________________
ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૨
૪૩૯
ઉચિત ભૂમિભાગમાં બેસે, આથી કરીને જ, “રાજા, વહ્નિ ગુરુ અને સ્ત્રીઓ મધ્યમ ભાવવડે સેવવા જોઈએ, અતિ આસન્ન રહેલા વિનાશને માટે (થાય છે) અને દૂર રહેલા ફળને આપનારા થતા નથી.” એ પ્રમાણે નીતિશાસ્ત્ર પણ કહે છે.
વિમુમ્ - તે=ગાથા-૮૨માં ગ્રંથકારે જે કહ્યું તે, આ=પૂર્વના વર્ણનથી ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત, આવશ્યકનિર્યુક્તિ ગાથા-૭૦૬/૭૦૯માં કહેવાયું છે. આવશ્યકનિર્યુક્તિની ગાથાનો અર્થ આ પ્રમાણે છે
-
“ગુરુવચનના સાંભળનારાઓ અતિ આસન્ન અને અતિ દૂર નથી હોતા"
“નિદ્રા-વિકથાપરિવર્જિત, ગુપ્તિથી યુક્ત, અંજલિપુટયુક્ત, અર્થસાર સુભાષિત વચનોની આકાંક્ષાવાળા, હર્ષ પામેલા વિસ્મિત મુખયુક્ત, ગુરુને હર્ષ ઉત્પન્ન કરાવતા, ઉપયુક્ત એવા શિષ્યોએ ભક્તિ-બહુમાનપૂર્વક સાંભળવું જોઈએ.”
“ગુરુને પરિતોષ થવાને કારણે, શિષ્યોની ગુરુભક્તિને કારણે અને તેવા પ્રકારના જ=શાસ્ત્ર ભણતી વખતે જે પ્રકારનો વિનય જોઈએ તેવા પ્રકારના જ, વિનયને કારણે (ગુરુ દ્વારા સમ્યક્ સદ્ભાવની પ્રરૂપણા થાય છે તેનાથી) શિષ્યો ઈચ્છિત સૂત્રાર્થનો શીઘ્ર પાર પામે છે.”
‘રૂતિ’ આવશ્યકનિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. II૮૨૫
નોંધ :- આવશ્યકનિર્યુક્તિની ટીકા અનુસાર અમે ઉપર્યુક્ત અર્થ કરેલ છે.
* ‘તતોઽપિ=ાયોત્સર્ગોત્સારાનન્તરવિ’ અહીં‘વિ’ થી એ કહેવું છે કે, કાયોત્સર્ગ પૂર્વે તો દ્વાદશાવર્ત વંદન કરે, પરંતુ કાયોત્સર્ગ પારીને પણ અનુયોગદાયક ગુરુને શિષ્યો વંદન કરે છે.
* ‘વિનાવિ’ અહીં ‘વિ’ થી આશાતના, સ્વશરીરસ્પર્શનું ગ્રહણ કરવું.
* ‘સભ્યાનુયોગશ્રવળાઘમાવપ્રસફ્ત્’ અહીં ‘વિ’ થી અર્થના અવધારણનો અભાવ ગ્રહણ કરવો.
* ‘નીતિવિ’ અહીં‘વિ’ થી એ કહેવું છે કે, શાસ્ત્ર તો કહે છે કે વાચનાચાર્ય પાસે અતિ દૂર કે અતિ નજીક બેસીને વાચના ન લેવી, પણ નીતિશાસ્ત્ર પણ કહે છે.
* ‘મવિદ્ઘમાનાવિના’ અહીં ‘વિ’ થી પાછળમાં સાક્ષીપાઠરૂપે આપેલ આવશ્યકનિર્યુક્તિની ગાથા-૭૦૮૭૦૯ એ બે ગાથામાં રહેલા અવશેષ વિશેષણોનો સંગ્રહ કરવો.
ભાવાર્થ:
અનુયોગદાતા અનુયોગની અર્પણા કરે ત્યારે શિષ્યો અતિ નજીક પણ નથી બેસતા, કેમ કે ગુરુની અતિ નજીક બેસવાથી અવિનયાદિનો પ્રસંગ આવે; અને અતિ દૂર પણ નથી બેસતા; કેમ કે અતિ દૂર બેસવાથી સમ્યગ્ અનુયોગશ્રવણાદિનો અભાવ થાય છે. આપણું શાસ્ત્ર તો આ વાત કરે છે પણ નીતિશાસ્ત્ર પણ આ વાત કરે છે કે – રાજા-વહ્નિ-ગુરુ અને સ્ત્રી - એ ચારને મધ્યમ ભાવે સેવવા જોઈએ; અતિ આસન્ન રહેલા વિનાશને માટે થાય છે અને અતિ દૂર રહેલા ફળને આપનારા થતા નથી. તે આ રીતે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org