________________
૪૧૭
ઉપસંપદા સામાચારી | ગાથાઃ ૭૭. પૂર્વાર્ધમાં કહ્યું કે, બે માત્રક મૂકવાં જોઈએ તેના દ્વારા કહેવાયેલું થાય છે.
આથી જ= તેવા પ્રકારની ગ્લાનત્યાદિ અવસ્થામાં પણ અર્થવ્યાખ્યાન કરવું ઉચિત છે આથી જ, પંચવસ્તુ ગ્રંથ ગાથા-૧૦૦૩માં પણ કહેવાયું છે –
“બે જ માત્રક શ્લેષ્મ નિમિત્તે અને બીજું વળી કાયિકી નિમિત્તે.” આવા પ્રકારના પણ=વારંવાર માત્ર આદિ કરવા જવું પડે એવા પ્રકારના ગ્લાન પણ, સૂત્રનું વ્યાખ્યાન કરે એ પ્રકારનો ભાવાર્થ છે.”
‘તિ’ પંચવસ્તુ ગ્રંથના સાક્ષીપાઠના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. I૭૭માં * “સત્તાનત્વરિ’ અહીં ‘રિ થી વૃદ્ધાવસ્થાનું ગ્રહણ કરવું.
* “પંઘવસ્તુડમહિતનું' અહીં ‘’ થી એ કહેવું છે કે, આવશ્યકનિયુક્તિમાં તો કહ્યું છે, પરંતુ પંચવસ્તુમાં પણ કહ્યું છે. નોંધ:- ટીકાના અંતમાં આપેલ “પંચવસ્તુ ગ્રંથ'નો પાઠ “પંચવસ્તુ' ગ્રંથમાં નીચે પ્રમાણે છે, જે શુદ્ધ ભાસે છે –
'दा चेव मत्तगाइं खेले काइअ सदोसगस्सुचिए ।
एवंविहोऽवि णिच्चं, वक्खाणिज्ज त्ति भावत्थो' ।।१००३ ।। પંચવસ્તુ ગાથા-૧૦૦૩નો અર્થ આ પ્રમાણે છે –
સદોષવાળા એવા ગુરુના શ્લેષ્મ માત્રક અને કાયિકીમાત્રક ઉચિત ભૂભાગમાં અનુયોગ ગ્રહણ કરવાને યોગ્ય સ્થાનમાં, સ્થાપન કરવાના છે. તેનું એદંપર્ય ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે – આવા પ્રકારના સદોષ છતાં ગુરુ નિત્ય વ્યાખ્યાન કરે એ ભાવાર્થ છે. ભાવાર્થ:
આચાર્ય માટે શક્તિ હોય ત્યાં સુધી અર્થનું વ્યાખ્યાન કરવું તે અવશ્ય કર્તવ્ય છે, તે બતાવવા માટે અર્થગ્રહણની વિધિમાં શ્લેષ્મ માટે અને કાયિકી માટે એમ બે માત્રક સ્થાપવાનું કથન છે અને પંચવસ્તુ ગ્રંથની ટીકામાં તો સ્પષ્ટ કહ્યું છે કે, જે આચાર્યને એવી કોઈ તકલીફ ન હોય તેના માટે શ્લેષ્મનિમિત્તક અને કાયિકીનિમિત્તક માત્રકની સ્થાપના કરવાની જરૂર નથી. તેથી અર્થગ્રહણની વિધિમાં બે માત્રક મૂકવાં જોઈએ, તેવી કોઈ નિયત વ્યાપ્તિ નથી. ફક્ત આ કથન દ્વારા એટલું કહેવું છે કે, અત્યંત ગ્લાન અવસ્થા હોય તો પણ
જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અર્થનું વ્યાખ્યાન આચાર્યે કરવું જોઈએ; કેમ કે અર્થના વ્યાખ્યાનથી યોગ્ય જીવોને સંવેગ વધે છે અને સંયમના કંડકો વધે છે; અને જે આચાર્યને એવી કોઈ તકલીફ ન હોય તેવા આચાર્ય તો અવશ્ય અર્થવ્યાખ્યાન કરવું જોઈએ.
સૂત્રના અર્થનું વ્યાખ્યાન સંવેગનું પ્રબળ કારણ છે અને સંવેગના પ્રકર્ષથી ભગવાનના વચનની રુચિ અને ભગવાનના વચનની પરિણતિ પ્રકર્ષવાળી થાય છે, જેથી ભગવાનનું શાસન યોગ્ય જીવોમાં સદા ખીલેલી અવસ્થામાં રહી શકે. પરંતુ જો અર્થવ્યાખ્યાન ન મળે તો એ પ્રકારના યોગ્ય જીવોમાં પણ અર્થવ્યાખ્યાનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org