________________
૪૨૧
ઉપસંપદા સામાચારી ગાથા : ૭૯ અવતરણિકા -
ननु भूयःकालप्रतिबद्धमनुयोगमददानोऽप्यसौ स्वल्पसमाधिकालानुरूपमल्पमेव कार्यान्तरं करिष्यति, ततो न शक्तिनिगूहनप्रयुक्तो दोषः, इत्यत आह - અવતણિયાર્થઃ
નન' થી શંકા કરે છે - દીર્ઘકાળ પ્રતિબદ્ધ અનુયોગદાનને નહીં આપતા એવા આ=આચાર્ય, સ્વલ્પ એવા સમાધિકાળને અનુરૂપ અલ્પ જ કાર્યાતરને કરશે, તેથી શક્તિતિગૃહનપ્રયુક્ત દોષ થશે નહીં. એથી કરીને કહે છે –
* મનુયોમવાનોડો ' અહીં અનુયોગ આપનારનો ‘’ થી સમુચ્ચય છે. ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે, જે આચાર્યમાં અનુયોગ આપવાની શક્તિ છે, તે આચાર્ય, રોગાદિકને કારણે પણ જે થોડી ઘણી પણ શક્તિ છે, તેને અનુયોગ અર્પણ કરવામાં ન વાપરે તો ચારિત્રની શુદ્ધિ ન થાય ત્યાં ‘નનું થી પૂર્વપક્ષી શંકા કરે છે –
અનુયોગદાનની પ્રવૃત્તિ તો લાંબા કાળની હોય છે, કેમ કે બે-ત્રણ કલાક ધારાબદ્ધ વાચના ચાલતી હોય છે, અને જે આચાર્યને વારંવાર શ્લેષ્મની કે લઘુશંકાની તકલીફ છે, તે આચાર્ય તેવી દીર્ધકાળની અનુયોગ આદિ પ્રવૃત્તિમાં વારંવાર શ્લેષ્માદિના કારણે અને લઘુશંકા થવાના કારણે સ્કૂલના પામે છે, માટે અનુયોગઅર્પણાનું કાર્ય છોડીને પોતાના ચિત્તની સમાધિ રહે તેવું સ્વલ્પકાળને અનુરૂપ કાર્યાંતર કરે અર્થાત્ અનુયોગદાન જેવું મોટું કાર્ય ગ્રહણ ન કરે, પરંતુ સ્વાધ્યાયાદિ કે અન્ય તેવું કોઈ ઉચિત નાનું કાર્ય ગ્રહણ કરે છે જેથી વારંવાર શ્લેષ્માદિ માટે પ્રયત્ન કરવામાં તકલીફ ન થાય, તો તેમાં શું વાંધો ? કેમ કે તેમ કરવાથી તે આચાર્ય પોતાની શક્તિને પણ ગોપવી નથી, માટે સંયમના અપકર્ષરૂપ દોષની પ્રાપ્તિ પણ નહીં થાય. તેવી શંકાનું નિરાકરણ કરતાં કહે છે --
ગાથા :
अणुओगदायगस्स उ काले कज्जंतरेण णो लाहो । कप्पडववहारेणं को लाहो रयणजीविस्स ।।७९ ।।
છાયા :
अनुयोगदायकस्य तु काले कार्यान्तरेण न लाभः । कर्पटव्यवहारेण को लाभः रत्नजीविनः ।।७९ ।। અન્વયાર્થ:
3gોવાયા =વળી અનુયોગદાયક આચાર્યને છાજો=અનુયોગ આપવાના કાળમાં વર્નાતરેન=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org