________________
૨૮૧
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : ૫૧ પાલનકૃત નિર્જરારૂપ ફળને પામી શકે નહિ. પરંતુ જે સાધુઓ કષાયોને પરવશ થયા વિના સુદઢ યત્નપૂર્વક ભગવાનના વચનાનુસાર સમ્યક ક્રિયા કરે છે અને સંયમના પરિણામમાં પણ દઢ યત્ન કરે છે, તેવા ધીર પુરુષો પ્રતિપૃચ્છા સામાચારીનું પાલન કરી શકે છે, એ ફલિતાર્થ છે.
આ પ્રતિપૃચ્છા સામાચારી કાર્યવિધાનકાળમાં કરવાની છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, કોઈ કાર્ય અંગે સવારે ગુરુને પૂછતાં ગુરુએ તે કાર્ય સાંજે કરવાનું કહ્યું હોય, અને શિષ્ય તે કાર્ય કરવા અંગેનો કાળ= સાંજનો સમય થાય તે પહેલાં ગમે ત્યારે જઈને પુનઃ પૃચ્છા કરી આવે કે “સાંજે હું આ કાર્ય કરું ?” તો તે પ્રતિપૃચ્છા સામાચારી ન બની શકે, પરંતુ કરણકાળ પ્રાપ્ત થાય ત્યારે પ્રતિપૃચ્છા કરી તે કાર્ય કરે તો જ તે પ્રતિપૃચ્છા સામાચારી બને.
ગુરુએ પૂર્વમાં શિષ્યને તે કાર્ય કરવાનું કહ્યું હોય આમ છતાં તે કાર્ય કરતી વખતે ગુરુને ફરી પૂછવાનું કારણ શું ? તે બતાવવા માટે કહે છે કે, વિવક્ષિત કાર્ય કરતાં અન્ય કાર્યાદિ જાણવા માટે ફરી પ્રતિકૃચ્છા કરવામાં આવે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે, સવારે ગુરુએ વિવક્ષિત કાર્ય સાંજે કરવા માટે શિષ્યને કહ્યું હોય, અને કરણકાળે શિષ્ય પ્રતિપૃચ્છા કરે ત્યારે ગુરુને જણાય કે “આ કાર્ય કરવા કરતાં અન્ય કાર્ય શિષ્ય માટે ઉચિત છે; કારણ કે તેનાથી તેને અધિક લાભ થાય તેમ છે,” આવું જ્ઞાન કરવા માટે પ્રતિપુચ્છા કરવામાં આવે છે અથવા તો પૂર્વમાં જે કાર્ય ગુરુએ કરવા માટે કહ્યું હતું અને તે કાર્ય કરવા જેવું ત્યારે ગુરુને જણાતું પણ હતું, આથી તે કાર્યને ગુરુએ સાંજના કરવા અંગે શિષ્યને કહ્યું હતું, પરંતુ હવે કોઈક કારણથી તે કાર્ય કરવાની આવશ્યકતા નથી તેવું ગુરુને જણાતાં, ગુરુ શિષ્યને તે કાર્યનો નિષેધ પણ કરે, ઈત્યાદિ જાણવા માટે ફરી પ્રતિપૃચ્છા કરવામાં આવે છે, જેથી ઉચિતકાળે ઉચિત કૃત્ય કરીને પોતે નિર્જરારૂપ ફળને પામે. ટીકા :
कार्यान्तरादीनि चामूनि - 'कज्जन्तरं, ण कज्जं तेणं, कालांतरेण कति । अण्णो वा तं काहिति, कयं व एमाइआ हेऊ ।।
(पंचा. १२-३१) इति गाथाप्रतिपादितान्यवसेयानि । अस्याश्चायमर्थः-प्रतिपृष्टो हि गुरु: कदाचित् (१) प्रागादिष्टकार्यादन्यत्कार्यमादिशेत्, (२) तेन प्रागादिष्टेन कार्येण न कार्य=न प्रयोजनमिति वा ब्रूयात्, (३) कालान्तरेण, अवसरान्तरेण वा कार्यमिति वाऽनुजानीयात्, (४) अन्यो वाऽधिकृतभिन्नः शिष्यस्तत्करिष्यतीत्यभिदध्यात्, (५) कृतं वेदं केनचिदिति प्रतिपादयेत्, (६) आदिशब्दात्तस्यैव वा कार्यस्य विशेषं ब्रूयात् । तदेतत्कार्यजिज्ञासया प्रतिपृच्छौचित्यमिति भावः । न चैतादृशजिज्ञासां विनैव पूर्वगुरूपदेशपालनादेवेष्टसिद्धेः किं प्रतिपृच्छया ? इति वाच्यम्, गुरूपदेशात्कियच्चिरविलम्बे प्रतिपृच्छाया अवसरप्राप्ततया तदकरणे
१. कार्यान्तरं, न कार्यं तेन, कालान्तरेण कार्यमिति । अन्यो वा तत्करिष्यति, कृतं चैवमादिका हेतवः ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org