________________
૪૪૦
ઉપસંપદા સામાચારી ગાથા : ૮૩ (૧) રાજા - રાજાની અતિ આસન્નભાવે જે રહેલા હોય તેમના પર રાજાને વિશ્વાસ હોવાને કારણે ગુપ્ત કાર્ય પણ રાજા તેની હાજરીમાં કરે છે. તેથી ક્યારેક કોઈક ગુપ્ત વાત અન્ય કારણે બહાર જાય તો તેના વિનાશ માટે થાય છે અને જો રાજાથી અતિ દૂર રહેવામાં આવે તો રાજાની મહેરબાનીકૃત લાભો મળતા નથી.
(૨) વહ્નિ :- વહ્નિથી અતિ આસન્નભાવે રહેવાથી બળી જવાનો પ્રસંગ આવે અને અતિ દૂર રહેવાથી ઠંડી દૂર કરવારૂપ ફળ પ્રાપ્ત થતું નથી.
(૩) ગુરુ :- ગુરુની પાસે અતિ નજદીક બેસવાથી શ્વાસોચ્છવાસાદિ લાગવાના કારણે આશાતના થાય છે અને દૂર રહેવાથી તેમનાં વચનોનું શ્રવણ સમ્યગુ થતું નથી.
(૪) સ્ત્રી :- સ્ત્રીને પોતાની બધી ગુપ્ત વાત કહેવા રૂપ અતિ આસન્નભાવ સ્ત્રીના શુદ્ર સ્વભાવને કારણે વિનાશનું કારણ બને છે અને અતિ દૂર રહેવાથી તેની ચંચળતાને કારણે તેના શિયળના વિનાશનો પ્રસંગ આવે અને ભોગાદિ ફળની પણ અપ્રાપ્તિ થાય છે.
મૂળ ગાથાના સાક્ષીપાઠ રૂપ આવશ્યકનિર્યુક્તિનું ઉદ્ધરણ આપેલ છે, તેનો ભાવ એ છે કે, અર્થશ્રવણ વખતે અતિ નજીક કે અતિ દૂર શિષ્યો ન બેસે; અને અર્થ શ્રવણ કરતી વખતે નિદ્રા ન આવે, અન્ય કોઈ વાતચીત ન થાય તે રીતે સાંભળવા બેસે. વળી મન-વચન-કાયાથી ગુપ્ત થઈને બેસે, જેથી મનોયોગ શાસ્ત્રના તાત્પર્યને પકડવા માટે અત્યંત વ્યાપૃત રહે. વળી, શ્રુતના બહુમાન અર્થે હાથ જોડીને બેસે અને અર્થસાર એવાં સુભાષિત વચનોની આકાંક્ષા રાખતા બેસે અર્થાતુ પોતાના જીવનમાં સંયમની વૃદ્ધિનું કારણ બને તેવાં તીર્થકરાદિથી કહેવાયેલાં અર્થસાર વચનોને સાંભળવાની અત્યંત આકાંક્ષાવાળા થઈને બેસે, જેથી અર્થદેશનામાંથી
જ્યાં જ્યાં પોતાના સંયમની વૃદ્ધિના કારણરૂપ બને તેવા વચનો આવે તે વચનોનું તે રીતે ગ્રહણ થાય. વળી ભગવાનનાં વચનોની પ્રાપ્તિથી જે અપૂર્વ પદાર્થો સાંભળવા મળે છે, તેના કારણે મુખ ઉપર વિસ્મયતા દેખાતી હોય અને મોક્ષમાર્ગના સૂક્ષ્મ ભાવોની પ્રાપ્તિને કારણે હૈયામાં હર્ષ પ્રગટ થયેલ હોય. વળી શિષ્યો પોતાને થયેલા બોધની અભિવ્યક્તિ બતાવીને ગુરુને પણ હર્ષ પેદા કરાવતા હોય, તેમ જ ભક્તિ-બહુમાનપૂર્વક અર્થમાં ઉપયોગ રાખીને સાંભળતા હોય, અને શિષ્યોને તે રીતે સાંભળતા જોઈને ગુરુને પણ પરિતોષ થાય છે; અને ગુરુ જ્યારે અપૂર્વ અર્થ બતાવે છે ત્યારે શિષ્યોના હૈયામાં ગુરુ પ્રત્યેની ભક્તિ વિશેષ ઉલ્લસિત થાય છે, અને અર્થ ગ્રહણ કરતી વખતે જે પ્રકારે વિનય કરવો જોઈએ તે પ્રકારે તેવો વિનય પણ કરે છે. તેનાથી ગુરુને પણ અર્થ આપવા માટેનો ઉલ્લાસ વધે છે અને તેના કારણે યોગ્ય શિષ્યો પણ ઈચ્છિત એવા સૂત્રના અર્થોનો શીધ્ર પાર પામે છે. દિશા
ગાથા :
वक्खाणंमि समत्ते काइयजोगे कयंमि वंदति । अणुभासगमन्ने पुण वयंति गुरुवंदणावसरे ।।८३।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org