________________
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-૯૫-૯૬
ઉપર્યુક્ત વિધિના કહેવા દ્વારા સામર્થ્યથી પ્રાપ્ત થાય છે.
ટીકા ઃ
अथेति पक्षान्तरे, द्वावपि-आगन्तुकवास्तव्यौ यदि लब्धिमन्तौ तदाऽऽगन्तुक एवोपाध्यायादिभ्यो दीयते, वास्तव्यश्च स्थाप्यते, तदाशयस्य सम्यक्परिज्ञानात्, लब्धिमत्तया कार्यक्षमत्वाच्चेति भावः । णं इति वाक्यालंकारे । तयाणि इतिपाठोऽपि, तत्र तदानीमित्यर्थः । तदनिच्छायाम् = आगन्तुकस्योपाध्यायाद्यन्तिकगमनेच्छाविरहे, इतरः= वास्तव्य एव प्रीतिपुरस्सरं दीयते, आगन्तुकश्च स्ववैयावृत्त्यं कार्यते । तदनिच्छायां = वास्तव्यस्याऽप्युपाध्यायाद्याश्रयानिच्छायां च तत्त्याग:- आगन्तुकविसर्ग: ।
૪૮૯
ટીકાર્ય :
‘ત્રુથ' શબ્દ પક્ષાંતરમાં છે=અન્ય વિકલ્પમાં છે. આગંતુક અને વાસ્તવ્ય બંને પણ જો લબ્ધિમાન હોય તો આગંતુક જ ઉપાધ્યાયાદિને અપાય છે અને વાસ્તવ્ય આચાર્ય પાસે સ્થપાય છે; કેમ કે તેના=આચાર્યના, આશયનું વાસ્તવ્યને સમ્યક્ પરિજ્ઞાન છે અને લબ્ધિમાન હોવાથી કાર્ય કરવામાં સમર્થ છે, આ ભાવ છે=આ પ્રમાણે વાસ્તવ્યને પોતાની પાસે સ્થાપન કરવાનું રહસ્ય છે. ગાથામાં Ō એ વાક્યાલંકારમાં છે. ગાથામાં ‘તયા નં’ છે ત્યાં ‘તળિ’ એ પ્રમાણે પાઠ પણ છે. તત્ર= ત્યાં=‘તયાજ્િ’ પાઠમાં તવાની=‘ત્યારે' અર્થાત્ બંને લબ્ધિમાન હોય ત્યારે, એ પ્રમાણે અર્થ છે.
તેની અનિચ્છામાં=આગંતુકની ઉપાધ્યાય પાસે જવાની ઈચ્છાના વિરહમાં, ઈતર=વાસ્તવ્ય જ પ્રીતિપૂર્વક અપાય છે=ઉપાધ્યાયને અપાય છે, અને આગંતુક વડે સ્વવૈયાવૃત્ત્વ કરાવાય છે; અને તેની અનિચ્છામાં=વાસ્તવ્યની ઉપાધ્યાયાદિના આશ્રયની અનિચ્છામાં, તેનો ત્યાગ=આગંતુકનું વિસર્જન કરાય છે=રજા અપાય છે.
* ‘આરંતુ વાસ્તવ્યો દાવિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, જો આગંતુક અને પુરાણક પૈકી એક લબ્ધિવાળો હોય તો તો ઉપરની વ્યવસ્થા બતાવી, પણ બંને પણ લબ્ધિમાન હોય તો આ વ્યવસ્થા છે. તે કહે છે * ‘પાટોડવિ’ અહીં‘પિ’ થી એ કહેવું છે કે, ‘તયા ળું એ પાઠ તો છે જ, પણ ‘તયાજ્િ’ એ પ્રકારે પણ પાઠ છે. * ‘વાસ્તવ્યસ્થાડપિ’ અહીં ‘વિ’ થી આગંતુકની ઉપાધ્યાયના આશ્રયણની અનિચ્છાનો સમુચ્ચય છે.
ભાવાર્થ :
ગાથા-૯૪માં એક લબ્ધિમાન હોય અને બીજો અલબ્ધિમાન હોય તો શું વિધિ છે, તે બતાવ્યું. હવે આગંતુક અને વાસ્તવ્ય બંને લબ્ધિમાન છે, તો શું વિધિ છે, તેને જણાવતાં ગ્રંથકાર કહે છે
Jain Education International
–
જો બંને લબ્ધિમાન હોય તો આચાર્ય વાસ્તવ્યને પોતાની પાસે રાખે અને આગંતુકને ઉપાધ્યાયાદિની વૈયાવૃત્ત્વ અર્થે સોંપે છે.
અહીં પ્રશ્ન થાય કે, ગુરુ વાસ્તવ્યને કેમ પોતાની પાસે રાખે છે ? તે શંકાના નિવારણ અર્થે બે હેતુ
For Personal & Private Use Only
www.jainelibrary.org