SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ ઉપસંપદા સામાચારી, ગાથા : ૮૮ અવતરણિકા : यतः प्रवचनाराधनार्थमात्रमेतद्वन्दनम्, अतश्चारित्रहीनस्याप्येतद्गुणस्यापवादतो वन्द्यत्वमित्यनुशास्ति - અવતરણિકાર્ચ - જે કારણથી પ્રવચનના આરાધના માટે કેવલ આ વંદન છે, આથી કરીને, ચારિત્રહીન પણ આ ગુણવાળા=અનુયોગદાન ગુણવાળાને, અપવાદથી વંધપણું છે, એ પ્રમાણે અનુશાસન કરે છે – * “વરિત્રહીનચાવેતદ્ પુસ્થાપવાવતી’ અહીં ‘’ થી ચારિત્રવાળાનો સમુચ્ચય છે. ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે, અર્થના વ્યાખ્યાન વખતે વ્યાખ્યાનગુણને આશ્રયીને પર્યાયથી લઘુ એવા પણ સાધુને અર્થશ્રવણ કરનાર યેષ્ઠપર્યાયવાળા સાધુ પણ વંદન કરે. તેને પુષ્ટ કરવા અર્થે કહે છે કે, પ્રવચનની આરાધના માટે આ વંદન છે અર્થાત્ અર્થવ્યાખ્યાનકાળમાં અર્થવ્યાખ્યાન કરનાર સાધુને કે અનુભાષક સાધુને જે વંદન કરાય છે, તે માત્ર પ્રવચનની આરાધના માટે છે, પરંતુ ચારિત્રની આરાધના માટે નથી. આથી કરીને ક્યારેક ચારિત્રગુણથી હીન પાસે પણ વ્યાખ્યાન શ્રવણ કરવાનો પ્રસંગ હોય તો અપવાદથી તેમને વંદન કરાય છે, તેમ ગાથામાં બતાવશે. આ અપવાદના કથનથી નક્કી થાય છે કે, જો ચારિત્રહીનને પણ અર્થ ભણવા માટે અપવાદથી વંદન કરી શકાય, તો ચારિત્રગુણથી સંપન્ન અર્થવ્યાખ્યાન કરતા હોય તો પર્યાયથી જ્યેષ્ઠ એવા સાધુ પણ તેમની પાસે અર્થ ભણવા માટે બેસે ત્યારે વંદન કરે તે ઉચિત છે; કેમ કે આ વંદન ચારિત્રગુણને આશ્રયીને નથી, પરંતુ અર્થવ્યાખ્યાન કરનાર સાધુમાં વર્તતા વ્યાખ્યાનગુણને આશ્રયીને છે. ગાથા : एत्तो अववाएणं पागडपडिसेविणो वि सुत्तत्थं । वंदणयमणुण्णायं दोसाणुववूहणाजोगा ।।८८ ।। છાયા : इतोऽपवादेन प्रकटप्रतिसेविनोऽपि सूत्रार्थम् । वंदनकमनुज्ञातं दोषाणामुपबृंहणाऽयोगात् ।।८८ ।। અન્વયાર્થ - ત્તિો આથી કરીને પ્રવચતની આરાધના માટે માત્ર આ વંદન છે, આથી કરીને, લવવા= અપવાદથી પાકકિવિનો વિ=પ્રગટ પ્રતિસેવીને પણ સુન્નત્યં સૂત્રાર્થના ગ્રહણ માટે વંચમguyયંત્ર વંદન અનુજ્ઞાત છે; કેમ કે ઢોસાળુવવ્રVIનોત્રદોષોની ઉપબૃહણાનો=અનુમોદનાનો, અયોગ છે. I૮૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy