________________
પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા પર
૨૮૫ અથવા, એ પ્રતિપૃચ્છાના બીજા પ્રકારને બતાવવા માટે છે. વિધિ પ્રયોગમાં પણ દુષ્ટ નિમિત્તાદિ પ્રતિબંધક વિહિત કાર્યની આરાધનામાં પણ, પ્રવૃત્તિમાં=ઈચ્છિત કાર્યવ્યાપારમાં, ત્રિવૃત્વ=ત્રણ વાર, સ્કૂલના હોતે છતે દુષ્ટ નિમિત્ત આદિ ઉત્પન્ન થયે છતે, પ્રતિપૃચ્છા કરવી – આ પ્રમાણે ઉત્તર ગાથાથી અનુષંગ છે=જોડાણ છે. અને તેનું વિધાન-દુર્નિમિત્તાદિને દૂર કરનાર વિધિ, આ પ્રમાણે છે –
પ્રથમ સ્કૂલના થયે છતે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ, બીજી વાર સ્કૂલના થયે છતે તેનાથી દ્વિગુણ આઠ શ્વાસોચ્છવાસથી બમણો (૧૬ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે) અને ત્રીજી વાર સ્કૂલના થયે છતે સંઘાટક જ્યેષ્ઠતા કર્યા પછી કરવું, ઈત્યાદિ વિધિ પ્રયોગ કર્યો છતે, ફરી ફરી વારંવાર, સ્કૂલના જ થતી નથી, એ પ્રમાણે લ’ શબ્દનો અર્થ છે.
* ‘દુનિમિત્તાદ્રિ” અહીં ‘સર’ થી વિપ્નનું ગ્રહણ કરવું.
* પૂણ્યમિત્યાદ્રિ' અહીં ‘સર’ થી શેષ વિધિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
પૂર્વ ગાથામાં પ્રતિપૃચ્છા ક્યારે કરવી તે બતાવ્યું, અને પ્રતિપૃચ્છા કરવાથી શું લાભ થાય છે તે પણ બતાવ્યું. કાળના વિલંબનથી ગુરુઆદિષ્ટ કાર્ય કરવાનું હોય, કે પૂર્વે ગુરુ વડે નિષિદ્ધ કાર્ય અપવાદથી કરવા જેવું લાગે ત્યારે, પ્રતિપૃચ્છા હોય છે તેમ બતાવ્યું. હવે તે સિવાય અન્ય સ્થાનમાં પણ પ્રતિપૃચ્છાની વિધિ છે, તે “અથવા” શબ્દથી ગાથામાં બતાવે છે.
કોઈ પણ સાધુ, વિહિત કાર્યની પ્રવૃત્તિના પ્રારંભમાં તે કાર્યની પ્રવૃત્તિમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે મંગલ કરે છે, જે મંગલનું આચરણ વિહિત કાર્યની પ્રાથમિક આરાધના સ્વરૂપ છે; અને તે આરાધના કર્યા પછી તે સાધુ તે કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય, જેથી તે કાર્યમાં તેને વિઘ્ન ન આવે અને નિર્વિઘ્નપણે તે વિહિત કાર્ય કરીને નિર્જરારૂપ ફળને પામે. આમ છતાં કોઈ પ્રબળ કર્મ હોય તો તે કાર્ય માટે પ્રવૃત્તિ કરે ત્યારે કોઈ અપશુકનાદિ નિમિત્તો ઉપસ્થિત થાય તો તે અલનારૂપ છે. તેથી આવી પ્રથમ સ્કૂલના થયે છતે વિપ્નના નાશ માટે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે અને પછી વિહિત કાર્ય કરવાનો પ્રારંભ કરે. આમ છતાં ફરી સ્કૂલના થાય તો તેનાથી દ્વિગુણ=૧૭ શ્વાસોચ્છુવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. આ રીતે બે વાર કરવા છતાં પણ પ્રવૃત્તિના પ્રારંભમાં ત્રીજી વાર સ્કૂલના થાય તો સંઘાટક પૈકી જે જ્યેષ્ઠ હોય તે કૃત્યનો પ્રથમ પ્રારંભ કરે, પછી પાછળથી પોતે તે કાર્ય કરે. આમ કહેવાનું તાત્પર્ય એમ ભાસે છે કે, પોતાને વિહિત પ્રવૃત્તિમાં વારંવાર દુર્નિમિત્તો આવે છે તેથી પોતાનાં વિજ્ઞઆપાદક કર્મ બળવાન છે, માટે સંઘાટક જ્યેષ્ઠ જે અતિસંયમની આરાધનામાં દીર્ઘ પર્યાયવાળા હોવાના કારણે પુણ્યશાળી છે, તેની પાછળ ચાલવાથી તેના પુણ્યના સહકારથી પોતાનું વિજ્ઞઆપાદક કર્મ અસમર્થ બને અને વિદ્ગો ટળી જાય.
આ રીતે ત્રણ વાર કરવા છતાં પણ અલના પ્રાપ્ત થાય તો ફરી તે કાર્ય કરવા વિષયક ગુરુને પ્રતિપૃચ્છા કરવી જોઈએ, જેથી ગુરુને ઉચિત જણાય તો તે કાર્ય કઈ રીતે કરવું કે જેથી કોઈ અનર્થ ન થાય, તે રીતે સૂચન કરે અથવા તે કાર્યનો નિષેધ પણ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org