SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ ઉપસંપદા સામાચારી, ગાથા : ૮૧ માટે એમ જ માનવું ઉચિત છે કે, પૂર્વ પૂર્વ વાક્યની રચનાથી અથવા તો પૂર્વ પૂર્વ વાક્યના શ્રવણથી, ઉત્તર ઉત્તર વાક્યોમાં આવતા વિદ્ગોનો ક્ષય થાય છે, માટે મંગલાંતરની આવશ્યકતા નથી. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને ગ્રંથકાર કહે છે કે – “રૂતિ ન ર વીધ્યમ્' એ પ્રમાણે ન કહેવું. તેમાં હેતુ આપે છે - પૃથ મંગલ કરવાને કારણે શાસ્ત્રમાં મંગલબુદ્ધિ થવાથી જ તેમાં=શાસ્ત્રશ્રવણમાં, વિધ્વનો ક્ષય થાય છે. * પ્રવૃત્તવિ' અહીં ‘’ થી એ કહેવું છે કે, વિનક્ષય માત્રના અર્થીપણા વડે શાસ્ત્રમાં પ્રવૃત્તિ ન હોય તો તો શાસ્ત્રવિષયક વિજ્ઞક્ષય માટે શાસ્ત્રમાં પ્રવૃત્તિ યુક્ત નથી, પરંતુ વિજ્ઞક્ષય માત્રના અર્થીપણા વડે શાસ્ત્રમાં પ્રવૃત્તિ હોવા છતાં પણ શાસ્ત્રવિષયક વિજ્ઞક્ષય માટે શાસ્ત્રમાં જ પ્રવૃત્તિ યુક્ત નથી. * “મેઢામેામ્યુપામેડપિ' અહીં ‘’ થી ભેદભેદ અસ્વીકારનો સમુચ્ચય છે. * દિતીચાર અહીં ‘સર’ થી તૃતીય શ્લોક, ચતુર્થ શ્લોક આદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ અવતરણિકામાં શંકા કરેલ છે કે, સર્વ શાસ્ત્ર મંગલ છે, માટે શાસ્ત્રના અર્થવ્યાખ્યાન પૂર્વે કાઉસ્સગ્નરૂપ મંગલ કરવાની જરૂર નથી. તેનું સમાધાન કરતાં ગાથામાં કહ્યું કે, શાસ્ત્ર અંતરાયક્ષયસામાન્ય પ્રત્યે કારણ છે, પરંતુ શાસ્ત્ર ભણવામાં આવતા અંતરાયનો વિનાશ તો શાસ્ત્રવિષયક મંગલબુદ્ધિથી થાય છે. તેથી શાસ્ત્રમાં મંગલબુદ્ધિ ઉત્પન્ન કરવા માટે કાયોત્સર્ગ કરવો જોઈએ. એનો ભાવ શું છે ? તે સ્પષ્ટ કરતાં યે માવા થી બતાવે છે – પ્રથમ બતાવે છે કે, અભ્યદય અને નિઃશ્રેયસની પ્રાપ્તિમાં આવતાં વિદ્ગોના ક્ષયમાત્રના અર્થાત્ માનાદિના અર્થપણા વડે નહીં માત્ર વિજ્ઞક્ષયના અર્થીપણા વડે કરીને શાસ્ત્રમાં પ્રવૃત્તિ થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે, જીવને નિઃશ્રેયસ જ ઈષ્ટ છે અને નિઃશ્રેયસ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી અભ્યદયની પ્રાપ્તિ ઈષ્ટ છે, અને તેની પ્રાપ્તિ કરવામાં વિજ્ઞભૂત જે કર્મો છે, તેના ક્ષયમાત્રના અર્થીપણારૂપે વિચારકો શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે; કેમ કે શાસ્ત્રથી સમ્યફ શ્રુતજ્ઞાન થાય છે અને સમ્યફ શ્રુત સમ્યક પ્રવૃત્તિ કરાવીને અભ્યદય અને નિઃશ્રેયસમાં પ્રતિબંધક કર્મોનો નાશ કરીને ઈષ્ટફળની પ્રાપ્તિ કરાવે છે. હવે જેઓ નિઃશ્રેયસ અને અભ્યદયમાં વિજ્ઞભૂત કર્મોના ક્ષયમાત્રના અર્થી નથી, પરંતુ માન-ખ્યાતિ આદિના પણ અર્થી છે, તેઓને શાસ્ત્રઅધ્યયનની પ્રવૃત્તિથી વિદ્વત્તાની પ્રાપ્તિ થઈ શકે અને ખ્યાતિ પણ મળી શકે. તેથી તેઓની વ્યાવૃત્તિ કરવા માટે અહીં ‘વિખૂક્ષયમાત્રWતયા' માં માત્ર શબ્દનો પ્રયોગ છે. જેઓ અભ્યદય અને મોક્ષ માટે શાસ્ત્રો ભણે છે, તેઓ તો વિઘ્નક્ષયમાત્રના અર્થીપણારૂપે શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે; તોપણ શાસ્ત્રવિષયક વિજ્ઞક્ષયના અર્થપણા વડે શાસ્ત્રમાં જ પ્રવૃત્તિ યુક્ત નથી; કેમ કે શાસ્ત્ર તો હજુ ઉત્પન્ન થયું નથી, તેથી શાસ્ત્ર-અધ્યયન-વિષયક જે આવરણ કરનારાં વિઘ્નો છે, તેનો ક્ષય શાસ્ત્ર કરી શકે નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy