SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૧ આશય એ છે કે, મોક્ષનો અર્થ શાસ્ત્ર ભણવા માટે યત્ન કરે છે ત્યારે, તે જાણે છે કે, શાસ્ત્રઅધ્યયન કરવામાં પણ કોઈ વિઘ્નો આવે તો તેના કારણે શાસ્ત્રથી સમ્યક્ બોધ થઈ શકે નહીં. માટે તેવા વિઘ્નનાશ માટે શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરવી ઉચિત નથી; કેમ કે શાસ્ત્રઅધ્યયનની ક્રિયા હજુ પ્રારંભ કરાઈ નથી, અને નહીં પ્રારંભ કરાયેલી એવી શાસ્ત્રઅધ્યયનની ક્રિયા શાસ્ત્રમાં આવતાં વિઘ્નોનો નાશ કરી શકે નહીં. માટે શાસ્ત્રઅધ્યયનનો પ્રારંભ કરતાં પૂર્વે શાસ્ત્રઅધ્યયનમાં આવતાં વિઘ્નોના નાશ અર્થે કાયોત્સર્ગ કરવામાં આવે છે. ગ્રંથકારે આ પ્રકારે યુક્તિ આપી ત્યાં પૂર્વપક્ષી કહે કે, શાસ્ત્રના રચયિતા શાસ્ત્રના પ્રથમ શ્લોકમાં મંગલાચરણ કરે છે, અને શાસ્ત્રો સાંભળનારા પ્રથમ શ્લોક સાંભળે છે, તે મંગલાચરણ રૂપ છે. તેનાથી બીજા શ્લોકમાં આવતાં વિઘ્નોનો નાશ થઈ જશે, અને શાસ્ત્ર આખું મંગળરૂપ હોવાથી જેમ પ્રથમ શ્લોક બીજા શ્લોકમાં આવતાં વિઘ્નોનો નાશ કરશે, તેમ બીજો શ્લોક ત્રીજા શ્લોકનાં વિઘ્નોનો નાશ કરશે, તે રીતે નિર્વિઘ્ન ગ્રંથરચના અને નિર્વિઘ્ન ગ્રંથશ્રવણ થઈ જશે. માટે શાસ્ત્રરચનાથી કે શાસ્ત્રશ્રવણથી પૃથક્ મંગલ કરવાની જરૂર નથી. અને તેની જ પુષ્ટિ કરવા માટે પૂર્વપક્ષી યુક્તિ આપે છે, તે નીચે પ્રમાણે છે ૪૩૧ મંગલાચરણ વિના વિઘ્નના નાશની અનુપપત્તિ હોવાને કારણે શાસ્ત્રના પ્રથમ શ્લોકમાં જે મંગલ કરવામાં આવે છે, તે મંગલનો શાસ્ત્ર સાથે ભેદ છે ? કે અભેદ છે ? કે ભેદાભેદ છે ? એ ત્રણ વિકલ્પો ઊઠે છે. (૧) એકાંત ભેદપક્ષ :- શાસ્ત્રના પ્રારંભે કરાતા પ્રથમ શ્લોકરૂપ મંગલનો શાસ્ત્રથી એકાંત ભેદ છે તેમ સ્વીકારીએ તો, શાસ્ત્ર અને પ્રથમ શ્લોકરૂપ મંગલ-બંને પૃથક્ છે. તેથી બંનેનો સંબંધ નહીં હોવાથી શાસ્ત્રના પ્રથમ શ્લોકથી શાસ્ત્રમાં આવતાં વિઘ્નોનો નાશ થઈ શકે નહીં. તેથી પ્રથમ શ્લોક સાથે શાસ્ત્રનો એકાંત ભેદ ન ઘટી શકે. (૨) એકાંત અભેદપક્ષ :- શાસ્ત્રના પ્રારંભમાં કરાતા પ્રથમ શ્લોકરૂપ મંગલનો શાસ્ત્ર સાથે એકાંત અભેદ છે તેમ સ્વીકારીએ તો, પ્રથમ શ્લોક અને શાસ્ત્ર બંનેનો એકાંત અભેદ હોવાથી પ્રથમ શ્લોક સાથે આખું શાસ્ત્ર એકરૂપ થઈ જવાથી પ્રથમ શ્લોકરૂપ સંપૂર્ણ શાસ્ત્ર છે, તેમ માનવાની આપત્તિ આવે; કેમ કે શાસ્ત્રનો પ્રથમ શ્લોક અને શાસ્ત્રનો એકાંતે અભેદ સ્વીકારો છો, તેથી શાસ્ત્ર કહો કે પ્રથમ શ્લોક કહો, એકરૂપ છે તેમ માનવાની આપત્તિ આવે. તેથી પ્રથમ શ્લોક સાથે શાસ્ત્રનો એકાંત અભેદ માની શકાય નહીં. (૩) ભેદાભેદ પક્ષ :- ઉપર્યુક્ત બે વિકલ્પો સંગત નથી, માટે શાસ્ત્રમાં કરાતા પ્રથમ શ્લોકરૂપ મંગલની સાથે શાસ્ત્રનો ભેદાભેદ સ્વીકારવો જોઈએ, અને તેમ સ્વીકારીએ તો પ્રથમ શ્લોકની જેમ બીજા શ્લોકથી પણ વિઘ્નક્ષય થઈ શકે છે. તે આ રીતે – - શાસ્ત્રનો પ્રથમ શ્લોક તે શાસ્ત્રનો એક દેશ છે અને શાસ્ત્ર દેશી છે, અને દેશ-દેશીનો કથંચિત્ અભેદ સ્વીકારીએ તો શાસ્ત્રનો અને પ્રથમ શ્લોકનો કથંચિત્ અભેદ છે. અને શાસ્ત્ર દેશી છે અને શાસ્ત્રનો પ્રથમ શ્લોક તેનો દેશ છે, તેથી દેશ-દેશીનો કથંચિત્ ભેદ સ્વીકારીએ તો શાસ્ત્રનો અને પ્રથમ શ્લોકનો કથંચિત્ ભેદ છે. તેથી એ ફલિત થાય કે, શાસ્ત્રનો અને મંગલાચરણરૂપ શાસ્ત્રના પ્રથમ શ્લોકનો ભેદાભેદ છે. આ ભેદાભેદ સ્વીકારવાથી પ્રથમ શ્લોકનો કથંચિત્ અભેદ હોવાના કારણે શાસ્ત્ર સાથે સંબંધ છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy