SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી | ગાથાઃ ૮૧ ૪૨૯ एकान्ताऽभेदे च कास्न्येन तत्त्वापत्तेः, भेदाभेदाभ्युपगमेऽपि मङ्गलवाक्याद् वाक्यान्तरस्याऽविशेषात् कः खल्वत्र विशेषः यदाद्य एवावयवः स्कन्धसमाप्तिं जनयति तद्विघ्नं वा विघातयति न द्वितीयादि: ? इति वाच्यम्; पृथग्मङ्गलकरणात् शास्त्रे मङ्गलत्वबुद्ध्यैव तद्विघ्नक्षयात् । ટીકાર્ય : લાં ભાવ: .... ડક્ષમત્તા—આ ભાવ છેeતાત્પર્ય છેઃઉપર્યુક્ત કથાનું આ તાત્પર્ય છે: અભ્યદય અને મોક્ષરૂપ ઈષ્ટની પ્રાપ્તિમાં આવતાં એવાં વિદ્ગોના ક્ષયમાત્રના અર્થીપણાથી શાસ્ત્રમાં પ્રવૃત્તિ હોવા છતાં, શાસ્ત્રવિષયક વિધ્યક્ષયના અર્થીપણાથી ત્યાં જEશાસ્ત્રમાં જ પ્રવૃત્તિ યુક્ત નથી; કેમ કે અનુત્પન્ન એવા સ્વનું શાસ્ત્રનું, સ્વવિદ્ભક્ષયમાં શાસ્ત્રવિષયક વિઘ્નક્ષયમાં, અસમર્થપણું છે. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, શાસ્ત્રવિષયક વિજ્ઞક્ષય માટે કાયોત્સર્ગરૂપ મંગલાંતર કરવું જોઈએ, તે સિવાય શાસ્ત્રમાં પ્રવૃત્તિ યુક્ત નથી તેથી પૂર્વપક્ષી કહે છે કે, શાસ્ત્ર મંગલભૂત હોવાના કારણે ગ્રંથ રચયિતા ગ્રંથના પ્રથમ શ્લોકની રચનાથી અને ગ્રંથ સાંભળનાર શ્રોતા ગ્રંથના પ્રથમ શ્લોકના શ્રવણથી ઉત્તરના શ્લોકમાં આવતા વિપ્નનો ક્ષય કરી શકશે અને તે રીતે ઉત્તર ઉત્તરના શ્લોકમાં આવતાં વિપ્નો પૂર્વ પૂર્વના શ્લોકથી દૂર થઈ શકશે. માટે શાસ્ત્રથી પૃથક કાયોત્સર્ગરૂપ મંગલાંતર કરવાની જરૂર નથી. તેનું નિરાકરણ કરવા માટે “ઘ. રૂં ..... તિ વા થી પૂર્વપક્ષીની યુક્તિ બતાવીને ગ્રંથકારશ્રી તેનું નિરાકરણ કરે છે – ટીકાર્ય : ન રૂં.... તન્નક્ષયત્િ | કર્તાને પૂર્વ પૂર્વ વાક્યરચનાથી અને શ્રોતાને તેના=પૂર્વ પૂર્વ વાક્યના, શ્રવણથી જ ઉત્તર ઉત્તર વાક્યમાં આવનારાં વિઘ્નોનો ક્ષય થવાથી મંગલાંતરના શાસ્ત્રની રચનાથી પૃથફ મંગલાચરણરૂપ આદ્ય શ્લોકના, આદર વડે શું? અર્થાત્ અન્ય મંગલ કરવું જોઈએ નહીં. તેમાં યુક્તિ બતાવે છે – અવ્યથા અનુપપતિ હોવાને કારણે મંગલ કર્યા વિના વિધ્યક્ષયની અનુપપત્તિ હોવાને કારણે, કરાતા મંગલનો શાસ્ત્રથી એકાંતે ભેદ હોતે છતે સંબંધનો અયોગ હોવાથી, અને એકાંત અભેદ હોતે છતે કાર્ચથી તત્વની આપત્તિ હોવાથી=મંગલને સંપૂર્ણ શાસ્ત્રરૂપ સ્વીકારવાની આપત્તિ હોવાથી, ભેદભેદ સ્વીકારવામાં પણ મંગલ વાક્યથીeગ્રંથમાં કરાયેલા પ્રથમ શ્લોકરૂપ મંગલ વાક્યથી, વાક્યાંતરનો= મંગલ સિવાયના અન્ય શ્લોકરૂપ વાક્યાંતરતો, અવિશેષ હોવાથીeભેદભેદરૂપ અવિશેષ હોવાથી, અહીંયાં શાસ્ત્રમાં, શું વિશેષ છે? જે પ્રથમ જઅવયવ=પ્રથમ જ શ્લોક, સ્કંધની સમાપ્તિને શાસ્ત્રની સમાપ્તિને, ઉત્પન્ન કરે છે? અથવા તો તેના=શાસ્ત્રના, વિધ્વનો વિનાશ કરે છે? દ્વિતીયાદિ નહીં બીજો શ્લોક વગેરે નહીં? અર્થાત્ મંગલરૂપ પ્રથમ શ્લોક જેમ શાસ્ત્રથી ભેદભેદરૂપ છે, તેમ દ્વિતીયાદિ શ્લોક પણ શાસ્ત્રથી ભેદભેદરૂપ છે. માટે પ્રથમ શ્લોક જેમ હિબક્ષયમાં સમર્થ છે, તેમ બીજા આદિ શ્લોકો પણ સમર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy