SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૧ ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે ગ્રંથમાં મંગલબુદ્ધિ થવાથી ગ્રંથમાં આવતાં વિઘ્નોનો નાશ થાય છે, માટે અર્થવ્યાખ્યાન સમયે મંગલરૂપે કાઉસ્સગ્ન કરાય છે. ત્યાં “નનુથી પૂર્વપક્ષી શંકા કરે છે – ટીકા - नन्वेवं ग्रन्थकारकृतादेव मङ्गलात् श्रोतॄणामप्यनुषङ्गतो मङ्गलसंभवात् पुनः किं तदर्थककायोत्सर्गकरणेन ? इति चेत् ? सत्यम्, आनुषङ्गिकमङ्गलस्य तथाविधभावाजनकत्वेन भावातिशयार्थं पृथगेतद्विधिविधानाવિતિ વિમ્ II૮૧/ ટીકાર્ય - આ રીતે=શાસ્ત્રમાં મંગલબુદ્ધિ પેદા કરવા અર્થે મંગલ આવશ્યક છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, ગ્રંથકારથી કરાયેલા જમંગલથી શ્રોતાઓને પણ અનુષંગથી=સાંભળવાની ક્રિયાના પ્રયત્નથી, મંગલનો સંભવ હોવાના કારણે, ફરી તદર્થક=ગ્રંથમાં મંગલબુદ્ધિ પેદા કરવા અર્થે, કાયોત્સર્ગ કરવાથી શું? એમ જો તું કહેતો હોય તો – તારી વાત સાચી છે, આનુષંગિક મંગલનું શાસ્ત્રશ્રવણની ક્રિયાના અનુષંગથી શાસ્ત્રના પ્રથમ શ્લોકના શ્રવણથી થયેલા મંગલનું, તથાવિધ ભાવઅજનકપણું હોવાને કારણેકશાસ્ત્રના અધ્યયનમાં વિધ્ધ નાશ કરે તેવા પ્રકારના ભાવનું અજનકપણું હોવાના કારણે, ભાવાતિશય અર્થે પૃથર્ આની વિધિનું કાયોત્સર્ગકરણરૂપ મંગલકરણની વિધિનું, વિધાન છે-કથન છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ૮૧ * શ્રોતૃUTHપ' અહીં ‘મા’ થી એ કહેવું છે કે, ગ્રંથકારને તો મંગળ થયું, પરંતુ શ્રોતાઓને પણ મંગળનો સંભવ છે. ભાવાર્થ - પૂર્વમાં સ્થાપન કર્યું કે, ગ્રંથઅધ્યયનમાં ઘણાં વિઘ્નો આવે છે, કેમ કે ગ્રંથ અધ્યયન શ્રેયકારી છે. તેથી તે વિઘ્નોના નાશ માટે કાયોત્સર્ગ કરવાની શાસ્ત્રમાં વિધિ છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે, બધા ગ્રંથકારો ગ્રંથના પ્રારંભમાં પ્રાયઃ કરીને મંગલ કરે છે, તેથી પ્રથમ શ્લોક મંગલાચરણરૂપે હોય છે. તેથી જે શ્રોતા શાસ્ત્ર ભણવા માટે બેસે તેને ગ્રંથકારથી કરાયેલા જ મંગલથી મંગલની પ્રાપ્તિ છે; કેમ કે શ્રોતા જ્યારે પ્રથમ શ્લોકનો અર્થ સાંભળશે, ત્યારે તેને મંગલરૂપ પ્રથમ શ્લોકનું શ્રવણ થાય છે તેથી મંગલ થઈ જાય છે, તેથી ગ્રંથમાં મંગલબુદ્ધિ શ્રોતાને થઈ જશે. માટે શ્રોતાને શાસ્ત્રમાં મંગલબુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કરવાની જરૂર નથી, એમ “નનુ થી પૂર્વપક્ષી શંકા કરે છે. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે કે, તારી વાત સાચી છે. એમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, ગ્રંથના પ્રારંભના શ્લોકથી શ્રોતાને આ શાસ્ત્ર મંગલરૂપ છે, તેવી બુદ્ધિ થાય છે તે વાત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy