SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી / ગાથાઃ ૮૧ ૪૩૫ કરવામાં આવે અને તે રીતે રુચિ કરવામાં આવે અને તે પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવે, તો તે શાસ્ત્રો મંગલને કરે છે =કલ્યાણને કરે છે; આવો યથાવસ્થિત બોધ કોઈને થાય તો તેના માટે તે શાસ્ત્રો મંગલરૂપ બને છે. અને આથી શાસ્ત્ર ભણનાર સાધુ જાણે છે કે, “સન્શાસ્ત્રો કલ્યાણનાં કારણ છે, આમ છતાં એટલી માત્ર બુદ્ધિથી તે કલ્યાણનું કારણ બની શકતાં નથી, માટે મારે એવી રીતે યત્ન કરવો જોઈએ કે જેથી આ શાસ્ત્ર મારા હિતનું કારણ બને.” અને તેથી તે કરવા અર્થે સાધુઓ ઈરિયાવહિયા કરીને પોતાના ગુપ્તિના માનસને દૃઢ કરે છે. “આ શાસ્ત્રો મંગલરૂપ છે અને અત્યંત ગુપ્ત થઈને શાસ્ત્રોના તાત્પર્યને સમજવા યત્ન કરાશે તો શાસ્ત્રનું સાચું તાત્પર્ય હાથમાં આવશે અને તે તાત્પર્યના બોધથી કલ્યાણની પરંપરા થશે.” આમ, શાસ્ત્ર મંગલરૂપ છે તેમ જાણતા હોવા છતાં, શાસ્ત્રઅધ્યયન પૂર્વે ઈરિયાવહિયા કરીને શાસ્ત્રની સમ્યગુ નિષ્પત્તિ અર્થે ગુપ્તિનું માનસ ઈરિયાવહિયા દ્વારા સાધુઓ કરે છે, અને તે રીતે મંગલબુદ્ધિ શાસ્ત્રોને સમ્યફ પરિણમન પમાડવાનું કારણ છે, આ પ્રકારે નિશ્ચયનય કહે છે. નિશ્ચયનય છે કારણ કાર્યને કરતું હોય તેને કારણ તરીકે સ્વીકારે છે અને વ્યવહારનય જ કારણથી કાર્ય થતું હોય તેને કારણ તરીકે સ્વીકારે છે; આમ છતાં, વ્યવહારનયને અભિમત કારણ કોઈ અન્ય સામગ્રીની વિકલતા હોય તો કાર્ય ન પણ કરે. તેથી જે સાધુ આ શાસ્ત્ર મંગલ છે તેમ સામાન્ય રીતે જાણે છે, છતાં મંગલ અર્થે કાયોત્સર્ગ કર્યા વગર અર્થગ્રહણમાં પ્રવૃત્તિ કરે અને અર્થગ્રહણકાળમાં તેવો દૃઢ ઉપયોગ ન વર્તે, તો તે શાસ્ત્રથી સમ્યગુ બોધ ન થાય; છતાં યોગ્ય જીવને તે શાસ્ત્રશ્રવણથી જે કાંઈ શુભભાવ થાય છે, તેટલો લાભ થાય છે. પરંતુ તે સાધુ જાણે છે કે, આ શાસ્ત્ર પરમ મંગલરૂપ છે, માટે મંગલભૂત એવા શાસ્ત્રની સમ્યગુ નિષ્પત્તિમાં કોઈ વિઘ્ન ન આવે તદર્થે કાયોત્સર્ગ કરવો જોઈએ; અને તે પ્રમાણે અત્યંત ઉપયોગપૂર્વક કાયોત્સર્ગ કરે, ત્યારે શાસ્ત્રને પરિણમન પમાડવાને અનુકૂળ એવી જીવપરિણતિ આ કાયોત્સર્ગ કરવા દ્વારા ઉલ્લસિત થાય છે. ત્યાર પછી અત્યંત ઉપયોગપૂર્વક વિધિમાં સુદઢ યત્ન કરીને શાસ્ત્રશ્રવણ કરતા હોય તો કાયોત્સર્ગથી થયેલી વિશેષ પ્રકારની મંગલબુદ્ધિથી જેમ સૂત્રનો સમ્યગુ બોધ થાય છે, તેમ તે બોધ પણ માર્ગાનુસારી ઉપયોગના કારણે ચારિત્રના પ્રકર્ષનું કારણ બને છે અને આથી અર્થ ગ્રહણ કરીને સાધુ સંયમના કંડકની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે અને આ બતાવવા માટે અહીં નિશ્ચયનયનું આ રહસ્ય છે, તેમ કહેલ છે; કેમ કે યથાવસ્થિત મંગલ ઉપયોગપૂર્વક શાસ્ત્રઅધ્યયન કરવામાં આવે તો તે શાસ્ત્રનું સમ્યક કાર્ય અવશ્ય થાય છે, તેમ નિશ્ચયનય માને છે. પરંતુ જે સાધુઓ મંગલ અર્થે કાયોત્સર્ગ પણ કરે, છતાં યથાવસ્થિત મંગલના ઉપયોગપૂર્વક શાસ્ત્રઅધ્યયન ન કરે, તો વ્યવહારથી તેઓએ મંગલ કરેલું છે, શાસ્ત્રમાં મંગલબુદ્ધિ પણ ઉપસ્થિત થઈ છે, તોપણ યથાવસ્થિત મંગલનો ઉપયોગ નહીં હોવાના કારણે તે શાસ્ત્રઅધ્યયનથી સંયમના કંડકોની વૃદ્ધિ થતી નથી. તે સ્થાનમાં નિશ્ચયનય કહે છે કે, કાયોત્સર્ગ દ્વારા તે સાધુએ યથાવસ્થિત મંગલ ઉપયોગ કર્યો નથી, માટે તેનામાં મંગલબુદ્ધિ ઉત્પન્ન થઈ નથી; અને વ્યવહારનય કહે છે કે, કાયોત્સર્ગ કર્યો છે તેથી મંગલબુદ્ધિ ઉત્પન્ન થઈ છે, છતાં અન્ય સામગ્રીની વિકલતાને કારણે સંયમના કંડકોની વૃદ્ધિની પ્રાપ્તિ ન થઈ. આ પ્રકારનો વ્યવહારનય અને નિશ્ચયનયનો પ્રસ્તુત સ્થાનમાં ભેદ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy