SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૬ ઉત્થાન : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ યુક્તિ આપીને સ્થાપન કર્યું કે, અનુયોગદાનસમયે પર્યાયજ્યેષ્ઠ રાત્નિકને વંદન થઈ શકે નહીં. માટે વાચના સમયે અનુયોગદાતાને વંદનની વિધિ ઉચિત નથી. તેનું નિરાકરણ કરીને સિદ્ધાંત સ્થાપન કરતાં ગ્રંથકારે પ્રથમ બતાવ્યું કે, અનુયોગદાનસમયે પ્રકૃતિ જે વંદનવિધિ છે, ત્યાં જ્યેષ્ઠ શબ્દથી સૂત્રોના અર્થવિશેષને કહેનાર જ્ઞાનવિશેષગુણને આશ્રયીને જ્યેષ્ઠ જાણવો. ત્યાં પ્રશ્ન થાય કે, ગાથા૮૫માં પૂર્વપક્ષીએ કહેલ કે, વ્યાખ્યાનગુણને આશ્રયીને જ્યેષ્ઠ ગ્રહણ કરવામાં આવે તો રાત્વિકને વંદન કરાવતાં તે વ્યાખ્યાન કરનારને આશાતના લાગશે. તેથી હવે આશાતનાદોષનો પરિહાર કઈ રીતે થાય છે, તે બતાવતાં કહે છે – ટીકાર્ચ - સારાતિના ... ન મૂત્રવિરાથર્નતિ ભાવ: I આશાતનાદોષતા પરિવારના પ્રકારને કહે છે – અને તે પણ અને વ્યાખ્યાતગુણથી અધિક પણ, ‘હતું' શબ્દ નિશ્ચયતા અર્થમાં છે. વ7 નિશ્ચયથી, તે ગુણ વડે=જ્ઞાનવિશેષગુણ વડે, રાત્વિક=૨નાધિક છે. તિ-દેતી એ હેતુથી, દોષ નથી=આશાતના નથી. કેમ દોષ નથી તે સ્પષ્ટ કરે છે. હીતગુણવાળાને ખરેખર અધિકગુણવંદાપનમાં અધિક ગુણવાળા પાસે વંદન કરાવવામાં, નિષેધ છે, પરંતુ અધિક ગુણવાળાને પણ નિષેધ નથી=અધિક ગુણવાળાને હીતગુણવાળા પાસે વંદન કરાવવાનો નિષેધ નથી. એથી કરીને સૂત્રવિરાધના નથી, એ પ્રકારનું તાત્પર્ય છે. * ‘ોડપિ=ચાળાનાળાધોગવિ' અહીં ‘વિર થી એ કહેવું છે કે, પર્યાયને આશ્રયીને જ્યષ્ઠ તો રાત્વિક છે જ, પણ વ્યાખ્યાનગુણને આશ્રયીને લઘુપર્યાયવાળા પણ રાત્નિક છે. *ધવાચાપતિ’ અહીં ‘રિ' થી એ કહેવું છે કે, હિનગુણવાળાને તો અધિકગુણવંદાપનનો નિષેધ છે, પરંતુ અધિક ગુણવાળાને પણ નિષેધ નથી. ભાવાર્થ : ગાથા-૮૪-૮૫માં પૂર્વપક્ષીએ કહેલ કે, અર્થગ્રહણની વાચના પૂર્વે વંદન સ્વીકારવામાં આવે તો પર્યાયયેષ્ઠને વંદન કરવું પડે અને તે વંદન અર્થવાચના વખતે ઉચિત કહેવાય નહીં, કેમ કે પર્યાયયેષ્ઠ તો વ્યાખ્યાનશક્તિવિકલ પણ હોઈ શકે.વળી વ્યાખ્યાનશક્તિવાળા લઘુપર્યાયવાળા અનુયોગ આપનારને પર્યાયજ્યેષ્ઠનું વંદન સ્વીકારવામાં સૂત્રની વિરાધના થશે. માટે અર્થની વાચના વખતે વંદન સ્વીકારવું ઉચિત નથી, એ પ્રકારની શંકાનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકાર કહે છે - જેમ સંયમપર્યાયથી દીર્થસંયમવાળા રાત્નિક છે, તેમ વ્યાખ્યાનગુણને આશ્રયીને અલ્પપર્યાયવાળા સાધુ પણ રાત્નિક છે; અને તેવા રાત્નિકને અર્થવ્યાખ્યાન સમયે દીર્ધસંયમવાળા રાત્નિકો વંદન કરે તો પણ દોષ નથી; કેમ કે હીનગુણવાળા અધિકગુણવાળાને વંદન કરાવે તો સૂત્રવિરાધના થાય; પરંતુ જેમ દીર્થસંયમપર્યાયવાળા સંયમપર્યાયની અપેક્ષાએ અધિકગુણવાળા છે, તેમ અર્થવાચનાની શક્તિની અપેક્ષાએ લઘુસંયમપર્યાયવાળા સાધુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy