SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૭ ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૧ અહીં, સંપૂર્ણ શાસ્ત્ર મંગલભૂત છે, એમાં યુક્તિ બતાવે છે - એવંભૂતનયથી મંગલપદની વ્યુત્પત્તિથી આક્રાંતનું જ મંગલપણું છે અર્થાત્ મંગલપદની વ્યુત્પત્તિ “માં જ્ઞાતિ કૃતિ માર્ત’ કલ્યાણને કરનારું-લાવનારું છે, એ પ્રકારે છે, તેથી શાસ્ત્ર મંગલપદની વ્યુત્પત્તિથી આક્રાંત છે, માટે સર્વ શાસ્ત્ર મંગલભૂત છે. અહીં પ્રશ્ન થાય કે, શાસ્ત્રમાં પણ આદિ, મધ્ય અને અંતમાં મંગલ કરવામાં આવે છે, તેથી સંપૂર્ણ શાસ્ત્ર મંગલ છે તેમ કહી શકાય નહીંપરંતુ શાસ્ત્રનો આદિ, મધ્ય અને અંત ભાગ જ મંગલરૂપ છે. તેથી સર્વ શાસ્ત્ર મંગલરૂપ છે તેની સિદ્ધિ માટે બીજો હેતુ જણાવે છે – શાસ્ત્રના આદિ, મધ્ય અને અંતમાં કરાયેલા મંગલથી ભિન્ન, શાસ્ત્રનાં અંતરાલોનું પણ તથાત્વ વ્યવસ્થાપન છે=વિશેષાવશ્યક ભાષમાં મંગલરૂપે વ્યવસ્થાપન છે, તેથી સર્વ શાસ્ત્ર મંગલ છે. * “મરિમધ્યાન્તમિત્રાન્તરીનાનામપિ' અહીં ' થી એ કહેવું છે કે, શાસ્ત્રના આદિ, મધ્ય અને અંત તો મંગલરૂપ છે જ, પરંતુ તેના અંતરાલો પણ મંગલરૂપ છે. ભાવાર્થ: અવતરણિકામાં શંકા કરેલ કે સર્વ જ શાસ્ત્ર મંગલભૂત છે, તેથી શાસ્ત્રનું અધ્યયન વિપ્નનો નાશ કરશે, માટે શાસ્ત્રઅધ્યયન કરવા અર્થે કાઉસ્સગ્નરૂપ મંગલાંતરની કોઈ આવશ્યકતા નથી. તેનો જવાબ પ્રસ્તુત ગાથામાં આપે છે. તેનો ભાવ આ પ્રમાણે છે – જોકે આખું શાસ્ત્ર મંગલભૂત છે; કેમ કે એવભૂતનય જેમાં મંગલપદની વ્યુત્પત્તિ ઘટતી હોય તેને મંગલરૂપે કહે છે. માં-ત્યા, જ્ઞાતિ તિ મંલ્લિં=જે કલ્યાણને લાવે તે મંગલ, એ મંગલ શબ્દની વ્યુત્પત્તિ છે. આ વ્યુત્પત્તિથી પ્રાપ્ત થતો અર્થ શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે; કેમ કે શાસ્ત્ર કલ્યાણને લાવનાર છે, એ અપેક્ષાએ સર્વ શાસ્ત્ર મંગલરૂપ છે. આ રીતે એવંભૂતનયથી સર્વ શાસ્ત્ર મંગલરૂપ છે એમ બતાવ્યું. આમ છતાં, વ્યવહારનયથી ગ્રંથરચનાના પ્રારંભમાં, મધ્યભાગમાં અને અંતમાં એમ ત્રણ મંગલ કરવામાં આવે છે, અને તે દૃષ્ટિથી વિચારીએ તો આખું શાસ્ત્ર મંગલ છે, તેનો અર્થ પ્રાપ્ત ન થાય; પરંતુ શાસ્ત્રનો માત્ર આદિ, મધ્ય અને અંતિમ ભાગ જ મંગલરૂપ છે, તેનો અર્થ પ્રાપ્ત થાય. તેથી કહે છે કે, આદિ, મધ્ય અને અંતના વચલા અંતરાલો=આંતરાઓ, પણ મંગલરૂપ છે, તે પ્રકારે વિશેષાવશ્યક ભાષ્ય ગ્રંથમાં વ્યવસ્થાપન કરાયેલું છે. તેથી આદિ, મધ્ય અને અંતમાં મંગલાચરણ હોવા છતાં આખો ગ્રંથ મંગલરૂપ છે, એ અર્થ સિદ્ધ થાય છે; તોપણ એ શાસ્ત્રઅધ્યયન અંતરાય-ક્ષય-સામાન્ય પ્રત્યે હેતુ છે, જ્યારે આ શાસ્ત્રમાં આવતાં વિઘ્નોનો ક્ષય તો મંગલબુદ્ધિથી થાય છે. તેથી શાસ્ત્રમાં મંગલબુદ્ધિ ઉત્પન્ન કરવા અર્થે અર્થવ્યાખ્યાનના પ્રારંભની પૂર્વે કાઉસ્સગ્ન કર્તવ્ય છે. આશય એ છે કે, શ્રેય કાર્યો ઘણા વિપ્નવાળાં હોય છે તેવું જેને જ્ઞાન થાય છે, તેઓ શ્રેય કાર્યમાં વિઘ્ન ન આવે ત અર્થે મંગલ કરે છે; અને “આ અર્થવ્યાખ્યાન પણ શ્રેય કાર્ય છે, માટે તેમાં પણ ઘણાં વિઘ્નો આવી શકે છે, માટે મારે મંગલ કરવું જોઈએ,' તેવી બુદ્ધિ સાધુને થાય છે; અને તેવી બુદ્ધિપૂર્વક વાચના ગ્રહણ કરનારા સાધુઓ કાયોત્સર્ગ કરે છે ત્યારે, કાયોત્સર્ગ કરતાં પૂર્વે તેમને નીચે મુજબ અધ્યવસાય થાય છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy