SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-૯૫-૯૬ ૪૯૭ યાવત્કથિક ક્ષપક પોતાની શક્તિ પ્રમાણે ઉપવાસાદિના પારણે ઉપવાસાદિ કરીને અંતે અનશન કરવાની અભિલાષાવાળો હોય છે. ઈત્વરકાલિક ક્ષપક અણસણ કરતા નથી, પરંતુ વિશેષ પ્રકારની નિર્જરા માટે તપ કરીને આત્માને ભાવિત કરે છે. ક્ષપક બે પ્રકારના છે. (૧) વિકૃષ્ટ ક્ષપક ઈત્વકાલિક અને (૨) અવિકૃષ્ટ ક્ષપક. (૧) વિકૃષ્ટ ક્ષપક :- અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરનાર જઘન્ય વિકૃષ્ટ ક્ષપક છે, અને કેટલાક તો માસક્ષમણાદિના પારણે માસક્ષમણાદિ કરનારા પણ હોય છે. આ બધા માત્ર તપ નથી કરતા, પરંતુ તપ કરીને આત્માને નિર્લેપ દશામાં લઈ જવા માટે વિશેષ યત્ન કરનારા હોય છે. પ્રાયઃ કરીને આવા તપ કરનાર શાસ્ત્રઅધ્યયનથી ગીતાર્થ થઈને સંપન્ન થયેલા હોય છે. તેથી કરેલા શાસ્ત્રઅધ્યયનથી આત્માને ભાવિત કરવા માટે અંતરંગ યત્ન કરે છે અને બાહ્ય તપ કરીને તેને અતિશયિત કરે છે. (૨) અવિકૃષ્ટ ક્ષપક :- અવિકૃષ્ટ ક્ષપક ઉપવાસના પારણે ઉપવાસ કે છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે. આવા તપસ્વી ક્ષપકને ઉપસંપર્ આપવી હોય ત્યારે આ પ્રકારનો વિવેક કરવાનો છે, જે ગ્રંથકાર સ્વયં બતાવે છે અવિકૃષ્ટ ક્ષપકને આચાર્ય પૂછે છે - “હે આયુષ્માન્ ! તું પારણાના દિવસે કેવો થઈશ ?” જો ક્ષપક કહે કે – “ગ્લાનની ઉપમા જેવો થઈશ”=ગ્લાન જેવો થઈશ. ત્યારે આચાર્ય તેને ક્ષપણા કરવાનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે, “તપ કરવાને બદલે તું સ્વાધ્યાયાદિમાં યત્ન કર.” આનાથી એ પ્રાપ્ત થાય કે, જે સાધુ ઉપવાસના પારણે ઉપવાસ કે છઠ્ઠના પારણે છઠ્ઠ કરી સ્વાધ્યાયથી આત્માને ભાવિત કરે છે અને પારણાના સમયે પણ ગ્લાનતા વગર સંયમયોગમાં ઉત્થિત રહે છે, તેવાને પોતાની ઉપસંપર્ સામાચારી આચાર્ય આપે છે. અહીં પ્રશ્ન થાય કે અન્ય આચાર્યની ઉપસંપદ્ સામાચારી સ્વીકારીને જેઓ તપ કરે છે અને પારણા સમયે ગ્લાન જેવા થતા નથી, તેઓની તે ગચ્છના સાધુઓ કેમ વૈયાવચ્ચ કરે છે ? તેનો આશય એ છે કે વિશેષ પ્રકારના તપસ્વી જેમ તપવિશેષમાં યત્ન કરે છે, તેમ તેઓ તપ કરીને શાસ્ત્રઅધ્યયનથી પણ આત્માને ભાવિત કરે છે, અને વિશેષ પ્રકારની નિર્જરાને પ્રાપ્ત કરે છે. આવા વિશિષ્ટ તપસ્વીઓને શાસ્ત્રઅધ્યયનથી ભાવિત થવામાં સહાયક થવું તે મહાનિર્જરાનું કારણ છે, તેથી ગચ્છના સાધુઓ તે તપ માટે ઉપસંપદ્ સામાચારી સ્વીકારનાર સાધુ પારણે ગ્લાન જેવો નહીં હોવા છતાં તેનું વૈયાવચ્ચ કરીને નિર્જરા કરે છે; અને આ મહાત્મા પણ પોતાના તપ અને સ્વાધ્યાયની અનુમોદના કરીને વૈયાવચ્ચ કરનાર સાધુઓ નિર્જરાફળને પામે તદર્થે ગચ્છના સાધુઓની વૈયાવચ્ચ સ્વીકારે છે. વળી જેઓ તપ કરીને પારણાના દિવસે ગ્લાન થાય છે અને તેના કારણે સ્વાધ્યાયાદિ ઉચિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy