________________
ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૬ નોંધ :- ‘વન્દ્રમાનસ્ય’ પછી ટીકામાં ‘જ્ઞ’ કાર હોવાની સંભાવના છે. તેથી તે પ્રમાણે અમે અર્થ કરેલ છે.
ટીકાર્યઃ
૫૦
આ=વક્ષ્યમાણ, મ્યાત્=થાય=પૂર્વપક્ષીના મત પ્રમાણે આ થાય. એ રીતે પણ=કોઈક અપેક્ષાએ પર્યાયથી જ્યેષ્ઠ કરતાં પણ વ્યાખ્યાનશક્તિવાળાને રાત્વિક કહ્યા એ રીતે પણ, સમાનગુણપણું જ પ્રાપ્ત થયું=વ્યાખ્યાનશક્તિવાળાનું પર્યાયજ્યેષ્ઠની સાથે સમાનગુણપણું જપ્રાપ્ત થયું, અધિક નહીં; કેમ કે વંધનું જ્ઞાનગુણની અપેક્ષાએ જઅધિકપણું છે અને વંદન કરનારનું=પર્યાયજ્યેષ્ઠનું, ચારિત્રગુણની અપેક્ષાએ અધિકપણું છે, એમ જો તું કહેતો હો તો તારી વાત સત્ય છે=અર્ધસત્ય છે.
કઈ અપેક્ષાએ તારી વાત સાચી નથી, તેમાં હેતુ બતાવે છે -
વંધગત સ્વ-આરાધ્ય ગુણાધિકનું જ=વંદકના આરાધ્ય ગુણ અધિકતું જ, અપેક્ષિતપણું છે. અન્યથા=એવું ન માનો તો=વંઘગત સ્વ-આરાધ્ય ગુણાધિકનું જ અપેક્ષિતપણું છે એવું ન માનો તો, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થની અપેક્ષાએ પણ ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ એવા યતિઓને અવંધત્વનો પ્રસંગ આવશે, એ પ્રમાણે દિશાસૂચન છે. ૧૮૬૫
* ‘વપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, પર્યાયની દૃષ્ટિએ વિચારીએ તો પર્યાયજ્યેષ્ઠ જ્યેષ્ઠ છે, લઘુ નથી; પરંતુ અનુયોગદાનની અપેક્ષાએ લઘુ પણ પર્યાયવાળાને રાત્વિક કહ્યા, એ રીતે પણ, બંને સમાન પ્રાપ્ત થયા. * ‘ક્ષાવિતમ્ય વૃષ્ટિįદસ્થાપેક્ષવાડપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, લઘુપર્યાયવાળા વ્યાખ્યાનશક્તિકુશળ દીર્ઘસંયમપર્યાયવાળાથી અવંઘ છે, એમ પૂર્વપક્ષીના મત પ્રમાણે સ્વીકારીએ તો, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા સાધુની અપેક્ષાએ તો ક્ષાયોપમિક તિ અવંઘ છે, પરંતુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થની અપેક્ષાએ પણ ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ યતિઓને અવંદ્યત્વ સ્વીકારવાનો પ્રસંગ આવે.
ભાવાર્થ:
અહીં પૂર્વપક્ષી કહે કે, પૂર્વમાં તમે સ્થાપન કર્યું એ રીતે, જેમ સંયમપર્યાયની અપેક્ષાએ દીર્ઘસંયમપર્યાયવાળા રાત્વિક છે, તેમ વ્યાખ્યાનગુણની અપેક્ષાએ અલ્પસંયમપર્યાયવાળા પણ રાત્વિક છે, એમ સ્વીકારીએ તો બંનેમાં સમાનગુણપણું જ પ્રાપ્ત થાય, અને વ્યાખ્યાનશક્તિવાળામાં દીર્ઘસંયમપર્યાયવાળા કરતાં આધિક્ય નથી તેમ પ્રાપ્ત થાય. તેને ગ્રંથકાર કહે છે કે, તારી વાત સાચી છે. તેં કહ્યું એ અપેક્ષાએ બંને સમાન છે, તોપણ જ્યારે અર્થગ્રહણની વાચના ગ્રહણ કરવા માટે બેસે છે ત્યારે દીર્ઘસંયમપર્યાયવાળા સાધુથી પણ આરાધ્ય ગુણ અર્થવ્યાખ્યાન છે, અને તે અર્થવ્યાખ્યાન ગુણ અધિક વ્યાખ્યાનશક્તિવાળામાં છે, માટે તે અપેક્ષાએ તેને વંદન કરે તો કોઈ દોષ નથી. અને એમ ન માનવામાં આવે, અને એમ સ્વીકારવામાં આવે કે, કોઈક અપેક્ષાએ જેમ દીર્ઘસંયમપર્યાયવાળા અધિક ગુણવાળા છે, તેમ કોઈક અપેક્ષાએ વ્યાખ્યાનશક્તિવાળા અધિક ગુણવાળા છે, તે રીતે બંને સમાન હોવાથી વ્યાખ્યાનકાળમાં અધિકસંયમપર્યાયવાળા અલ્પસંયમપર્યાયવાળાને વંદન કરી શકે નહીં તો; કોઈક ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ હોય અને ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ એવા યતિઓ હોય તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org