________________
૪૩૪
ઉપસંપદા સામાચારી | ગાથા: ૮૧ કરવામાં મંગલ ફળની પ્રાપ્તિ થશે, એમ ન કહેવું; કેમ કે યથાવસ્થિત મંગલઉપયોગનું જમંગલકાર્યક્ષમપણું છે, એ પ્રકારે નિશ્ચયનયનું સર્વસ્વ છે. અને આયથાવસ્થિત મંગલઉપયોગ જ મંગલકાર્યક્ષમ છે એ, વિશેષાવશ્યકાદિ ગ્રંથમાં વ્યવસ્થિત છે, અને સ્વોપજ્ઞ દ્રવ્યાલોકના વિવરણમાં અમારા વડે સુપરિક્ષિત છે યુક્તિથી બતાવાયેલ છે. જેથી કરીને વિસ્તારના ભયથી અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, વિસ્તાર કરાતો નથી.
* “માનસ્થાપિ' અમંગલને અમંગલરૂપે ગ્રહણ કરે તો ફળ ન થાય, પરંતુ મંગલ એવા પણ સાધુને અમંગલરૂપે ગ્રહણ કરે તો મંગલરૂપ ફળપ્રાપ્તિ ન થાય, એમ ‘’ થી કહેવું છે.
* ‘૩૧મીત્તથાપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે, મંગલને તો મંગલરૂપે ગ્રહણ કરે તો ફળ પ્રાપ્ત થાય, પરંતુ અમંગળને પણ મંગળરૂપે ગ્રહણ કરે તો મંગળ ફળની પ્રાપ્તિ છે એમ ન કહેવું. ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે, શાસ્ત્રમાં મંગલબુદ્ધિ થવાથી શાસ્ત્રવિષયક વિઘ્નનો ક્ષય થાય છે. ત્યાં કોઈને શંકા થાય કે, શાસ્ત્ર સ્વયં મંગલરૂ૫ છે, તો મંગલબુદ્ધિ ન કરે તોપણ મંગલભૂત શાસ્ત્રથી વિઘ્નનો ક્ષય થવો જોઈએ. તેથી કહે છે –
સ્વરૂપથી મંગલ પણ અમંગલરૂપે ગ્રહણ કરવામાં આવે તો મંગલ થતું નથી. આથી મંગલરૂપ પણ સાધુને અનાર્યો અમંગલરૂપે ગ્રહણ કરે છે, તો મંગલનું ફળ પ્રાપ્ત થતું નથી.
આનાથી એ કહેવું છે કે, શાસ્ત્રને કોઈ અમંગળરૂપે ગ્રહણ કરે તો મંગળનું ફળ ન થાય, તેમ મંગળરૂપે પણ ગ્રહણ ન કરે તો પણ મંગળનું ફળ થાય નહીં.
અહીં કોઈ કહે કે, જેમ મંગલરૂપ સાધુને અમંગલરૂપે ગ્રહણ કરવાથી મંગળનું ફળ મળતું નથી, પરંતુ મંગલને મંગલરૂપે ગ્રહણ કરવાથી મંગલનું ફળ મળે છે. એ રીતે કોઈ વ્યક્તિ અમંગલને પણ મંગલરૂપે ગ્રહણ કરે તો તેનામાં ઉત્પન્ન થયેલી મંગલબુદ્ધિથી મંગલનું ફળ થવું જોઈએ.
આશય એ છે કે, શાસ્ત્રઅધ્યયન સ્વયે મંગલનું કાર્ય કરતું નથી, પરંતુ શાસ્ત્રમાં ઉત્પન્ન થયેલી મંગલબુદ્ધિથી મંગલનું કાર્ય થાય છે; તેમ માનવામાં આવે તો, અમંગલભૂત એવા પણ પદાર્થમાં કોઈને મંગલબુદ્ધિ થાય તો તે મંગલબુદ્ધિથી મંગલનું કાર્ય થવું જોઈએ. તેનું નિરાકરણ કરતાં કહે છે –
યથાવસ્થિત મંગલઉપયોગ જ મંગલનું કાર્ય કરવા સમર્થ છે, એ પ્રકારનું નિશ્ચયનયનું રહસ્ય છે.
તાત્પર્ય એ છે કે, શાસ્ત્ર મંગલભૂત છે, અને જે શાસ્ત્રો ભણે છે તે જાણે છે કે આ શાસ્ત્ર કલ્યાણનું કારણ છે; આમ છતાં તેટલી માત્ર મંગલની બુદ્ધિથી મંગલનું કાર્ય થતું નથી. પરંતુ જે રીતે શાસ્ત્ર મંગળ છે તે રીતે જ શાસ્ત્રમાં મંગલનો ઉપયોગ ઉત્પન્ન થાય તો મંગલભૂત એવા શાસ્ત્રથી મંગલનું ફળ પ્રાપ્ત થાય તે આ રીતે –
શાસ્ત્ર એ વચન પુગલરૂપ છે, પરંતુ તે વચનો સર્વજ્ઞવચનમાંથી આવેલાં છે, અને તે વચનો માત્ર શ્રવણથી કે માત્ર જોવાથી કલ્યાણ થતું નથી; પણ તે શાસ્ત્રો જે તાત્પર્ય બતાવે છે, તે તાત્પર્યને તે રીતે ગ્રહણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org