________________
ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૨
૪૭૯ ભાવાર્થ :
ગાથા-૮૯માં ગ્રંથકારે કહ્યું કે, નિશ્ચયનય વય અને પર્યાયને પ્રમાણ માનતો નથી અને વ્યવહારનય વય અને પર્યાયને પ્રમાણ માને છે. ત્યાં પ્રશ્ન થયો કે તો પછી પ્રવૃત્તિ કયા નયથી કરવી ? તેથી ખુલાસો કર્યો કે પ્રવૃત્તિ ઉભયનયને આશ્રયીને કરવી જોઈએ. ત્યાં “નનુ' થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, જો આ રીતે= ગાથા-૮૯માં કહ્યું એ રીતે, ઉભયનયનું આશ્રયણ યુક્ત હોય તો વ્યાખ્યાનના અવસરમાં, જ્ઞાનજ્યેષ્ઠને વંદન કરાય છે એ સ્થાનમાં, પર્યાયજ્યેષ્ઠને પણ વ્યવહારનયથી કર્તવ્ય એવું વંદન કેમ કરાતું નથી ? કેમ કે નિશ્ચયનય જેમ જ્ઞાનગુણને આશ્રયીને જ્ઞાનજ્યેષ્ઠને વંદન સ્વીકારે છે, તેમ વ્યવહારનય દીર્થસંયમપર્યાયથી જ્યેષ્ઠને વંદન સ્વીકારે છે. માટે વ્યાખ્યાનના અવસરમાં જેમ નિશ્ચયનયને આશ્રયીને જ્ઞાનજ્યેષ્ઠને વંદન થાય છે, તેમ વ્યવહારનયને આશ્રયીને દીર્થસંયમપર્યાયવાળાને પણ વંદન કરવું જોઈએ, જેથી ઉભયનયનું આશ્રયણ થાય. આ પ્રકારની શંકામાં કહે છે --
ગાથા :
उभयगहणा य णियणियठाणे कहियस्स सेवणं सेयं । तेण ण कत्थइ कस्सवि दोसोऽगहणे वि णायव्यो ।।९२ ।।
છાયા :उभयग्रहणाच्च निजनिजस्थाने कथितस्य सेवनं श्रेयः । तेन न कुत्रचित् कस्याऽपि दोषोऽग्रहणेऽपि ज्ञातव्यः ।।९२ ।। અન્વયાર્થ :
૩મય દUTI અને ઉભયજયના ગ્રહણથી–નિશ્ચયનય અને વ્યવહારનય એ બંને નયના ગ્રહણથી, ળિય ળિયટા તિજ તિજ સ્થાનમાં દિયસ્સ=કથિતનું કહેવાયેલા નયનું, સેવ સેયં સેવન શ્રેય છે (કલ્યાણકારી છે), તેveતે કારણથી તિજ તિજ સ્થાનમાં કહેવાયેલા નયનું સેવન શ્રેય છે, તે કારણથી, ત્ય=કોઈક સ્થાને વિ=કોઈકતા પણ વિ અગ્રહણમાં પણ ન ઢોસો નાવ્યોદોષ જ્ઞાતવ્ય નથી. I૯રા. ગાથાર્થ :
અને ઉભયનયના ગ્રહણથી નિજ નિજ સ્થાનમાં કહેવાયેલા નયનું સેવન કલ્યાણકારી છે, તે કારણથી, કોઈક સ્થાને કોઈકના પણ અગ્રહણમાં પણ દોષ જ્ઞાતવ્ય નથી. II૯૨ાા ટીકા -
उभयत्ति । उभयग्रहणाच्च-निश्चयव्यवहारोभयाश्रयणाच्च, निजनिजस्थाने स्वस्वावसरे, कथितस्यउक्तस्य, सेवनं श्रेय:-कल्याणावहम् । यत्काले व्यवहारप्रतिबद्धं कार्यमनुज्ञातं तत्काले तदेव कर्त्तव्यम्, यत्काले
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org