SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ઉપસંપદા સામાચારી / ગાથા: ૮૪-૮૫ વંદન કરવું તે પણ એક અંગ છે, અને જે વ્યાખ્યાન કરનાર હોય તેને વંદન કરવું તે અર્થગ્રહણ ક્રિયાનું અંગ બની શકે, પરંતુ જે અનુયોગ અર્પણ કરનાર નથી, તેવા પર્યાયથી જ્યેષ્ઠ કે વયથી જ્યેષ્ઠને વંદન અનુયોગનું અંગ ન બની શકે; કેમ કે વ્યાખ્યાનલબ્લિનિકલ એવા પર્યાયથી જ્યેષ્ઠ સાધુને વંદન કરવાથી વ્યાખ્યાન પ્રત્યેનો બહુમાનભાવ વ્યક્ત થતો નથી. તેથી અનુયોગ શ્રવણ કરતી વખતે વ્યાખ્યાનલબ્લિનિકલ પર્યાયથી જ્યેષ્ઠ કે વયથી જ્યેષ્ઠને વંદન કરવું તે વ્યાખ્યાનને સમ્યક્ પરિણમન પમાડવારૂપ ઈચ્છિત ફળ પ્રત્યે અનુપકારક છે. આશય એ છે કે, વ્યાખ્યાનશ્રવણ પ્રસંગે વ્યાખ્યાનને સમ્યગુ પરિણમન કરવામાં વ્યાખ્યાનનાં જેટલાં અંગો હોય તેમાં જ પ્રવૃત્તિ કરવી ઉચિત ગણાય. આથી વ્યાખ્યાનના પ્રારંભમાં ભૂમિપ્રમાર્જનાદિ કરીને મંગલાચરણરૂપે કાયોત્સર્ગ કરાય છે, જે વ્યાખ્યાન સમ્યક્ પરિણમન પમાડવામાં કારણ બને છે. તે રીતે વ્યાખ્યાનના અંગરૂપ વંદનની ક્રિયા પણ તેવી હોવી જોઈએ કે જે વ્યાખ્યાનને સમ્યક પરિણમન કરવામાં કારણ બને; અને તે વખતે જે વ્યાખ્યાન કરવા સમર્થ નથી, તેવા સંયમપર્યાયથી જ્યેષ્ઠ કે વયથી જ્યેષ્ઠ હોય તેવા સાધુને વંદન કરવું, તે વ્યાખ્યાન સમ્યફ પરિણમન પમાડવાનું અંગ બને નહીં. માટે પર્યાયથી જ્યેષ્ઠ કે વયથી જ્યેષ્ઠને વંદન સ્વીકારી શકાય નહીં. ગાથા-૮૪ની ટીકાના અંતે ‘થમનાતપ્રધાનમ પ્રર્નવ” એમ કહ્યું, તેનો અર્થ એ છે કે, અહીં પ્રધાનક્રિયા અનુયોગગ્રહણ છે અને તે ક્રિયાનાં અંગો વંદન કરવું, ભૂમિ પ્રમાર્જના કરવી આદિ છે. તે સર્વ અંગો ભેગાં થઈને તે પ્રધાનક્રિયા સૂત્રના સમ્યગુ બોધરૂપ ફળને આપનાર છે. હવે સાધુઓ, અર્થ ગ્રહણ કરતી વખતે વ્યાખ્યાનશક્તિ વગરના, પર્યાયથી જ્યેષ્ઠ સાધુને વંદન કરે, તો તે વંદનક્રિયા અર્થગ્રહણક્રિયાની ફલપ્રાપ્તિનું અંગ બનતી નથી. તેથી એ વંદનક્રિયા પ્રધાનનું અંગ નથી=અર્થગ્રહણરૂપ પ્રધાનક્રિયાનું અંગ નથી, એ બતાવવા માટે એ વંદનક્રિયા અજાતપ્રધાનઅંગવાળી છે, તેમ કહેલ છે. અને અજાતપ્રધાનઅંગવાળી એવી= પ્રધાનક્રિયાના અંગરૂપે નહીં થયેલી એવી, તે ક્રિયા કેવી રીતે ફલવાન થાય ?=કેવી રીતે ફલપ્રાપ્તિનું કારણ થાય ? અર્થાત્ કૃતના સમ્યક્ પરિણમનરૂપ ફલપ્રાપ્તિનું કારણ ન થાય. તેથી જો એમ સ્વીકારવામાં આવે છે, જે અનુયોગ આપે છે તેને સાધુઓએ વંદન કરવાનું છે, તો અનુયોગ આપનાર ક્વચિત્ વયથી નાના પણ હોય અને સંયમપર્યાયથી પણ નાના હોય, અને અનુયોગ સાંભળનાર સાધુઓ પર્યાયથી મોટા હોય; તે વખતે પર્યાયથી જ્યેષ્ઠ એવા સાધુઓ અનુયોગ આપનાર સાધુને વંદન કરે તો પર્યાયથી મોટા સાધુને વંદન કરાવવાથી વ્યાખ્યાન આપનાર પર્યાયથી નાના સાધુને સૂત્રની વિરાધનાની પ્રાપ્તિ થશે; કેમ કે દીર્ઘકાળના પ્રવ્રજિત સાધુને નાના સાધુઓએ વંદન કરાવવાનો શાસ્ત્રમાં નિષેધ છે. માટે વ્યાખ્યાન સાંભળવાના અંગરૂપે વંદનક્રિયાનો સ્વીકાર અનુચિત છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો સંક્ષેપ અર્થ છે. ll૮૪૮પા અવતરણિકા - सिद्धान्तयति - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy