SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૪-૮૫ ટીકાર્યઃ હવે જો પર્યાયથી, ઉપલક્ષણથી વયથી પણ લધુજોપિ=લઘુ પણ, વ્યાખ્યાતગુણને=અનુયોગઅર્પણ-અનુકૂલ જ્ઞાનગુણને, પ્રીત્ય=આશ્રયીને, જ્યેષ્ઠ=અધિક, ઈચ્છાય છે, તદા=તો, રાત્વિકને વંદન કરાવતા એવા આને પણ=વ્યાખ્યાનગુણને આશ્રયી જ્યેષ્ઠને પણ, આશાતના થાય છે=સૂત્રવિરાધના થાય છે; કેમ કે ચિરકાલ પ્રવ્રુજિતને લઘુતા વંદાપનનો=વંદન કરાવવાનો, નિષેધ છે. જ્યેષ્ઠ પછી મૂળ ગાથામાં રૂતે શબ્દ અધ્યાહાર છે. તે જણાવવા માટે ટીકામાં કૃષ્ચત રૂતિ શેષઃ કહેલ છે. મૂળ ગાથામાં ‘સાસાયળા’ પછી ‘મતિ’ શબ્દ અધ્યાહાર છે. તે બતાવવા માટે ટીકામાં મવતિ શેષઃ કહેલ છે. ૪૪૫ * મૂળ ગાથામાં ‘પર્યાયે’ શબ્દ છે, ત્યાં ઉપલક્ષણથી ‘વયથી પણ’ એમ ગ્રહણ કરવાનું છે. * મૂળ ગાથામાં ન=વિ એ પ્રકારનો નિર્દેશ હોવાથી તવા એ અર્થથી પ્રાપ્ત થાય છે. * ટીકામાં ‘વેતિ નિર્દેશાત્’ ત્યાં ‘વીતિ નિર્દેશાત્’, એ પ્રકારનો પાઠ હોવો જોઈએ. ‘તહેવ’=‘તત્’=તસ્માત્=પૂર્વકથનના નિગમનને બતાવવા માટે તસ્માત્ શબ્દ છે. તેથી=તે કારણથી, વં=આ રીતે=પૂર્વમાં ગાથા ૮૪-૮૫માં વર્ણન કર્યું એ રીતે, ગતિદ્વયનો નિષેધ હોવાથી=જ્યેષ્ઠ શબ્દથી પર્યાયને આશ્રયીને જ્યેષ્ઠ કે અનુયોગ–અર્પણ-ગુણને આશ્રયીને જ્યેષ્ઠ, બંને ગ્રહણ કરવારૂપ ગતિદ્વયનો નિષેધ હોવાથી, અને ગત્યંતરનો અભાવ હોવાથી=બીજા વિકલ્પનો અભાવ હોવાથી, અહીં=અનુયોગ અર્પણામાં, વંદન કરવું અયુક્ત છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો સંક્ષેપ છે. II૮૫II * ‘વયસાડપિ’ અહીં ‘પ’ થી પર્યાયનો સમુચ્ચય છે. * ‘નયુોડપિ’= નવુવિ’ અહીં ‘વિ’ થી ગુરુનો સમુચ્ચય છે. * ‘અસ્યાપિ’=‘વ્યાઘ્યાનનુાં પ્રતીત્વ જ્યેષ્ઠસ્થાપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, રાત્વિકને તો લઘુઅનુયોગદાતાને વંદન ક૨વું અનુચિત છે, પણ પર્યાયથી જ્યેષ્ઠને–રાત્વિકને વંદન કરાવનાર લઘુઅનુયોગદાતાને પણ આશાતનારૂપ સૂત્રવિરાધના છે. ભાવાર્થ - પૂર્વ ગાથા-૮૦માં સ્થાપન કર્યું કે, કાયોત્સર્ગ કર્યા પછી વ્યાખ્યાન સાંભળનાર દ્વાદશાવર્તવંદન કરે, ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે કે, જ્યેષ્ઠને વંદન કરવાનું શાસ્ત્રમાં અનુજ્ઞાત છે, તેથી અનુયોગદાન અવસરે પર્યાયથી મોટા કે વયથી મોટાને વંદન કરવું જોઈએ, એ અર્થ પ્રાપ્ત થાય; અને તેમ સ્વીકારીએ તો વ્યાખ્યાન માંડલીમાં કોઈ પર્યાયથી કે વયથી જ્યેષ્ઠ સાધુ હોય અને વ્યાખ્યાનલબ્ધિ વિનાના હોય તેઓને વંદન સ્વીકારવું પડે. અને અનુયોગદાન વખતે પર્યાયથી મોટા કે વયથી મોટાને વંદન કરવું, એ અર્થગ્રહણ કરતી વખતે અનુપયોગી છે; કેમ કે પ્રસ્તુત વંદન અનુયોગનું અંગ છે અર્થાત્ અર્થગ્રહણ ક્રિયાનાં અનેક અંગો છે, તેમાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy