SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૭ ૪૫૩ જે સાધુ થાય છે, અને પોતે સંયમમાં ઉત્થિત નથી, તેથી પોતે ગુણરહિત છે, તેમ ભગવાનના શાસ્ત્રોના બોધથી સ્વયં જાણે છે, તોપણ પોતાની ગુણરહિતતા લોકમાં ન જણાવતાં, પોતે ગુણસંપન્ન છે તેવું લોકોને બતાવીને બીજાને વંદન કરાવે છે, તેવા સાધુને કર્મબંધ થાય છે; કેમ કે ગુણસ્થાનકની પરિણતિ પોતાનામાં વર્તતી નથી તેવું જાણવા છતાં, લોકમાં પોતે હીન ન દેખાય તદર્થે પોતાની હીનતા બતાવતા નથી, તેથી તેવા સાધુને વંદન કરાવવામાં દોષ પ્રાપ્ત થાય છે. પારમાર્થિક રીતે જેઓ સંયમના પરિણામને વહન કરતા હોય અને તેમના સંયમના ભાવોને આશ્રયીને લોકો વંદન કરતા હોય તો તે વંદનક્રિયા ઉચિત છે. પરંતુ બીજા જીવો તો તેના સાધુવેશ અને બાહ્ય આચારો દ્વારા સંયમનું આરોપણ કરીને સંયમની આરાધના અર્થે તેને વંદન કરે છે. તેથી જો આવા સાધુ વિચારક હોય તો વિચારી શકે કે, “મારી પાસે વેષ છે, બાહ્ય આચરણા છે, તોપણ સંયમને ઉચિત યતના નથી, માટે મારામાં સંયમગુણ નથી, તેથી લોક દ્વારા કરાતા વંદનનો મારે સ્વીકાર કરાય નહીં.” પરંતુ જે સાધુઓ તેવું વિચારતા નથી અને વંદન કરતા લોકોને નિષેધ પણ નથી કરતા, તેમને કર્મબંધ થાય છે. અહીં કહ્યું કે, “સગુણભાવથી લોકમાં પોતે પ્રસિદ્ધ છે, એ કથન દ્વારા પરવંદનયોગ્યતાપ્રકાર ઉપદર્શિત કરાયેલો થાય છે.” તેનો આશય એ છે કે, સામાન્ય લોક બાલ અને મધ્યમ પ્રકારનો હોય છે. બાલજીવો વેષને જોનારા હોય છે અને મધ્યમ બુદ્ધિના જીવો આચારને જોનારા હોય છે. આથી વેષ અને આચારો જોઈને લોકો આ સાધુ વંદનયોગ્ય છે, તેમ નક્કી કરે છે. તેથી લોકમાં તેવા સાધુ સગુણભાવથી વિખ્યાત બને છે અને લોકમાં જે સગુણભાવથી વિખ્યાત છે, તેના દ્વારા લોકો આ વંદનયોગ્ય છે, તેમ માને છે. તેથી સામાન્ય રીતે આ સાધુ વંદનીય છે કે નહીં તેનો નિર્ણય તેના વેષ અને આચારથી થાય છે. એ ઉપરના કથનથી બતાવાયું. તેની પુષ્ટિ માટે ષોડશક ગ્રંથની સાક્ષી આપી. એનાથી એ ફલિત થાય કે, બાલ અને મધ્યમ બુદ્ધિના જીવો લિંગ અને આચારવાળા હોય તેને વંઘ સ્વીકારે છે; કેમ કે બાલ અને મધ્યમ જીવો લિંગ અને આચારમાત્રને જુએ છે; જ્યારે બુધ તો તે સાધુના આગમતત્ત્વની પરીક્ષા કરે છે અને આગમતત્ત્વને જુએ છે. માટે આગમતત્ત્વ અનુસારે ઉત્સર્ગ-અપવાદની ઉચિત આચરણાઓ કરતા હોય તેવા સાધુને તેઓ વંદનીય માને છે. પરંતુ આવા બુધ પુરુષો તો લોકમાં પરિમિત હોય છે, મોટા ભાગના જીવો બાલ અને મધ્યમ હોય છે, અને તેથી વેષ અને સ્થૂલ આચારના બળથી આ વંદનને યોગ્ય છે તેમ લોકમાં સાધુ વિખ્યાત થાય છે. માટે સગુણભાવથી વિખ્યાતપણાને કારણે લોકો દ્વારા વંદનની યોગ્યતાને બતાવેલ છે, એમ અહીં કહેલ છે. ટીકા ઃ स हि दुरात्मा.स्वतो जातभ्रमं मुग्धजनं कुपथादनिवारयन् विश्वासघातपातककलङ्कपङ्कलिप्तान्तःकरणतया दुरन्तमोहग्रस्तो भवतीति भवतु तस्य परवन्दापने दोष:, प्रकृते तु ततोऽत्यन्तविलक्षणस्य प्रशस्तलक्षणस्यानुभाषकज्येष्ठस्य जगद्गुरुवचनाराधनार्थितामात्रेणाध्येतारं वयःपर्यायाभ्यां ज्येष्ठ मपि वन्दापयतः कथं दोषः ? बीजाभावादिति વિવેચનીયમંતવ્।।૮૭ || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy