SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૩ પછી અનુભાષકને દ્વાદશાવર્તવંદનથી સાધુઓ વંદન કરે છે, અને વંદન કર્યા પછી અનુભાષક, ગુરુએ જે સૂત્રનું વ્યાખ્યાન પૂર્વમાં કરેલું, તેને પોતાનાથી મંદબુદ્ધિવાળા સાધુઓને સ્પષ્ટ રીતે સમજાવે છે. તેથી તેમની પાસે પૂર્વમાં થયેલ અર્થવ્યાખ્યાનને ફરી સમજવા માટે તેના પ્રારંભમાં શિષ્યો દ્વારા દ્વાદશાવર્તવંદન કરાય છે. આ વિષયમાં અન્ય આચાર્યો કહે છે કે, વાચનાના કાળ પૂર્વે કાયોત્સર્ગ કર્યા પછી જ્યારે વાચનાદાતા ગુરુને દ્વાદશાવર્તવંદન કર્યું, તે અવસરમાં અનુભાષકને પણ દ્વાદશાવર્તવંદનથી વંદન કરવાનું છે. તેથી અન્ય આચાર્યોના મતે અનુભાષક જ્યારે અર્થવ્યાખ્યાનનો પ્રારંભ કરે ત્યારે દ્વાદશાવર્તવંદન કરવાનું નથી, પરંતુ ગુરુની અર્થવાચનાના પ્રારંભ પૂર્વે જ્યારે ગુરુને વંદન કરવાનું છે, તે જ અવસરમાં અનુભાષકને પણ વંદન કરવાનું છે. ગાથામાં ગુરુવંદ્રનવિસરે એમ કહેવાથી કોઈને એમ લાગે કે, ગુરુ અને અનુભાષકને એક દ્વાદશાવર્તવંદનથી વંદન કરવાનું છે; કેમ કે એક અવસરમાં વંદન કરવાનું કહેલ છે. તેથી ટીકાકાર ખુલાસો કરે છે કે, “ગુરુવંદ્રાવસરે’ નો અર્થ ‘ગુરુવંદ્રન અનંતરમૈવ’=ગુરુવંદન અનંતર જ, કરવાનો છે; કેમ કે ગુરુને વંદન અને અનુભાષકને વંદન એકકાળમાં બતાવવા અર્થે સ્થૂલકાળનું ઉપાદાનઃગ્રહણ છે. તેથી સૂક્ષ્મતાનું ગ્રહણ કરીએ તો એમ કહેવું પડે કે, પ્રથમ ગુરુને વંદન કરે, પછી અનુભાષકને વંદન કરે, તેથી તે બે કાળનો ભેદ પ્રાપ્ત થાય. પરંતુ સ્થૂલથી તે બંને કાળને એકરૂપે ગ્રહણ કરીને ગાથામાં ગુરુવંદનાવસરે એમ કહેલ છે. હવે સ્થૂલકાળનો વિભાગ કરીને વિચારીએ તો “ગુરુવંદન અવસરનો અર્થ ‘ગુરુવંદન અનંતર જ એમ પ્રાપ્ત થાય. અહીં “ગુરુવંદ્રનાવસરે માં ઇવ' કાર નથી છતાં ગુરુવંદન અનંતર જ એ પ્રમાણે જીવ’ કાર પ્રાપ્ત થવાનું કારણ એ છે કે, માત્ર ગુરુવંદન અનંતર એમ કહીએ તો ગુરુવંદન કર્યા પછી ગુરુની વાચનાની ક્રિયા કરીને પણ વંદન કરવામાં આવે તો ગુરુવંદન અનંતર એમ કહી શકાય. પરંતુ સ્થૂલકાળનું ઉપાદાન કરીને “ગુરુવંદન અવસરે કહ્યું, તેથી નક્કી થાય છે કે, ગુરુને વંદન કર્યા પછી અનંતર જ અનુભાષકને વંદન કરવાનું છે. તેથી “ગુરુવંદન અવસરેનો અર્થ “ગુરુવંદન અનંતર જ પ્રાપ્ત થાય છે, પરંતુ ગુરુવંદન અનંતર એવો “gવ' કાર રહિત અર્થ પ્રાપ્ત થાય નહીં. અહીં ‘વ’ કાર અવધારણરૂપ છે અને અવધારણનું વાક્યફલપણું હોવાથી “ગુરુવંદન અવસરે” એ કથનમાં, અનુભાષકને વંદન કરે છે, એ પ્રકારનો પૂર્વભાગમાંથી અનુગ પ્રાપ્ત થાય છે. આશય એ છે કે, પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે, વ્યાખ્યાન સમાપ્ત થયા પછી અનુભાષકને વંદન કરે છે; અને અન્ય વળી કહે છે કે, “ગુરુવંદન અવસરમાં'; અને પછી ગુરુવંદન અવસરનો અર્થ કર્યો, ગુરુવંદન અનંતર જ.” તેથી તેમાં રહેલો જીવ’ કાર એ બતાવે છે કે, આ વાક્ય અધૂરું છે અને ત્યાં કાંઈક આકાંક્ષા છે, જેથી પૂર્ણ અર્થ પ્રાપ્ત થાય; કેમ કે અવધારણ આખા વાક્યના ફળને બતાવનારું છે. તેથી નક્કી થાય છે કે, “ગુરુવંદનના અવસરમાં” કહેવાથી પૂર્વ ભાગમાંથી અનુભાષકને વંદન કરે છે, તેની અનુવૃત્તિ છે. ll૮૩ અવતરણિકા: अत्र कश्चित्प्रत्यवतिष्ठते - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy