________________
૨૮૬
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા પર આશય એ છે કે, સાધુ કોઈ પણ પ્રવૃત્તિ કરે છે તે નિર્જરાના અર્થે કરે છે અને સમભાવની વૃદ્ધિ થાય તે રીતે પ્રવૃત્તિ કરવાથી નિર્જરા થાય છે. હવે પોતાની તે પ્રવૃત્તિમાં કોઈ બાહ્ય વિઘ્ન આવે તો તે પ્રવૃત્તિ બાહ્ય રીતે સમ્યગૂ ન થઈ શકે અને અંતરંગ વિઘ્ન આવે તો તે ક્રિયા અંતરંગ રીતે પણ સમભાવના નાશનું કારણ પણ બની શકે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
'श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि ।
अश्रेयसि प्रवृत्तानां तु क्वापि यान्ति विनायकाः ।।' મહાન પુરુષોને પણ શ્રેય કાર્યોમાં ઘણાં વિદનો ઉત્પન્ન થાય છે, અશ્રેય કાર્યમાં પ્રવૃત્તને વળી વિનો ક્યાંય પણ ચાલ્યાં જાય છે” – કોઈપણ સત્કાર્યનો પ્રારંભ કરે અને તેમાં વિઘ્ન આવે તો સ્કૂલના કરે, કાર્યની સમાપ્તિ થવા ન દે, માટે જ મંગલપૂર્વક પ્રવૃત્તિ કરવાની છે.
ભગવાન વડે વિહિત સાધુની પ્રત્યેક પ્રવૃત્તિ તે શ્રેયકાર્ય છે, જેમ સાધુની ભિક્ષા લાવવાની ક્રિયા મહાનિર્જરા કરનારી, મહાશ્રેયસ્કારી, સંયમવૃદ્ધિકારી છે. તેથી સાધુ ભિક્ષા માટે જાય ત્યારે મંગલપૂર્વક પ્રારંભ કરે છે. વળી સાધુ ઈચ્છે છે કે હું સંયમનો અર્થી છું, માત્ર ભિક્ષાનો અર્થ નથી; તેથી જેમ પૂર્વ ઋષિઓ સંયમની વૃદ્ધિ થાય તે રીતે ભિક્ષાને લાવતા હતા, તે રીતે હું પણ લાવીશ. આથી તેમાં કોઈ વિઘ્ન ન આવે તદર્થે ઉપયોગનો કાયોત્સર્ગ કરી, ગુરુની અનુજ્ઞાથી પ્રવૃત્ત થાય છે. આમ છતાં કોઈ દુર્નિમિત્ત ઉપસ્થિત થાય તો તે વિપ્નના નિવારણ અર્થે આઠ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કરે છે અને ફરી ગોચરી જવા માટે તત્પર થાય છે, ત્યારે પણ દુર્નિમિત્ત ઉપસ્થિત થાય તો ફરી ૧૬ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કરે અને ગોચરી જવા માટે તત્પર થાય; પરંતુ ત્યારે પણ દુર્નિમિત્ત ઉપસ્થિત થાય ત્યારે શું કરવું ? તો કહે છે કે, સામાન્ય રીતે ભિક્ષાર્થે જતા સાધુ સંઘાટક સાથે ચાલતા હોય છે, પણ હવે ત્રીજી વારની સ્કૂલનામાં સંઘાટક જ્યેષ્ઠ પ્રથમ ગમન કરે પછી પોતે તેમની પાછળ ગમન કરે, તેથી વિઘ્ન ટળી જાય.
આ રીતે વિપ્ન ટાળવાના ત્રણ પ્રયોગો કરવાથી અવશ્ય વિઘ્ન નાશ પામે છે, તે બતાવવા માટે કહ્યું કે, વિધિપ્રયોગ કરાય છતે ફરી ફરી સ્કૂલના થતી નથી. વિધિનો પ્રયોગ તે વિનના નાશ માટેની ક્રિયા છે, તેથી તે વિધિપ્રયોગથી અવશ્ય વિઘ્ન નાશ થાય છે; છતાં ત્રણ વખતના વિધિપ્રયોગથી પણ જ્યારે વિપ્નઆપાદક દુર્નિમિત્ત નાશ થતું નથી, ત્યારે તે બતાવે છે કે વિજ્ઞઆપાદક કર્મો બળવાન છે, માટે તે કાર્યવિષયક ગુરુને ફરી પૃચ્છા કરવી જોઈએ, જેથી ભિક્ષાગમનની ક્રિયામાં કોઈ બાહ્ય અનર્થ ન થાય, અને ભગવાનની આજ્ઞાવિરુદ્ધ ભિક્ષા લાવવાની ક્રિયા પણ ન થાય અને તેથી એકાંતે સર્વના હિતને કરનારી એવી સર્વસંપન્કરી ભિક્ષા હોવા છતાં કર્મબંધનું કારણ બને નહિ. આ રીતે ભિક્ષા સિવાયના અન્ય કાર્યમાં પણ સમજી લેવું. ટીકા -
अथ कथं विधिप्रयोगेऽपि स्खलना ? किं वा तस्यां सत्यां प्रतिपृच्छया ? इति चेत्, तथाविधविघ्नक्षयं प्रति विधिप्रयोगहेतुत्वस्याऽल्पीयसस्तस्य बहुतरविघ्नपरिक्षया-ऽशक्तत्वेऽप्यनपायात्, न खलु जलकणिकामात्रस्य
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org