચાર્યનો આશય છે. અહીં વિશેષ એ છે કે, ગીતાર્થ ગુરુને શિષ્ય જ્યારે કોઈ કાર્ય અંગેની પ્રતિકૃચ્છા કરે ત્યારે ગીતાર્થ ગુરુ શિષ્યને જે કાર્ય કરતાં નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થતી હોય તેવા કાર્યનું વિધાન કરે, અને જે કાર્ય કરતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy