SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૮ પ્રમાણે અવતરણિકામાં કહેલ છે. આથી એ પ્રાપ્ત થાય કે, સાધુના સંયમગુણને સામે રાખીને જે સાધુગુણથી યુક્ત હોય તેને ભગવાન વંદન કરવાનું કહે છે; કેમ કે સંયમીના સંયમની અનુમોદના અર્થે તે વંદનક્રિયા છે, અને તેવા સ્થાને શાસ્ત્રવિરુદ્ધ આચરણા કરનારા સાધુને વંદના થઈ શકે નહીં. આમ છતાં શાસ્ત્રવિરુદ્ધ આચરણા કરનારા પણ જો શાસ્ત્રોના અર્થોને ભણેલા હોય, અને તેવા શાસ્ત્રના અર્થોને ભણાવવા માટે અન્ય કોઈ ગીતાર્થો ઉપલબ્ધ ન હોય, ત્યારે, પ્રગટ પ્રતિસવી પાસે પણ સુસાધુઓ તે શાસ્ત્રો ભણવા માટે જાય છે; અને તે સમયે પોતે સંયમી છે છતાં જેની પાસે શાસ્ત્ર ભણવાનાં છે તેવા પાસત્થા સાધુમાં રહેલા પ્રવચનના બોધને સામે રાખીને તેમને દ્વાદશાવર્તવંદન કરે છે, ત્યાર પછી પ્રવચન ભણે છે. આ વંદન તેમના સંયમને નથી, પરંતુ તેમનામાં વર્તતા પ્રવચનના બોધને છે. આ વંદન અપવાદથી છે, તેમ કહેવાનો આશય એ છે કે, ઉત્સર્ગથી તો સુસાધુ પાસે ભણવાનું છે, તેથી પ્રગટ પ્રતિસેવીને વંદન કરવાનો અવસર આવે નહીં, પરંતુ કોઈક એવા સંયોગને કારણે તેવા અર્થને ભણાવનાર સુસાધુ પ્રાપ્ત ન થાય ત્યારે અપવાદથી પ્રગટ પ્રતિસવી પાસે ભણવાનું છે અને તે વખતે તેમને અવશ્ય વંદન કરવાનું છે, એ પ્રમાણે ભગવાન કહે છે. પ્રગટ સેવીના વંદનમાં દોષને જાણીને ભગવાને વંદનનો નિષેધ કર્યો, તેને વળી અપવાદથી વંદનની અનુજ્ઞા કેમ આપી ? એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે – પ્રવચનના અર્થને ગ્રહણ કરવા માટે અપવાદથી પ્રગટ પ્રતિસેવીને વંદન કરવામાં આવે ત્યારે તેમનામાં વર્તતા અસંયમ દોષોની અનુમોદનાનો પ્રસંગ આવતો નથી; કેમ કે તેમની પાસેથી પ્રવચનના અર્થગ્રહણ માટે પ્રગટ પ્રતિસવીને અપવાદથી વંદન છે, પરંતુ તેમનામાં રહેલા દોષમાં સંયમગુણનું આરોપણ કરીને સંયમગુણની અર્થિતાથી વંદન નથી. આશય એ છે કે, પ્રગટ પ્રતિસેવીને, “આ પ્રગટ પ્રતિસેવી છે' - તેમ ભણનાર પોતે જાણે છે, તેથી તેનામાં ચારિત્રનો આરોપ કરીને વંદન કરાતું નથી, પરંતુ પ્રગટ પ્રતિસેવામાં વર્તતા શ્રુતજ્ઞાનને સામે રાખીને તેમની પાસેથી શ્રુતજ્ઞાન ગ્રહણ કરવા માટે તેમનામાં રહેલા શ્રુત પ્રત્યેની ભક્તિથી તેમને દ્વાદશાવર્તવંદન કરાય છે. માટે પ્રગટ પ્રતિસેવામાં રહેલા શ્રુતની અનુમોદના થાય છે, પરંતુ તેમના અસંયમભાવની અનુમોદના થતી નથી. II૮૮II અવતરણિકા : अत्रैव विषये निश्चयव्यवहारनयद्वयमतमुपदर्शयति - અવતરણિતાર્થ : આ જ વિષયમાં=જ્યેષ્ઠત્વના વિચારના વિષયમાં, નિશ્ચયવ્યવહારદ્વયના મતને બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy