SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ ઉપસંપદા સામાચારી | ગાથા : ૧ ઉત્થાન : અહીં કોઈ કહે કે દર્શનઆરાધના અર્થે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને વંદનમાં ઉભયનયનું આશ્રયણ ન હોય તોપણ નિશ્ચયનયનું આશ્રયણ હોવાથી નિશ્ચયનયની આરાધના થશે, માટે દોષ નથી. તેથી કહે છે - ટીકાર્ય : જેતરાશ્રયને .... રૂતિ ભાવ: | અવ્યતરના આશ્રયણમાં=નિશ્ચયનય અને વ્યવહારનયમાંથી એકાંતે કોઈ એકનું આશ્રયણ કરવામાં, અન્યતરની વિરાધનાનો પ્રસંગ છે=જેનું આશ્રયણ કરાય તેનાથી અન્યની વિરાધનાનો પ્રસંગ છે, એ પ્રકારનો ભાવ છે મૂળ ગાથામાં “પુર્વ વવદરો વિરદિગો’ એમ જે કહ્યું, તે કથનનો ભાવ છે. ભાવાર્થ - પૂર્વ ગાથામાં કહ્યું એનાથી, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પણ સાધુ દ્વારા વંદ્ય થશે, એ પ્રકારે વ્યવહારનય દ્વારા નિશ્ચયનયને અપાયેલું દૂષણ ઉભયનયમતના સ્વીકાર વડે નિરાકરણ થયું. તેમાં યુક્તિ બતાવે છે – જે કારણથી આ રીતે સ્વીકારવામાં વ્યવહારનય વિરાધિત થાય છે. આશય એ છે કે, દર્શનગુણની આરાધના માટે નિશ્ચયનયની દૃષ્ટિથી ગુણને પ્રધાન કરીને સાધુ ગૃહસ્થને વંદન કરે તો વ્યવહારની વિરાધના થાય છે, તે કારણથી ગૃહસ્થને સાધુ વંદન કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે, જેમ વાચના સમયે વ્યાખ્યાનકાર દીર્ધસંયમપર્યાયવાળા સાધુઓ દ્વારા વંદ્ય થાય છે, ત્યાં વ્યવહારની વિરાધના નથી, તેમ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થના વંદનમાં પણ વ્યવહારનયની વિરાધના ન સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – છાપ વિનાની ચાંદી જેવા યતિવેષરહિત સંયમવાળાને પણ વ્યવહારનય વંદન સ્વીકારતો નથી, તેથી અવિરતિવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને કઈ રીતે વ્યવહારનય વંદન સ્વીકારી શકે? અર્થાતુ ન સ્વીકારી શકે. અહીં પ્રશ્ન થાય કે, જેમ વ્યાખ્યાનકાળમાં નિશ્ચયનયને અવલંબીને દીર્ધસંયમપર્યાયવાળા વંદન કરે છે, તેમ નિશ્ચયનયને અવલંબીને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને વંદન કરવામાં સાધુને શું વાંધો ? તેથી કહે છે – વ્યાખ્યાન કરનાર સંયમપર્યાયથી લઘુ હોવા છતાં વિશુદ્ધ યતિલિંગવાળા છે અને સુવિદિત છે, તેથી ટંક સહિત (મહોરછાપવાળા) ચાંદી જેવા છે, માટે તેમને વંદન કરવામાં ઉભયનયનું આશ્રયણ સંભવે છે. આશય એ છે કે, વ્યાખ્યાનકારને વ્યાખ્યાન સમયે વંદન કરાય છે ત્યારે જ્ઞાનગુણને સામે રાખીને વંદન કરાય છે, તેથી ત્યાં નિશ્ચયનય પ્રધાન છે, તોપણ તે વ્યાખ્યાનકાર વિશુદ્ધ યતિલિંગવાળા છે, તેથી વ્યવહારનો બાધ આવતો નથી, ગૌણરૂપે ત્યાં વ્યવહારનયનો પણ આશ્રય છે, આમ ઉભયનયનું આશ્રયણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy