________________
૪૯૨
ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૪-૯૫-૯૬ આ વિવેક કરવો જોઈએ.
* ‘નિચ્છત્રપ' અહીં ‘’ થી એ કહેવું છે કે, વાસ્તવ્ય ઉપાધ્યાયની વૈયાવચ્ચને ઈચ્છતો હોય તો તો મોકલે, પરંતુ ઈચ્છતો ન હોય તો પણ પ્રીતિથી વિશ્રામણ કરાય છે.
* ‘વિશ્રામમિપિ' અહીં ‘’િ થી એ કહેવું છે કે, વાસ્તવ્ય ઉપાધ્યાયની સેવા તો ઈચ્છતો નથી, પણ વિશ્રામણ પણ ઈચ્છતો ન હોય તો આગંતુક વિસર્જન કરાય છે. ભાવાર્થ -
અન્ય ભાંગાઓમાં અન્ય સંયોગોમાં, ગાથા-૯૪-૯૫માં કહ્યું તે રીતે વિવેક કરવો જોઈએ. તે આ પ્રમાણે –
- જો વાસ્તવ્ય યાવસ્કથિત્યાત્કાલિક, અર્થાત્ આજીવન સુધી રહેનાર હોય, અને આગંતુક ઈન્વરકાલિક= અલ્પકાળ માટે રહેનાર, હોય તો યાવસ્કથિક વાસ્તવ્યને પોતાની પાસે આચાર્ય રાખે અને આગંતુકને ઉપાધ્યાયાદિને સોંપે; પરંતુ આગંતુકની ઈચ્છા આચાર્યની જ વૈયાવૃત્ય કરવાની હોય તો આગંતુક જેટલો સમય રહેવાનો હોય તેટલો સમય આચાર્ય વાસ્તવ્યને ઉપાધ્યાયની સેવા કરવા માટે રાખે અને આગંતુકને પોતાની પાસે રાખે. પરંતુ જો વાસ્તવ્ય આચાર્યને છોડીને ઉપાધ્યાયાદિની વૈયાવૃત્ય કરવા ન ઈચ્છતો હોય તો વાસ્તવ્ય યાવન્કથિક હોવાના કારણે તેને પોતાની પાસે રાખે અને ઈત્વરકાલિક એવા આગંતુકનું વિસર્જન કરે.
આ સંબંધમાં એટલી વિશેષતા છે કે, આગંતુક અને વાસ્તવ્ય બંને ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ ન ઈચ્છતા હોય અને આચાર્યની વૈયાવચ્ચ ઈચ્છતા હોય તો “આ આગંતુક સાધુને વૈયાવૃત્ય કરીને નિર્જરા કરવાનો ઉલ્લાસ છે, તેથી જેટલો સમય તે રહેવા ઈચ્છે છે, તેટલો સમય તું આ સમુદાયમાં રહીને સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિ કરીને આરાધના કર.” આવું આચાર્ય વાસ્તવ્યને સમજાવે; કેમ કે વાસ્તવ્ય યાવસ્કથિક છે, તેથી તેને વિસર્જન કરવાનું કોઈ કારણ નથી અને આગંતુક તો ઈવરકાલિક હોઈ તેની કાળમર્યાદા પૂર્ણ થતાં જવાનો છે, ત્યાં સુધી તેને લાભ આપવાનો છે. આવું સમજાવવા છતાં પણ વાસ્તવ્ય જેમ ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ ઈચ્છતો નથી, તેમ વિશ્રામણા પણ ન ઈચ્છે, અર્થાત્ ઈત્વરકાલિક આગંતુકની મર્યાદા સુધી આરામ કરવા ન ઈચ્છે, પરંતુ આચાર્યની વૈયાવચ્ચ કરવાની ઈચ્છા રાખે તો ઈત્વરકાલિક એવા આગંતુક સાધુને આચાર્ય વિસર્જન કરે=રજા આપે.
- હવે વાસ્તવ્ય યાવત્કથિક હોય અને આગંતુક ઈત્વરકાલિક હોય તો તેને આશ્રયીને જેમ ભેદ બતાવ્યો, તેમ તેના સ્થાને બીજી રીતે પણ વિકલ્પ બતાવતાં કહે છે કે – જો વાસ્તવ્ય ઈત્વરકાલિક હોય= થોડા સમય માટે રહેનાર હોય, અને આગંતુક યાવત્રુથિક હોય તો વાસ્તવ્ય તેના શેષ અવધિકાળ પર્યત ઉપાધ્યાયાદિને અપાય છે, તે વિષયક અન્ય વિકલ્પો પૂર્વમાં વર્ણન કર્યું તે રીતે સમજી લેવા. તે આ રીતે -
જો વાસ્તવ્ય ઈત્વરકાલિક હોય અને આગંતુક યાવત્કથિક હોય તો વાસ્તવ્યને જેટલો સમય હવે રહેવાનો બાકી છે, તેટલો સમય તેને ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ અર્થે રાખે, અને જો તે ઉપાધ્યાયની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org