SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૮૭ સ્થાનમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પણ યતિને વંદન કરી શકે નહીં, તેમ માનવાનો પ્રસંગ આવે; કેમ કે ક્ષાયિક સમ્યક્તની અપેક્ષાએ યતિ કરતાં ગૃહસ્થ અધિક છે અને ચારિત્રની પરિણતિની અપેક્ષાએ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ કરતાં યતિ અધિક છે. તેથી બંનેને સમાન સ્વીકારીએ તો યતિને પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ વંદન કરી શકે નહીં, તેમ સ્વીકારવું પડે. વસ્તુતઃ યતિમાં રહેલા ચારિત્ર પરિણામને સામે રાખીને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પણ તેમને વંદન કરે છે તે જેમ ઉચિત છે, તેમ અર્થવ્યાખ્યાનકાળમાં વ્યાખ્યાનશક્તિ ગુણને સામે રાખીને દીર્થસંયમપર્યાયવાળા સાધુ પણ વંદન કરે તે ઉચિત છે; કેમ કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ સંયમપર્યાય આરાધ્ય છે, માટે ચારિત્રીને વંદન કરીને તે ગુણ પોતાનામાં વિકસાવવા પ્રયત્ન કરે છે. તેમ દીર્ધસંયમપર્યાયવાળા સાધુમાં પણ અર્થવ્યાખ્યાનની શક્તિ નથી, તેથી અર્થવ્યાખ્યાનશક્તિવાળા સાધુને વંદન કરીને અર્થવ્યાખ્યાનશક્તિ પ્રત્યેના આદરભાવની વૃદ્ધિ કરવા અર્થે તે પ્રયત્ન કરે છે, જેથી અર્થશ્રવણકાળમાં તે અર્થો પોતાનામાં સમ્યગુ પરિણમન પામે.JIટકા અવતરણિકા - उक्तमेव विवेचयितुं यथा वन्दापने दोषस्तथाह - અવતરણિતાર્થ : ઉક્ત *વ્યાખ્યાનગુણથી અધિક એવી વ્યક્તિને પર્યાયથી અધિક એવી વ્યક્તિ વંદન કરે તો આશાતના નથી, એ કથન જે પૂર્વ શ્લોકમાં કર્યું તે કહેવાયેલું જ વિવેચન કરવા માટે કયા સ્થાનમાં વંદન કરાવવામાં દોષ છે? અને કયા સ્થાનમાં વંદન કરાવવામાં દોષ નથી ? તે સ્પષ્ટ કરવા માટે, જે પ્રમાણે વંદાપનમાં=વંદન કરાવવામાં, દોષ છે, તે પ્રકારે કહે છે – ગાથા : जाणंतस्स हि अगुणं अप्पाणं सगुणभावविक्खायं । वंदावंतस्स परं दोसो मायाइभावेणं ।।८७।। છાયા : जानतो ह्यगुणमात्मानं सगुणभावविख्यातम् । वन्दापयतः परं दोषो मायादिभावेन ।।८७।। અન્વયાર્થ: સામાવવવાથં=સગુણભાવથી વિખ્યાત ગુણવાન તરીકે પ્રખ્યાત, એવા સવા પોતાના આત્માને શુieગુણરહિત નાગંતસં=જાણતા પરં વંવાવંતસ=બીજાને વંદન કરાવતા એવા સાધુને માયારૂમાવેv=માયાદિભાવને કારણે ટોણો દોષ છે. દિ=શબ્દ ઉપદર્શનમાં છે. I૮૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy