SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ ઉપસંપદા સામાચારી ગાથા : ૯૪-૯૫-૯૬ જો તેઓ ન કરે તો ગણિ વડે=ગચ્છાધીશ વડે, તેઓ=સ્વગચ્છવાસી સાધુઓ, સમ્યક્ પ્રેરણા કરાવા જોઈએ. ઉપસંપદ્ સ્વીકારનાર પણ=વૈયાવચ્ચ અર્થે ઉપસંપદ્ સ્વીકારનાર પણ, જો ઉપસંપત્તું કારણ એવી વૈયાવૃત્યાદિને પૂર્ણ ન કરે તો તેને= વૈયાવચ્ચ કરનારને, (આચાર્ય વડે) સારણા કરાય છે=પ્રેરણા કરાય છે, અતિ અવિનીતને અથવા સમાપ્ત ઉપસંપાળાને વિસર્જન જ કરાય છે. પૂર્વમાં જે કહ્યું કે, ઉપસંપદા સ્વીકારનાર વૈયાવચ્ચાદિ કાર્ય ન કરે તો તેને સારણા કરે અને અવિનીતને અને સમાપ્ત ઉપસંપાળાને વિસર્જન કરે, તેમાં ‘વાં ઘ' થી સાક્ષી આપે છે. અને કહ્યું છે - આવશ્યકનિર્યુક્તિ ગાથા-૭૨૦નો અર્થ આ પ્રમાણે છે “જે કારણને આશ્રયીને ઉપસંપન્ન છે, તે કારણને નહીં પૂરતો=પૂર્ણ નહીં કરતો, સ્મારણા કરાય છે= પ્રેરણા કરાય છે, અને અવિનીતને વિસર્ગ કરાય છે અથવા ઉપસંપન્નની કાલમર્યાદા પૂરી થઈ હોય તો સારણા= સ્મારણા, કરાય છે—તારી કાળમર્યાદા પૂર્ણ થઈ છે તે સ્મરણ કરાવાય છે, અથવા વિસર્ગ કરાય છે=વિસર્જન કરાય છે." (આવશ્યકનિયુક્તિ ગ્રંથની ટીકા પ્રમાણે આ અર્થ કરેલ છે.) એ પ્રમાણે આ વિવેક છે=ઉપરમાં વર્ણન કર્યું તે વિવેક છે. ।।૯૪૫૯૬॥ * આવશ્યકનિર્યુક્તિની ગાથામાં ‘તુ’ શબ્દથી કોઈ પણ સાધ્વાચારનું બરાબર પાલન ન કરતો હોય તેનું ગ્રહણ કરવાનું છે. * ‘સ્વાધ્યાયવૈયાવૃત્ત્વારો’ અહીં ‘આવિ’ થી ધ્યાનનું ગ્રહણ કરવું. * ‘વસંપત્તાઽપિ વધુપસંવવઃ વારાં વૈયાવૃત્ત્વા’િ અહીં ‘આવિ’ થી ક્ષપણાનું ગ્રહણ કરવું. ભાવાર્થ : ચારિત્ર ઉપસંપના બે વિભાગ છે. (૧) વૈયાવૃત્ત્વ ઉપસંપર્ અને (૨) ક્ષપણા ઉપસંપ ્ વૈયાવૃત્ત્વ ઉપસંપનું વર્ણન પૂર્વમાં કર્યું. હવે ક્ષપણા ઉપસંપર્ સામાચારી બતાવે છે. ત્યાં પ્રથમ ક્ષપક કેટલા ભેદવાળો છે, તે બતાવતાં કહ્યું કે, ક્ષપક બે પ્રકારના છે – (૧) યાવત્કથિક ક્ષપક અને (૨) ઈત્વરકાલિક ક્ષપક આ બે ક્ષપક પૈકી યાવત્કથિક ક્ષપક ક્ષપણાનો પ્રારંભ કર્યા પછી ઉત્તરકાળમાં અણસણને કરનારો છે. આશય એ છે કે, કોઈ સાધુને વિશેષ ક્ષપણા કરવી હોય ત્યારે તે સાધુ ક્ષપણાને ઉપષ્ટભક બને તેવા ગચ્છનો આશ્રય કરે છે અને તે ગચ્છના સાધુઓ પણ ક્ષપકને ક્ષપણા ક૨વામાં સહાયક બનીને નિર્જરાના ભાગી થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy