________________
४७४
ઉપસંપદા સામાચારી | ગાથા : ૧ ઉચિત છે. તેમ પ્રસ્તુતમાં પણ ગૃહસ્થના ક્ષાયિક સમ્યગ્દર્શન ગુણને આશ્રયીને સાધુને તેના પ્રત્યે અંતરંગ બહુમાનભાવ થાય અને તેના કારણે તેના દર્શનગુણની પ્રશંસા કરે તે ઉચિત છે, પરંતુ ધર્મના લાઘવને કરાવે તેવી વંદનની અનુચિત પ્રવૃત્તિ કરે તે ઉચિત નથી અને તેમ કરવાથી વ્યવહાર નિરપેક્ષ એવા નિશ્ચયનયનું અવલંબન કલ્યાણનું કારણ બનતું નથી. માટે વ્યવહારના સ્થાને વ્યવહાર બલવાન છે.
અહીં પ્રશ્ન થાય કે, જેમ વ્યાખ્યાનકારને નિશ્ચયનયનું અવલંબન લઈને દીર્થસંયમપર્યાયવાળા સાધુ વ્યાખ્યાનશ્રવણકાળમાં વંદન કરે છે ત્યારે, વ્યવહારનયનો પ્રતિક્ષેપ થાય છે, તેમ પ્રસ્તુતમાં પણ સાધુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને વંદન કરે તો શું વાંધો ?
તેને ગ્રંથકાર કહે છે કે, વ્યાખ્યાનકાળમાં વ્યાખ્યાનકારના વ્યાખ્યાનગુણને આશ્રયીને દીર્થસંયમપર્યાયવાળા વંદન કરે છે, તે વ્યવહારનું સ્થાન નથી પરંતુ નિશ્ચયનું સ્થાન છે; અને નિશ્ચયનયના સ્થાનમાં વ્યવહારનયનો પ્રતિક્ષેપ કરાય તેમાં કોઈ દોષ નથી. જેમ વ્યવહારના અસ્થાનમાં વ્યવહારનો પ્રતિક્ષેપ થઈ શકે છે, તેમ નિશ્ચયનયના અસ્થાનમાં નિશ્ચયનો પ્રતિક્ષેપ પણ થઈ શકે છે. માટે અસ્થાનનો પ્રતિક્ષેપ વ્યવહારનય અને નિશ્ચયનયમાં સમાન છે.
અહીં કોઈ પૂર્વપક્ષી કહે કે, એવું કોઈ વ્યવહારનું સ્થાન નથી કે જે નિશ્ચયનયનું અસ્થાન હોય.
આશય એ છે કે જે જે વ્યવહારનાં સ્થાનો છે ત્યાં ગૌણરૂપે પણ નિશ્ચયનયનું સ્થાન છે, તેવો સામાન્ય નિયમ છે; આથી સાધુની આલય-વિહારાદિની શુદ્ધિને જોઈને વંદનવ્યવહાર શાસ્ત્રને માન્ય છે. તેથી જેમ વેષ વ્યવહારની દૃષ્ટિએ વંદનીય છે, તેમ આલય-વિહારાદિની વિશુદ્ધિથી નિશ્ચયનયને માન્ય એવા ગુણનું પ્રતિસંધાન થાય, ત્યારે વ્યવહારનય વંદન સ્વીકારે છે. તેથી વ્યવહારનયના સ્થાનમાં ગૌણરૂપે નિશ્ચયનયનું પણ સ્થાન છે જ. માટે જ્યાં જ્યાં સાધુને વંદન કરવામાં આવે છે, ત્યાં ત્યાં નિશ્ચયનયનું પણ સ્થાન છે અને વ્યવહારનયનું પણ સ્થાન છે. ફક્ત નિશ્ચયનયને માન્ય ગુણનું પ્રતિસંધાન ગૌણ છે અને વ્યવહારનયને માન્ય વેષ પ્રધાન છે. પરંતુ જો નિશ્ચયનયનું સ્થાન ન હોય અને માત્ર વ્યવહારનયનું સ્થાન હોય તેવું સ્થાન સ્વીકારીએ તો પ્રગટ પ્રતિસવી એવા ગુણહીન, વેષધારી સાધુને પણ વંદન સ્વીકારવું પડે; કેમ કે પ્રગટ પ્રતિસવી પણ સાધુવેષમાં છે. આ પ્રકારના આશયને સામે રાખીને પૂર્વપક્ષી કહે છે કે એવું કોઈ વ્યવહારનું સ્થાન નથી કે જે નિશ્ચયનું સ્થાન ન હોય.
તેને ગ્રંથકાર કહે છે કે, તારે આ પ્રમાણે ન કહેવું. તેના નિરાકરણ માટે હેતુ આપે છે કે, વંદ્યમાં દોષનું અપ્રતિસંધાન હોય અને ગુણનું પ્રતિસંધાન હોય, ત્યારે વ્યવહારનયનો સ્વીકાર હોવા છતાં પણ નિશ્ચયનયને અવકાશ નથી.
આશય એ છે કે સામાન્ય રીતે જે સાધુ આલય-વિહારાદિ શુદ્ધ પાળતા હોય અને સાધુવેષધારી હોય, ત્યારે “આ ગુણવાન છે અને સાધુવેષમાં છે, માટે વંદનીય છે,' તેવી બુદ્ધિથી વંદન કરવામાં આવે છે. ત્યાં ગુણની ઉપસ્થિતિ થઈ તેને આશ્રયીને જે વંદન થાય છે તે નિશ્ચયનયનું સ્થાન છે, અને ગુણની ઉપસ્થિતિપૂર્વક અને આ સાધુવેષમાં છે તેવી પ્રતીતિથી જે વંદન થાય છે તે વ્યવહારનયનું સ્થાન છે. તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org