________________
ઉપસંપદા સામાચારી, ગાથા : ૮૦
૪રપ વિદ્ગોની અનુત્પત્તિને માટે કાયોત્સર્ગ કરે છે.
અહીં વિચારકને પ્રશ્ન થાય કે, જો વિઘ્ન ઉત્પન્ન થઈ ચૂક્યું હોય તો વાચના આપવા માટેનો પ્રારંભ જ કઈ રીતે થઈ શકે ? કેમ કે બાહ્ય કોઈ વિઘ્ન હોય તો પ્રવૃત્તિના પ્રારંભમાં પ્રતિબંધક બને. તેથી ઉત્પન્ન વિજ્ઞ કહેવાથી એ અર્થ જણાય છે કે, અર્થવ્યાખ્યાનના પ્રારંભમાં ઉચિત અર્થનો બોધ શ્રોતાને ન થઈ શકે તેવું કર્મ પણ વિદ્યમાન હોય. તેથી ઉપદેશક, ભગવાનના વચનનું રહસ્ય સમજાવતા હોય તોપણ તે રીતે શ્રોતાને બોધ ન થાય તેવું પણ કર્મ કાઉસ્સગ્નકાળમાં થયેલા શુભ અધ્યવસાયથી નાશ પામે છે. વળી, શ્રોતાને તેના ક્ષયોપશમને અનુરૂપ કયો પદાર્થ કઈ રીતે બતાવવો, તેવું યથાર્થ સ્થાન ક્વચિત્ વાચનાચાર્યને પણ ફુરણ ન થાય તો યથાર્થ અર્થના અર્થી એવા શ્રોતા સાધુઓ યથાર્થ અર્થને પામી શકે નહીં. તેથી વાચનાના પ્રારંભમાં કરાયેલા કાઉસ્સગ્નના શુભ અધ્યવસાયથી તેવું કર્મ પણ નાશ પામે, જેથી વાચનાચાર્યને પણ સહજ તેવો પદાર્થ સ્કુરણ થાય કે જેથી શ્રોતાને તેના યથાર્થ અર્થનો બોધ થાય અને ભવિષ્યમાં ગ્રંથના અધ્યયનકાળ દરમ્યાન પણ તેને કોઈ બાહ્ય વિઘ્ન ન આવે. આ રીતે શ્રોતાને યથાર્થ બોધનું પ્રતિબંધક એવું કર્મ પણ વિપાકમાં ન આવે અને ઉપદેશકની ઉચિત સ્થાને ઉચિત પ્રતિભા સ્કુરણ થાય અને શ્રોતાને પણ તે અર્થ તે રીતે પ્રતિભાસ થાય, તેમાં જે કોઈ વિઘ્નઆપાદક સામગ્રી હોય તેનું અનુત્થાન થાય, તદર્થે કાઉસ્સગ્ન કરવામાં આવે છે. જે કાઉસ્સગ્નમાં જે લોગસ્સ આદિ સૂત્રનું સ્મરણ કરાય છે, તેમાં અત્યંત ઉપયોગપૂર્વક જે શ્રોતા શુભ અધ્યવસાયને કરે છે, તેનાં વિદ્ગો તે કાઉસ્સગ્નથી નાશ પામે છે; આમ છતાં, નિકાચિત કર્મ હોય તો તે નાશ ન પણ પામે તેવું પણ બની શકે છે. આથી એ ફલિત થાય કે, સમ્યક કાઉસ્સગ્નપૂર્વક સમ્યક્ પ્રવૃત્તિ કરનારને પ્રાયઃ વિન આવે નહીં, પરંતુ જેઓ કાઉસ્સગ્ન કરે છે, છતાં તે રીતે કાઉસ્સગ્નમાં સમ્યગુ યત્ન કરતા નથી, ફક્ત આચારમાત્રરૂપે કાઉસ્સગ્ન કરે છે, તેઓને કાઉસ્સગ્ન કરતાં અધ્યવસાયની શુદ્ધિ થતી નથી, માટે પણ વિપ્ન આવી શકે, અને નિકાચિત કર્મ હોય તો તેના કારણે પણ વિપ્નો આવી શકે છે અને વિપરીત બોધ પણ થઈ શકે છે. II૮ના અવતરણિકા:
ननु सर्वमेव शास्त्रं मंगलभूतम्, पुनः किं तत्र मंगलान्तरेण ? इत्यत आह - અવતરણિતાર્થ -
નનું' થી શંકા કરે છે કે, સર્વ જ શાસ્ત્ર મંગલભૂત છે. વળી ત્યાં શાસ્ત્રના પ્રારંભ પૂર્વે, મંગલાંતરથી=અન્ય મંગલથી, શું? એથી કરીને કહે છે – ભાવાર્થ -
પૂર્વ ગાથામાં કહ્યું કે, વાચનાદાતા આચાર્યને સર્વ સાધુઓ દ્વાદશાવર્ત વંદન કરે છે અને ત્યાર પછી અર્થવ્યાખ્યાનને સાંભળવામાં આવતાં વિદ્ગોના નાશ માટે સર્વ સાધુઓ કાઉસ્સગ્ન કરે છે. ત્યાં “નનું થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, સર્વ જ શાસ્ત્ર મંગલભૂત છે, તેથી અર્થ ભણનાર સાધુઓ શાસ્ત્રનું અધ્યયન કરશે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org