________________
૪૮૪
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૩ વૈવિધ્ય બતાવે છે.
પૂર્વમાં જ્ઞાનઉપસંપદ્ નવ પ્રકારની છે, એમ કહ્યું. વળી ચારિત્રઉપસંપદ્ વૈયાવૃત્ય નિમિત્તે અને ક્ષપણા નિમિત્તે એમ બે પ્રકારની છે. પુનઃ' શબ્દ ‘વળી' અર્થક સૈવિધ્યરૂપ વિશેષતાને બતાવે છે.
અહીં પ્રશ્ન થાય કે, અહીંચારિત્રઉપસંપદામાં, ઉપસંપદાનું અવ્ય ગુરુના આશ્રયણનું, શું પ્રયોજન છે? ગચ્છમાં જ વૈયાવૃત્ય કે ક્ષપણા અણસણ, કેમ નથી કરાતું ? એમ જો તું કહેતો હો તો ઉત્તર અપાય છે –
સીનં=સાધુ સામાચારીમાં પ્રમાતા, - અહીં “સીયામફિસે' શબ્દમાં “ન' કાર અલાક્ષણિક છે. તેથી હવે સમાસ આ રીતે થાય છે - સીદત છે આદિમાં જેને=સ્વકાર્યઅક્ષમ-લપકાત્તરવાળા સ્વગચ્છના પ્રતિસંધાનાદિને, વશથી=પોતાની વૈયાવૃત્યરૂપ કાર્ય કરવામાં પોતાનો ગચ્છ અસમર્થ છે અથવા પોતાના ગચ્છમાં બીજા ક્ષેપક હોવાથી તેની વૈયાવચ્ચમાં પોતાનો ગચ્છ વ્યાપારવાળો છે, એ પ્રકારના પ્રતિસંધાનાદિના વશથી, અન્ય ગચ્છમાં સ્વગચ્છથી અતિરિક્ત ગચ્છમાં, વળી ગમન થાય છે. II૯૩
ભાવાર્થ -
ચારિત્રઉપસંપ વૈયાવૃત્ત્વ નિમિત્તે અને ક્ષપણા નિમિત્તે ગ્રહણ કરવામાં આવે છે. અહીં પ્રશ્ન થાય કે, સ્વગચ્છમાં જ વૈયાવૃજ્ય અને ક્ષપણા કેમ કરવામાં આવતી નથી ? અને વૈયાવચ્ચ માટે કે ક્ષપણા માટે અન્ય ગુરુના આશ્રયણરૂપ ઉપસંપદા સ્વીકારવાનું પ્રયોજન શું?
શંકાકારનો આશય એ છે કે, સાધુને જો વૈયાવૃજ્ય અને ક્ષપણા કરવી હોય તો સ્વગચ્છમાં રહીને જ વૈયાવચ્ચ અને ક્ષપણા કરે, પરંતુ અન્ય ગચ્છમાં જઈને વૈયાવૃજ્ય અને ક્ષપણા કરવાની શું જરૂર છે? માટે વૈયાવૃત્ત્વ નિમિત્તે અને ક્ષપણા નિમિત્તે અન્ય ગુરુના સ્વીકારરૂપ ઉપસંપદા સામાચારી છે, તેમ માનવાની જરૂર રહેતી નથી. તેનો ઉત્તર ગાથાના ઉત્તરાર્ધથી આપે છે –
સ્વગચ્છના સાધુઓ સાધુસામાચારીપાલનમાં પ્રમાદવાળા હોય ત્યારે તેઓની વૈયાવચ્ચ કરવામાં આવે તો તેમના પ્રમાદનું પોષણ થાય છે, જ્યારે અન્ય સાધુઓના સંયમની વૃદ્ધિમાં પોતે નિમિત્ત થાય તેવું વૈયાવચ્ચ કરનારનું પ્રયોજન હોય છે. તેથી સ્વચ્છમાં સાધુઓ પ્રમાદી હોય અને તેવા પ્રમાદીની વૈયાવૃજ્ય કરતાં તેઓનો પ્રમાદભાવ વધે તેમાં પોતે સહાયક થાય, તે ઉચિત પ્રવૃત્તિરૂપ બને નહીં. તેથી વૈયાવૃજ્યના અર્થી જે ગચ્છમાં પ્રમાદ ન હોય તે ગચ્છની નિશ્રા સ્વીકારીને તે અપ્રમાદવાળા મહાત્માની વૈયાવચ્ચ કરે; અને સ્વગચ્છમાં પ્રમત્તતા ન હોય તો વૈયાવૃત્ય માટે અન્ય ગચ્છના આશ્રયનું કોઈ પ્રયોજન નથી.
ક્ષપણા કરવાના અર્થી સાધુ જો સ્વગચ્છમાં ક્ષપણા કરે, અને જો ક્ષપણાના કાર્યમાં આવશ્યક એવી ઉચિત સારસંભાળ કરવા માટે સ્વગચ્છ અસમર્થ હોય, અથવા તો સ્વગચ્છમાં કોઈ અન્ય સાધુ ક્ષપણા કરતા હોય તેથી તે સાધુની ક્ષપણા માટેની ઉચિત પ્રવૃત્તિમાં ગચ્છ રોકાયેલો હોય, અને પોતાને ક્ષપણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org