SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૮૭ ગાથાર્થ : સગુણભાવથી વિખ્યાત ગુણવાન તરીકે પ્રખ્યાત એવા પોતાના આત્માને ગુણરહિત જાણતા છતાં બીજાને વંદન કરાવતા એવા સાધુને માયાદિભાવને કારણે દોષ છે. દિ શબ્દ ઉપદર્શનમાં છે. ll૮૭ી ટીકા : ___ जाणंतस्स हि त्ति । आत्मानं स्वम् अगुणं गुणरहितं, जानतः अध्यवस्यतः, हि: उपदर्शने । कीदृशमात्मानम् ? सगुणभावेन गुणवद्रूपतया, विख्यातं लोके प्रसिद्धम्, एतेन परवन्दनयोग्यताप्रकारोपदर्शनं कृतं भवति, बालमध्यमयोर्लिङ्गवृत्ति(? त्त) - मात्रमपेक्ष्य प्रवृत्तशीलत्वात्, “बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ।।" (षोड. १/२) इति वचनात् । परं-स्वारोपितगुणाराधनेच्छाशालिनं, वन्दापयत: वन्दनं कारयतः, दोष:-कर्मबन्धः, मायादिभावेन-कपटादिपरिणामेन, भवति । ટીકાર્ય : નાગંતસ દિત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે. આત્માનેકસ્વને, અગુણગુણરહિત, જાણતા=અધ્યવસાય કરતાને, કેવા પ્રકારના આત્માને અગુણભાવે જાણે છે? તેથી કહે છે - સગુણભાવથીeગુણવાનરૂપપણા વડે=હું ગુણવાન છું તે સ્વરૂપે, વિખ્યાત લોકમાં પ્રસિદ્ધ એવા પોતાના આત્માને અગુણભાવે જાણતા અને પરને વંદન કરાવતા કર્મબંધ થાય છે, અર્થાત્ પર=સ્વ-આરોપિત-ગુણ-આરાધન-ઈચ્છાશાલીને સ્વ દ્વારા=વંદન કરનાર દ્વારા, તે વંધમાં આરોપિત એવો જે ગુણ, તે ગુણની આરાધના કરવાની ઈચ્છાવાળા એવા બીજાને, વંદ્વાપતિ: વંદન કરાવતાને, માયાદિભાવને કારણે કપટાદિ પરિણામને કારણે, કર્મબંધરૂપ દોષ થાય છે, એમ આગળ સાથે સંબંધ છે. તૈન=આનાથી પૂર્વમાં કહ્યું કે, સગુણભાવથી લોકમાં પ્રસિદ્ધ છે એનાથી, પરવંદન-યોગ્યતા-પ્રકાર લોકો દ્વારા વંદનયોગ્યતા પ્રકાર, ઉપદર્શન કરાવેલ થાય છે; કેમ કે બાલ અને મધ્યમનું લિંગ અને વૃત્તિમાત્રની અપેક્ષા રાખીને પ્રવૃતિશીલપણું છે. તેમાં હેતુ કહે છે - “બાલ લિગને જુએ છે, મધ્યમબુદ્ધિ વૃત્તને આચારને, વિચારે છે અને વિદ્વાન વળી સર્વ યત્નથી આગમતત્ત્વની પરીક્ષા કરે છે" - એ પ્રમાણે ષોડષક પ્રકરણ-૧/૨ નું વચન છે. મૂળ ગાથામાં ‘દિ' શબ્દ ઉપદર્શન અર્થમાં છે. તેથી ગાથામાં કેવી વ્યક્તિને વંદન કરાવતાં દોષ થાય છે અને કેવી વ્યક્તિને વંદન કરાવતાં દોષ થતો નથી, તેનું પ્રસ્તુત ગાથામાં ઉપદર્શન થાય છે. * ‘માયટિમાવેન પટાઢિપરિમેન' અહીં ‘’િ થી મૃષાવાદનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પોતાના સાધુવેશને કારણે અને પોતાના બાહ્ય આચારોને કારણે લોકમાં પોતે ગુણવાનરૂપે વિખ્યાત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy