SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પર ૨૯૧ બરાબર નથી; કેમ કે દુર્નિમિત્ત તે નિષિદ્ધ કર્મ નથી, જેથી તે પાપનો હેતુ બની શકે. આશય એ છે કે, નિષિદ્ધ કર્મનું સેવન કરવાથી પાપ બંધાય છે અને પાપ વિપ્ન પેદા કરે છે. તેથી વિપ્નપ્રાપ્તિ પ્રત્યે સાક્ષાત્ કારણ પાપનો ઉદય છે અને તે પાપની પ્રાપ્તિનું કારણ નિષિદ્ધ કર્મ છે; કેમ કે નિષિદ્ધ કર્મોનું સેવન જીવમાં મલિન પરિણામને ઉત્પન્ન કરે છે અને તેનાથી પાપ બંધાય છે અને તે વિઘ્ન કરે છે; જ્યારે દુર્નિમિત્ત કંઈ નિષિદ્ધ કર્મરૂપ નથી કે જેથી તે પાપને પેદા કરાવે. માટે દુર્નિમિત્તને વિપ્નનાં કારક માની શકાય નહિ. પરંતુ વિપ્નનું કારક તો જીવે સેવન કરેલું પાપ છે, અને તે પાપ ભૂતકાળનું પણ હોઈ શકે કે વર્તમાનનું પણ હોઈ શકે; કેમ કે ઘણા જીવો વર્તમાનમાં તેવા પ્રકારના પાપનું સેવન કરે છે, કે જેના ફળરૂપે તેમનો વિનાશ થાય તેવા અનર્થની પ્રાપ્તિ થાય, જ્યારે ઘણા જીવો આ ભવમાં કોઈ પાપ ન સેવતા હોય તો પણ ભૂતકાળમાં સેવાયેલાં પાપ તેમનો વિનાશ કરે તેવાં વિઘ્નો પેદા કરે છે. આમ છતાં કોઈક પુણ્ય તપતું હોય તો દુર્નિમિત્તોની પ્રાપ્તિ થાય છે, જેથી તે પોતાના વિનાશને જાણી લે છે અને તે વિનાશથી બચવાના ઉચિત ઉપાયો કરીને તે અનર્થથી બચી પણ શકે છે. અહીં વિશેષ એ છે કે, કોઈપણ અનર્થની પ્રાપ્તિ માત્ર કર્મના ઉદયથી થતી નથી, પરંતુ સર્વ કાર્યો પ્રત્યે દેવ અને પુરુષકારનો સ્યાદ્વાદ છે. તેથી જ્યારે કોઈ પણ કર્મ અનર્થ કરાવવા માટે ઉપસ્થિત થાય ત્યારે તેને અનુકૂળ પુરુષકારની સહાયતા મળે તો તે કર્મ અનર્થ કરી શકે છે. જેમ લક્ષ્મણા સાધ્વીજી પ્રાયશ્ચિત્ત લેવા જાય છે, ત્યારે કાંટો વાગવારૂપ દુર્નિમિત્તની પ્રાપ્તિ થઈ. તેથી જો તેમણે દુર્નિમિત્તને ખ્યાલમાં રાખીને તે સમયે પ્રવૃત્તિ ન કરી હોત તો તે અનર્થથી બચી પણ શકત, પણ તેમ ન કરતાં કર્મને અનુકૂળ પુરુષકાર કરી અસંખ્ય ભવના ભ્રમણરૂપ અનર્થની પ્રાપ્તિ કરી. હવે જો કર્મ તો ઉદયમાં આવેલું છે, પણ તેને અનુકૂળ પુરુષકારની સહાયતા ન મળે તો બળવાન કર્મો પણ નિષ્ફળ બને છે. દુર્નિમિત્તાના જ્ઞાનથી જીવ સાવચેત થઈ જાય તો, બળવાન વિષ્નઆપાદક કર્મ હોવા છતાં પણ તેવા પ્રકારની પ્રવૃત્તિથી તેના નિવર્તન દ્વારા સુબુદ્ધિ મંત્રીની જેમ પોતાનું રક્ષણ કરી શકે છે. તે રીતે સાધુઓ પણ ત્રણ પ્રકારે વિધિપ્રયોગ કરવા છતાં અલના પ્રાપ્ત થાય તો તે પ્રવૃત્તિથી નિવર્તન પામીને ભાવિના અનર્થનું નિવારણ કરી શકે છે. અહીં સુધી ગ્રંથકારશ્રીએ પૂર્વપક્ષીની પ્રથમ શંકાના સમાધાનરૂપે વિધિપ્રયોગનું હેતુપણું સિદ્ધ કર્યું. હવે પૂર્વપક્ષીને થયેલી બીજી શંકા એ છે કે, અલના હોતે છતે પ્રતિપૃચ્છા કરવાથી શું ? અર્થાત્ હવે ગુરુને પ્રતિપૃચ્છા કરવાનું પ્રયોજન નથી. પ્રતિવૃછાયા' આ બીજી શંકાનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે, ત્રણ વાર સ્કૂલના થયા પછી ગુરુને પ્રતિપૃચ્છા કરવાનું પ્રયોજન છે જ; કેમ કે ત્રણ વાર સ્કૂલના થયા પછી જો ગુરુનું આદિષ્ટ કાર્ય ન કરવામાં આવે તો શિષ્યને દોષની પ્રાપ્તિ થાય છે; કેમ કે ગુરુએ જે કાર્ય કરવાનું કહ્યું, તેનો સ્કૂલના થતાં સ્વેચ્છાએ ત્યાગ કરવો તે દોષરૂપ છે, અને ગુરુએ કાર્ય કરવાનું કહ્યું છે, માટે ત્રણ વાર સ્કૂલના થવા છતાં શિષ્ય કાર્ય કરવા તૈયાર થાય તો ભાવિ અનર્થની પ્રાપ્તિ થાય; અને જ્યારે ગુરુએ શિષ્યને કાર્ય કરવા અંગે કહ્યું હતું, ત્યારે ગુરુને ભાવિ અનર્થનું જ્ઞાન ન હતું, તેથી હિત જાણીને તે કાર્ય કરવાની શિષ્યને અનુજ્ઞા આપી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy