________________
ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૮
૪૫૭
-
અર્થાત્ ન હોય. એથી કરીને કહે છે=એ પ્રકારની શંકાને સામે રાખીને તેના નિવારણ અર્થે કહે છે અર્થાત્ પ્રગટ પ્રતિસેવીને અપવાદથી વંદન કેમ અનુજ્ઞાત છે ? તેમાં હેતુ કહે છે – તદ્ગત અસંયમાદિની ઉપબૃહણાનો અયોગ છે=અનુમોદનાનો અપ્રસંગ છે.
* ‘તાતાઽસંયમાવીનાં’ અહીં ‘ઞપિ’ થી પ્રગટ પ્રતિસેવીથી થતા ધર્મલાઘવની પણ અનુમોદના નથી, તેમ ગ્રહણ કરવું.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, પ્રગટ પ્રતિસેવીના વંદનમાં તેની અનુમોદના કેમ નથી ? તેની યુક્તિ બતાવે છે
ટીકાર્થ ઃ
प्रवचन ग्रहणार्थि સ્પર્શેડપીતિ | પ્રવચનગ્રહણની અર્થિતામાત્રથી ખરેખર આ વંદન છે= અપવાદથી પ્રગટ પ્રતિસેવીને આ વંદન છે, પરંતુ તદ્ગત ગુણઅર્થિતાનો સ્પર્શ પણ નથી=પ્રગટ પ્રતિસેવીમાં રહેલા દોષોમાં ગુણના આરોપણરૂપે ગુણની અર્થિતાનો સ્પર્શ પણ નથી. ‘તિ’ શબ્દ કથનની સમાપ્તિમાં છે.
* ‘સ્પર્શેડપીતિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, તદ્ગુણઅર્થિતાનો સ્પર્શ હોય તો અનુમોદનાનો પ્રસંગ આવે, પરંતુ સ્પર્શ પણ નથી, તેથી અનુમોદનાનો પ્રસંગ નથી.
ઉત્થાન :
અહીં જિજ્ઞાસા થાય કે, પ્રવચનગ્રહણની અર્થિતાથી વંદન કરાય છે તે વખતે તત્સહવર્તી પ્રમાદદોષની અનુમોદના કેમ પ્રાપ્ત નહીં થાય ? અને તેનું તાત્પર્ય શું, કે જેથી અનુમોદના નથી ? તેથી કહે છે – ટીકાર્થ --
यथा चैतत्तत्वं પ્રતન્યતે ।।૮૮ ।। અને જે પ્રમાણે આનું તત્ત્વ છે=પ્રવચનઅર્થિતાથી પ્રગટ પ્રતિસેવીને વંદન કરવામાં તત્કૃત દોષોની અનુમોદનાનો પ્રસંગ નથી એ કથનનું તત્ત્વ છે, તે પ્રમાણે ‘અધ્યાત્મમત પરીક્ષા' ગ્રંથ ગાથા-૫૮માં વિવૃત છે. અહીં વિસ્તારના ભયથી વિસ્તાર કરાતો નથી=બતાવાયું નથી. ૮૮।।
ભાવાર્થ:
– ઃ કૃતઃ થી પ્રતન્યતે સુધીનો ભાવ આ પ્રમાણે છે ઃ
મૂળ ગાથામાં ‘તઃ’ શબ્દ છે. તેનો અર્થ પાતનિકામાં=અવતરણિકામાં, વ્યાખ્યાત છે. એમ કરેલ છે અને તે અર્થ આ પ્રમાણે છે - જે કારણથી પ્રવચનની આરાધના અર્થે આ અનુભાષકજ્યેષ્ઠને વંદન છે, એથી કરીને અપવાદથી પ્રગટ પ્રતિસેવીને પણ=પ્રગટ રીતે શાસ્ત્રવિરુદ્ધ આચરણા કરનારને પણ, સૂત્ર ગ્રહણ કરતી વખતે દ્વાદશાવર્તવંદન દ્વારા વંદન કરવાનું ભગવાને કહેલ છે એમ ગાથામાં બતાવશે, એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org