SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૫ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૧ જે વ્યવહારનયનું સ્થાન છે, તે નિશ્ચયનયનું પણ સ્થાન છે. આમ છતાં, જેનો પૂર્વમાં કોઈ પરિચય નથી તેવા નવા સાધુ આવ્યા હોય, વર્તમાનમાં કોઈ અનુચિત પ્રવૃત્તિ કરતા દેખાતા ન હોય; અને સાધુવેષમાં સામાન્ય રીતે જે સમિતિ, ગુપ્તિ આદિ ગુણો કહ્યા છે, તે આ આગંતુક સાધુમાં પણ હશે, એ પ્રકારની સંભાવનારૂપ ગુણનું પ્રતિસંધાન દેખાય છે, તેથી ત્યાં તે આગંતુક નવા સાધુને હાથ જોડીને “મર્થીએણ વંદામિ’ કહેવા દ્વારા શ્રાવક ફેટાવંદન કરે, તેવી વિધિ છે; કેમ કે સાધુવેષ ધારણ કરેલો છે, કોઈ અનુચિત પ્રવૃત્તિ કરતા નથી, માટે તેમને ફેટાવંદન કરવું તે ઉચિત વ્યવહાર છે. તોપણ શુદ્ધ આલય-વિહારાદિ આચરણાઓ હજી જોવાનો પ્રસંગ પ્રાપ્ત થયો નથી, તેથી શુદ્ધ આલય-વિહારાદિ આચારો દ્વારા તેઓમાં ગુણનો નિશ્ચય નથી. માટે તેવા આગંતુક સાધુને વંદનકાળમાં વ્યવહારનયથી ફેટાવંદન થાય છે, ત્યાં નિશ્ચયનયનો લેશ પણ અવકાશ નથી; કેમ કે હજી ગુણનો નિશ્ચય થયો નથી માટે આવા પ્રકારના નિશ્ચયના અસ્થાનમાં નિશ્ચયનયનો પ્રતિક્ષેપ=નિષેધ કરીને પણ વ્યવહારનય પ્રવૃત્તિ કરાવે છે. આથી પ્રસ્તુત આગંતુક સાધુમાં આલય-વિહારાદિ, સમિતિ-ગુપ્તિરૂપ ગુણો છે, તેવો નિર્ણય નહીં હોવા છતાં માત્ર વેષના બળથી ગુણનું પ્રતિસંધાન કરીને વ્યવહારનયથી “મર્થીએણ વંદામિ' રૂપ ફેટાવંદન કરવામાં આવે છે. તેથી એવું કોઈ વ્યવહારનું સ્થાન નથી કે જે નિશ્ચયનું સ્થાન ન હોય' આ વાત એકાંતે નથી. પરંતુ સાપેક્ષ છે. ઉત્થાન : ગાથાના પૂર્વાર્ધનું વર્ણન કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે – ટીકા : उक्तमभियुक्तसम्मत्या प्रमाणयति-एतद्-व्यवहारस्य बलिकतरत्वं, ‘ववहारो वि हु बलवं' इत्यादिकवचनसिद्धम् । ..ववहारो वि हु बलवं जं छउमत्थं पि वंदई अरहा । जा होइ अणाभिन्नो जाणंतो धम्मयं एयं ।।' इति हि भाष्यकारो (मू.भा.१२३) बभाण । युक्तं चैतत्, कृतकृत्यस्याप्यर्हतो व्यवहाराविघातेच्छायास्तस्य' मोक्षाऽनङ्गत्वेऽसंभवात् । न च तस्य तथाविधेच्छा न युक्तियुक्ता, वीतरागत्वव्याहतेः' इति दिगम्बरकुचोद्यमाशङ्कनीयम्, अनभिष्वङ्गरूपाया इच्छाया रागाऽनात्मकत्वात्, प्रत्युत तस्याः कारुण्यरूपत्वात् । व्यवस्थितं चैतन्नन्दिवृत्तौ“क्वचिदर्हतामिच्छाभावानभिधानं तु रागाऽयोगमात्राभिप्रायात्” इति बोध्यम् ।।११।। ટીકાર્ય : ઉત્તમfમયુવર ..... વમા | ઉક્તને=વ્યવહારનય પણ સ્વાસ્થાનમાં બલિકતર છે એ રૂપ કહેવાયેલાને, પ્રમાણભૂત છે એમ, અભિયુક્તની સંમતિથી=પૂર્વાચાર્યની સંમતિથી, સ્થાપન કરે છે - १. व्यवहारोऽपि हु बलवान् यद् छद्मस्थमपि वन्दतेऽर्हन् । यावद् भवति अनभिज्ञातः जानन् धर्मतामेताम् ।। ૨, વ્યવદારચેત્વર્થઃ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy