________________
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-૫-૯૬
૪૯૩ વૈયાવૃત્ય કરવા ન ઈચ્છે તો આગંતુકને આચાર્ય કહે કે, “વાસ્તવ્ય આટલા સમય સુધી છે, ત્યાં સુધી તું ઉપાધ્યાયાદિની વૈયાવૃજ્ય કર, પછી તને મારી વૈયાવચ્ચનો લાભ મળશે.” અને આગંતુક પણ આચાર્યાદિની વૈયાવચ્ચ કરવા ઈચ્છતો હોય, પણ ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરવા ન ઈચ્છતો હોય ત્યારે, યાવત્રુથિક એવા આગંતુકને કહે કે, “જ્યાં સુધી આ વાસ્તવ્ય છે, ત્યાં સુધી તું ગચ્છમાં રહીને સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિ કરીને આરાધના કર. આ વાસ્તવ્ય જશે પછી તને મારી વૈયાવચ્ચનો લાભ મળશે.” પરંતુ યાવત્રુથિક એવો આગંતુક એટલો સમય પણ વિશ્રામણાને ન ઈચ્છે તો વાસ્તવ્ય ઈત્વરકાલિક હોવાના કારણે વિધિપૂર્વક વિસર્જન કરાય.
હવે વાસ્તવ્ય અને આગંતુક બંને ઈત્વરકાલિક હોય તો ત્યાં એક ઉપાધ્યાયને અપાય અને એક પોતાની પાસે વૈયાવૃત્ય માટે રખાય છે. શેષ પૂર્વની જેમ જાણવું. તે આ રીતે –
વાસ્તવ્ય અને આગંતુક બંને ઈવર છે=ઈવરકાલિક છે. તેથી ઉપસ્થિત થયેલ આગંતુકને પ્રથમ આચાર્ય કહે કે, “તું ઉપાધ્યાયાદિની અત્યારે સેવા કર.” એમ કહેવા છતાં આગંતુક ઉપાધ્યાયાદિની સેવા ન ઈચ્છે તો વાસ્તવ્યને પ્રીતિપૂર્વક કહે કે, “તું થોડો સમય ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કર અને આ આગંતુક મારી વૈયાવચ્ચ કરશે.” છતાં વાસ્તવ્ય પણ ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ ન ઈચ્છે, તો વાસ્તવ્યને કહે કે, “તું થોડો સમય વિશ્રામણા કર અને આગંતુક મારી સેવા કરશે અને તેના ગયા પછી તને મારી સેવાનો લાભ મળશે.” પરંતુ વાસ્તવ્ય તેમ પણ ન ઈચ્છે તો આગંતુકને વિસર્જન કરે, અને ક્વચિત્ વાસ્તવ્યને રહેવાનો અવધિકાળ નાનો હોય અને આગંતુક દીર્ઘ અવધિકાળવાળો હોય તો વાસ્તવ્યને વિસર્જન કરે અને આગંતુકને પોતાની પાસે રાખે. તેથી જેનો અવધિકાળ વધુ રહેવાનો હોય તેને રાખે અને અન્યનું વિસર્જન કરે, એમ અર્થ પ્રાપ્ત થાય.
આ પ્રમાણે ઉપસંપદા સામાચારી માટે આવેલા આગંતુક અને વાસ્તવિષયક જે સ્થાનમાં જે ઉચિત વિધિ હોય તે વિધિ પ્રમાણે કરવું જોઈએ.
ગાથા-૯૦ના તદેવ ઘણો વિ થી બાકીના ભાગની ટીકા કરે છે. ટીકા -
उक्ता वैयावृत्त्योपसंपद्, संप्रति क्षपणोपसंपदुच्यते - क्षपकश्च द्विविधः, इत्वरो यावत्कथिकश्च । तत्र यावत्कथिक उत्तरकालेऽनशनकर्ता, इतरस्तु द्विविधः विकृष्टक्षपकोऽविकृष्टक्षपकश्च । तत्राष्टमादिक्षपको विकृष्टक्षपकः, चतुर्थषष्ठक्षपकस्त्वविकृष्टक्षपकः । तत्र चायं विवेक:-अविकृष्टक्षपकः खल्वाचार्येण पृच्छ्यते - - 'हे आयुष्मन् ! पारणके त्वं कीदृशो भविष्यसि ?' स प्राह-'ग्लानोपम' इति । तदा स प्रतिषेद्धव्यः, ‘अलं तव क्षपणेन' इति ‘स्वाध्यायवैयावृत्त्यादावेव यत्नं कुरु' इति चाभिधातव्यः । विकृष्टक्षपकोऽप्येवमेव प्रज्ञाप्यते । अन्ये तु व्याचक्षते-विकृष्टक्षपकपारणककाले ग्लानकल्पतामनुभवन्नपीष्यत एव । यस्तु मासादिक्षपको यावत्कथिको वा स इष्यते । अयं च विवेकः गणिना=गच्छेशेन, गच्छस्य पृच्छया कार्यः । तथाहि - प्रागभिहितकार्य
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org