________________
ઉપસંપદા સામાચારી/ ગાથા : ૮૨
૪૩૭ પૂર્વપક્ષીની સત્ય છે. આમ છતાં તે શાસ્ત્રશ્રવણની પ્રવૃત્તિના અનુષંગથી થયેલું મંગલ છે, તેથી પૃથગુ મંગલ કરવાથી જેવો ભાવ થાય છે, તેવો ભાવ આનુષંગિક મંગલથી થઈ શકે નહીં. માટે ભાવના અતિશય માટે અર્થશ્રવણનો પ્રારંભ કરતાં પૂર્વે કાયોત્સર્ગરૂપ પ્રથમ મંગલ કરવામાં આવે છે.
આશય એ છે કે, અર્થ શ્રવણ કરનારા સાધુઓ જ્યારે અર્થ શ્રવણ કરવા બેસે છે, ત્યારે પ્રથમ શ્લોકનો અર્થ સાંભળતાં તેમને આ શ્લોક મંગલરૂપ છે તેવું જ્ઞાન થાય છે, અને આ મંગલ, ગ્રંથમાં આવતાં વિક્નોના નાશઅર્થક છે, તેવું પણ જ્ઞાન થાય છે. અને તેથી નક્કી થાય છે કે, આ શાસ્ત્ર મંગલ છે અને મંગલ કાર્યમાં વિદ્ગો ઘણાં હોય છે, માટે શાસ્ત્રમાં પ્રથમ મંગલ કરેલ છે, જેથી શ્રોતાને નિર્વિઘ્ન ગ્રંથની સમાપ્તિ થાય છે. આમ છતાં, અર્થશ્રવણના વ્યાખ્યાન વખતે કાયોત્સર્ગરૂપ પૃથગુ મંગલ કરવાથી એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે કે, “ખરેખર આ ગ્રંથ મંગલરૂપ છે અને મંગલરૂપ શાસ્ત્રો જો અત્યંત ઉપયોગપૂર્વક અને સમ્યગુ વિધિપૂર્વક નહીં ગ્રહણ કરવામાં આવે તો મંગલ નહીં થાય. માટે મારે ગ્રંથના પ્રારંભ પૂર્વે કાયોત્સર્ગ કરીને તીર્થંકરાદિના ગુણોનું સ્મરણ કરવું જોઈએ, કે જેથી તેમના ગુણોથી રંજિત થયેલું મન અત્યંત પવિત્ર બને અને પવિત્ર બનેલું મન અત્યંત યત્નપૂર્વક શાસ્ત્રાધ્યયન કરે, કે જેથી શાસ્ત્રનો સમ્યફ બોધ થાય, જે બોધ પરમ કલ્યાણનું કારણ બને.” પૃથગુ મંગલ કરવાથી થયેલી આવી બુદ્ધિને કારણે ફરી શાસ્ત્રશ્રવણમાં પ્રથમ મંગલ સાંભળવાથી તે બુદ્ધિમાં અતિશયતા આવે છે. પરંતુ પૃથમંગલ ન કરેલું હોય અને શાસ્ત્ર શ્રવણ કરવા બેસે તો શાસ્ત્રશ્રવણની ક્રિયાના અંગભૂત કરાયેલા મંગલથી પ્રાયઃ તેવો પ્રકર્ષવાળો ભાવ થતો નથી શાસ્ત્રથી પૃથગુ મંગલ કરીને શાસ્ત્ર શ્રવણ કરે ત્યારે જેવો પ્રકર્ષવાળો ભાવ થાય છે, તેવો પ્રકર્ષવાળો ભાવ પ્રાયઃ થતો નથી, માટે અર્થ ગ્રહણ કરતી વખતે કાયોત્સર્ગરૂપ પૃથગુ મંગલ કરવાની વિધિ છે.JI૮૧૨
ગાથા :
वंदिय तत्तो वि गुरुं णच्चासणे य णाइदूरे अ । ठाणे ठिया सुसीसा विहिणा वयणं पडिच्छंति ।।८२।।
છાયા :- वन्दित्वा ततोऽपि गुरुं नात्यासन्ने च नातिदूरे च । स्थाने स्थिताः सुशिष्या विधिना वचनं प्रतीच्छन्ति ।।८२ ।। અન્વયાર્થ:- તત્તો વિ=ત્યાર પછી પણ=કાયોત્સર્ગ પારીને પણ, કુક-ગુરુ=અનુયોગદાયકો વંચિ=વંદન કરીને, વ્યાસને ય ફિક્રે ૩ કાળે ટિયા=અતિ નજીકમાં નહીં અને અતિ દૂરમાં નહીં એવા સ્થાનમાં રહેલા યુસીસા=સુશિષ્યો વિદિના=વિધિપૂર્વક વય વચનને પતિ=સાંભળે છે. પરા ગાથાર્થ:
ત્યાર પછી પણ કાયોત્સર્ગ પારીને પણ, અનુયોગદાયક ગુરુને વંદન કરીને અતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org