________________
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પર
૨૮૯ થઈ છે, માટે વિધિ પ્રયોગ સ્કૂલનાના નિવારણનું કારણ નથી. તેના નિરાકરણમાં હતુ કહે છે કે, તેવા પ્રકારના વિજ્ઞક્ષય પ્રતિ વિધિપ્રયોગનું હેતુપણું હોવા છતાં જે વિધિપ્રયોગ કરાયો છે તે અલ્પ પ્રમાણમાં છે, તેથી ઘણા વિદ્ગોના પરિક્ષયમાં=નાશમાં, તે અસમર્થ છે. આમ છતાં કરાયેલો વિધિપ્રયોગ તો વિજ્ઞક્ષય પ્રતિ હેતુ છે જ.
આશય એ છે કે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પ્રવૃત્તિમાં જેવા પ્રકારનાં વિદ્ગોની પ્રાપ્તિ થવાની હતી, તે વિઘ્નોનો ક્ષય વિધિપ્રયોગથી અવશ્ય થાય છે, પરંતુ અલ્પ સામર્થ્યવાળા વિધિપ્રયોગથી અલ્પ વિપ્નનો નાશ થઈ શકે છે; અને આથી પ્રવૃત્તિના પ્રારંભ પૂર્વે જે પ્રથમ મંગલ કર્યું, તે સામાન્ય હતું અને વિપ્ન મોટું હતું, તેથી સ્કૂલના પ્રાપ્ત થઈ. હવે તે દૂર કરવા આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ પ્રાથમિક ભૂમિકાનો વિધિ કરવામાં આવે છે અને તે વિધિપ્રયોગથી નાશ્ય એટલાં વિઘ્નો હોય તો તે કરાતા વિધિપ્રયોગથી અવશ્ય નાશ થાય છે. તેથી કેટલાક સાધુઓને પ્રથમ અલના થયા પછી આઠ શ્વાસોચ્છવાસ કાયોત્સર્ગ કરે તો વિપ્ન આવતું નથી. પરંતુ જેઓને તેના કરતાં બલવાન વિષ્ન છે, તેઓને પ્રથમ વાર વિધિપ્રયોગ કર્યા છતાં ફરી સ્કૂલના પ્રાપ્ત થતાં પૂર્વ કરતાં દ્વિગુણ=૧૬ શ્વાસોચ્છવાસ કાયોત્સર્ગ કરે છે, જે પ્રથમના વિધિપ્રયોગ કરતાં બલવાન છે, તેથી પૂર્વનાં વિઘ્નો કરતાં બલવાન વિઘ્નો હોય તો નાશ પામે છે. આથી કેટલાક સાધુઓને બીજી વાર વિધિપ્રયોગ કર્યા પછી સ્કૂલના પ્રાપ્ત થતી નથી. વળી કેટલાક સાધુઓને આનાથી પણ બલવાન વિષ્ણની પ્રાપ્તિ હોય તો બીજી વારના કરાયેલા વિધિપ્રયોગથી પણ તેનો નાશ થતો નથી. તેથી પુણ્યશાળી એવા સંઘાટકયેષ્ઠને આગળ કરીને પછી પોતે પ્રવૃત્તિ કરે છે તો તેના પુણ્યથી બલિષ્ઠ એવાં વિઘ્નો નાશ પામી જાય છે, તેથી સ્કૂલના પ્રાપ્ત થતી નથી. અને આ ત્રણ રીતે વિધિપ્રયોગ કરવા છતાં પણ સ્કૂલના પ્રાપ્ત થાય તો કહેવું પડે કે ત્રીજી વાર કરાયેલા વિધિપ્રયોગ કરતાં પણ વિપ્ન ઘણાં છે કે જે પ્રસ્તુત વિધિ પ્રયોગથી નાશ થઈ શકતાં નથી.
આનાથી એ બતાવવું છે કે, જીવમાં જો વિપ્નઆપાદક બલિષ્ઠ કર્મો થોડાં હોય તો તેના નાશ માટે થોડો વિધિપ્રયોગ કરવામાં આવે તો તે વિધિપ્રયોગથી થતા શુભભાવથી વિઘ્નઆપાદક કર્મોનો નાશ થાય છે, અને ત્રણ પ્રકારે વિધિપ્રયોગ કરવા છતાં જ્યારે સ્કૂલનાઓ પ્રાપ્ત થાય છે, ત્યારે નક્કી થાય છે કે શક્ય એટલા વિપ્નનાશના ઉપાયોનું સેવન કરવા છતાં સ્કૂલના થાય છે, તેથી પ્રસ્તુત પ્રારંભ કરાયેલ પ્રવૃત્તિથી કાંઈક મોટો અનર્થ થાય તેવું બલવાન વિન વિદ્યમાન છે, કે જે આ વિધિ પ્રયોગ દ્વારા થતા આવા શુભભાવથી પણ નાશ થઈ શકે તેવું નથી.
એ વાતને દૃષ્ટાંતથી બતાવે છે કે, જેમ મોટી જ્વાળારૂપ અગ્નિ હોય તો તેને પાણીનો કણિયો (પાણીના છાંટા) બૂઝવી ન શકે, પરંતુ એટલામાત્રથી પાણીમાં અગ્નિને બૂઝવવાનું સામર્થ્ય નથી તેમ કહી શકાય નહિ. વસ્તુતઃ અગ્નિ વધુ પડતો પ્રજવલિત થયેલ હોય તો તેને બૂઝવવા અધિક પાણી આવશ્યક છે અને અલ્પ અગ્નિને બૂઝવવા માટે અલ્પ પાણી સમર્થ છે; તેમ અલ્પ પ્રમાણના વિદ્ધના નાશ માટે અલ્પ વિધિપ્રયોગ સમર્થ છે અને ઘણા વિનના નાશ માટે બલવાન વિધિ સમર્થ બને છે. હવે પોતાનાથી સંભવિત બલવાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org