________________
૪૯૦
ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૪-૫-૯૬ જણાવતાં કહે છે કે, (૧) વાસ્તવ્ય આગંતુકની પૂર્વમાં આવેલો છે, તેથી તેને ગુરુના આશયનું સમ્યક પરિજ્ઞાન છે, જે આગંતુકને ન હોઈ શકે, તેથી આચાર્ય વાસ્તવ્યને પોતાની પાસે રાખે છે. છતાં જો વાસ્તવ્ય લબ્ધિમાન ન હોય તો તે આચાર્યના આશયને જાણતો હોવા છતાં વાસ્તવ્યના સ્થાને લબ્ધિમાન આગંતુકને જ આચાર્ય પોતાની પાસે રાખે. પરંતુ (૨) વાસ્તવ્ય પણ આગંતુકની જેમ લબ્ધિમાન છે, માટે પોતાની સાધનાને અનુકૂળ સર્વ ઉચિત કાર્ય કરવા માટે સમર્થ છે, તેથી આચાર્ય વાસ્તવ્યને પોતાની પાસે સ્થાપે છે.
જ્યારે આગંતુકની પણ એવી ઈચ્છા હોય કે હું આચાર્યની વૈયાવચ્ચ કરું, પણ ઉપાધ્યાયાદિની નહીં, તેથી આચાર્યના કહેવા છતાં ઉપાધ્યાયાદિ પાસે જવાનો તેનો ઉલ્લાસ ન વધતો હોય, તો આચાર્ય વાસ્તવ્યને પ્રીતિપૂર્વક સમજાવીને ઉપાધ્યાયાદિ પાસે રાખે અને આગંતુકને પોતાની પાસે રાખે.
પરંતુ જો વાસ્તવ્ય પણ આચાર્યની વૈયાવચ્ચ કરવાના બદ્ધ અભિલાષવાળો હોય અને ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરવામાં ઈચ્છા ન ધરાવતો હોય તો આચાર્ય આગંતુકનું વિસર્જન કરે છે અર્થાત્ રજા આપે છે અને વાસ્તવ્યને સ્વવૈયાવૃજ્ય અર્થે સ્થાપે છે.
કહેવાનો ભાવ એ છે કે, આગંતુક યાવત્કથિક પણ હોય અને લબ્ધિમાન પણ હોય અને “આચાર્યની ભક્તિ કરીને વિશેષ નિર્જરા મારે કરવી છે,” તેવા અભિલાષવાળો હોય, તેથી ઉપાધ્યાયાદિ પાસે વૈયાવચ્ચ માટે રહેવા ઈચ્છતો નથી; અને જે વાસ્તવ્ય છે, તે પણ યાવત્કથિક પણ છે અને લબ્ધિમાન પણ છે અને આચાર્યની ભક્તિ કરીને વિશેષ નિર્જરાનો અભિલાષી છે; વળી આચાર્ય એ પણ જાણે છે કે બંનેના દ્વારા ગચ્છને ઉપકાર થાય તેમ છે, માટે પુરાણકને=વાસ્તવ્યને સમજાવે કે “જો તું ઉપાધ્યાયાદિ પાસે રહીશ તો તેઓની સાધનામાં પણ તે નિમિત્ત બનીશ અને આ આગંતુક જો મારી પાસે રહેશે તો મારા સ્વાધ્યાયાદિની વૃદ્ધિ યથાવત્ ચાલુ રહેશે, તેથી ગચ્છને કોઈ હાનિ થવાની નથી, ઊલટું તું જો ઉપાધ્યાયની વૈયાવૃત્ય કરીશ તો તેઓ પણ ગચ્છનો વિશેષ ઉપકાર કરી શકશે.” આ રીતે આચાર્ય વાસ્તવ્યને પ્રીતિ ઉત્પન્ન થાય તે રીતે સમજાવે અને જો વાસ્તવ્ય તે વાત સ્વીકારે તો આગંતુકને સ્વતૈયાવૃત્ય માટે સ્થાપે. પરંતુ વાસ્તવ્ય ઉપાધ્યાયાદિની વૈયાવૃજ્ય માટે ઉત્સાહિત ન જણાય તો વાસ્તવ્ય આચાર્યના અભિપ્રાયને જાણનારો હોવાથી તેને પોતાની પાસે રાખે અને આગંતુકનું વિસર્જન કરે; પરંતુ કોઈના ચિત્તમાં ક્લેશ થાય કે વૈયાવચ્ચ કરનાર વાસ્તવ્યનો ઉત્સાહ ભંગ થાય એ રીતે આગંતુકને પોતાની પાસે રાખવા માટે વાસ્તવ્યને ઉપાધ્યાયાદિની વિયાવૃત્ય કરવાનો આગ્રહ ન રાખે.
અહીં ટીકામાં કહ્યું કે, ગાથામાં જે ‘તયા જે શબ્દ છે, તેના સ્થાને ‘તય' એ પ્રમાણે પાઠ છે. તેથી આ ગાથા ક્યાંકથી ઉદ્ધત કરેલ છે, અને જ્યાંથી ઉદ્ધત કરી છે, ત્યાં આ ગાથાના કથનને કહેનાર બે પાઠ છે. એક પાઠમાં ‘તયા vi’ શબ્દ છે અને બીજા પાઠમાં ‘તયાળ' છે, એ બંને પાઠ છે. ટીકા -
- इतरेष्वपि अन्येष्वपि, भङ्गेषु-संयोगेषु, एवम् अनया रीत्या, विवेक:-विशेषनिर्धारणं, कर्त्तव्यम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org