________________
૨૮૨
પ્રતિપૃચ્છા સામાચારી/ ગાથા: ૫૧ प्रत्यवायप्रसङ्गादिति दिग् ।।५१।। ટીકાર્થ:
અને આ કાર્યાતરાદિ ‘ષ્યન્તર' પંચાશક-૧૨, શ્લોક-૩૧, એ પ્રમાણેની ગાથાથી પ્રતિપાદન કરાયેલા જાણવા. ‘નન્તર' ..... શ્લોકનો અર્થ આ પ્રમાણે છે –
“અન્ય કાર્ય હોય અથવા તે કાર્ય વડે પ્રયોજન નથી અથવા અન્ય અવસર વડે કરવું અથવા અન્ય તે કાર્યને કરશે અથવા કરાઈ ગયું છે, આવા આદિ ગુરુના વિકલ્પો છે, જે પ્રતિપુચ્છા કરવામાં હેતુ છે."
અને આનો=આ ગાથાનો, આ અર્થ છે – ફરી પુછાયેલા જગુરુ કદાચ (૧) પૂર્વે આદિષ્ટ કાર્યથી અન્ય કાર્યને આદેશ કરે, (૨) અથવા તે પૂર્વઆદિષ્ટ કાર્ય વડે કાર્ય નથી=પ્રયોજન નથી, એ પ્રમાણે કહે, (૩) અથવા કાલાંતર વડે અથવા અવસરાંતર વડે (આ કાર્ય કરવું એ પ્રમાણે અનુજ્ઞા આપે,
(૪) અથવા અધિકૃતથી ભિન્ન શિષ્ય જેને કાર્ય સોંપ્યું છે તેનાથી ભિન્ન શિષ્ય, તે કાર્ય કરશે એ પ્રમાણે કહે,
(૫) અથવા કોઈના વડે આ કાર્ય કરાયું છે, એ પ્રમાણે પ્રતિપાદન કરે,
(૬) અથવા આદિ શબ્દથી=મૂળ ગાથામાં કહેલા “માફિયા' ના આદિ શબ્દથી, તે જ કાર્યવા= પૂર્વમાં બતાવેલ કાર્યતા, વિશેષતે કહે,
તે-પૂર્વમાં વર્ણન કર્યા તે આ કાર્યની જિજ્ઞાસા વડે (શિષ્યને) પ્રતિપૃચ્છાનું ઉચિતપણું છે, એ પ્રકારનો ભાવ છેeતાત્પર્ય છે.
અને આવા પ્રકારની જિજ્ઞાસા વિના જ પૂર્વના ગુરુના ઉપદેશના પાલતથી જ ઈષ્ટસિદ્ધિ હોવાથી પ્રતિકૃચ્છા વડે શું?" એ પ્રમાણે તે કહેવું; કેમ કે ગુરુના ઉપદેશથી કંઈક ચિર વિલંબમાં=કંઈક વિલંબતવાળા કાર્યમાં, પ્રતિપૃચ્છાના અવસરનું પ્રાપ્તપણું હોવાને કારણે તેના=પ્રતિપૃચ્છાના, અકરણમાં પ્રત્યવાયનો પ્રસંગ છે. આ પ્રમાણે દિશાસૂચન છે. પિ૧TI ભાવાર્થ :
ગાથામાં કહ્યું કે, કાર્યાન્તરાદિ જાણવાના હેતુથી પ્રતિકૃચ્છા કરાય છે અને તે કાર્યાન્તરાદિ પંચાશક૧૨, ગાથા-૩૧ થી પ્રતિપાદિત જાણવા. તે આ પ્રમાણે –
(૧) જ્યારે ગુરુને શિષ્ય ફરી પૂછવા જાય ત્યારે ગુરુને જણાય કે પૂર્વમાં કહેવાયેલ કાર્ય કરતાં આ અન્ય કાર્ય જો આ શિષ્ય કરશે તો તેને ઘણી નિર્જરા થશે અને આ પૂર્વમાં કહેવાયેલ કાર્ય બીજાના માટે ઉચિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org