________________
૪૧૨
ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૬ પ્રમાર્જના કર્તવ્ય થાય છે; જે કારણથી જ્ઞાનાચાર ચારિત્રાચારના અવિરોધથી જ કલ્યાણકારી છે. અન્યથા=ચારિત્રના અવિરોધવાળો ન હોય તો, વળી અનાચાર જ છે=અર્થ ગ્રહણ કરવાની ક્રિયા અનાચારરૂપ જ છે; અને આ રીતે=વ્યાખ્યાનના બેસવા યોગ્ય સ્થાનમાં પ્રમાર્જના કરી એ રીતે, તેના અર્થી વડે=જ્ઞાનાચારના અર્થી વડે, પૂર્વમાં ભૂમિપ્રમાર્જના વડે ચારિત્રાચારની ઉચિત પ્રવૃત્તિ પાલન કરાયેલી થાય છે, અને તે= ચારિત્રાચારની ઉચિત પ્રવૃત્તિ, કલ્યાણની પરંપરાનું કારણ છે, એ પ્રકારે તત્ત્વ છે. II૭૫II
ભાવાર્થ:
ગાથાના ઉત્તરાર્ધથી અર્થગ્રહણની વિધિનો પ્રારંભ કરે છે અને તે વિધિનો એક અંશ પ્રમાર્જના છે, તે ગાથાના ઉત્તરાર્ધમાં બતાવેલ છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે
—
જ્યાં અર્થનું વ્યાખ્યાન ગ્રહણ કરવાનું છે, તેને યોગ્ય ભૂમિની સાધુએ પ્રમાર્જના કરવી જોઈએ. અહીં પ્રશ્ન થાય કે, અર્થ ગ્રહણ કરવો છે તો અર્થને અનુકૂળ ઉચિત વિધિ હોવી જોઈએ, જ્યારે પ્રમાર્જના તો ચારિત્રાચારની ક્રિયા છે, તો તેને કેમ અહીં બતાવી
ગ્રંથકારશ્રી તેની સ્પષ્ટતા કરતાં કહે છે કે, ચારિત્રી એવા સાધુઓનો જ્ઞાનાચાર ચારિત્રાચારના અવિરોધથી જ કલ્યાણને કરનારો છે અને ચારિત્રાચારથી નિરપેક્ષ જો જ્ઞાન ભણવાની ક્રિયા કરે તો તે જ્ઞાનાચાર પણ સ્થૂલબુદ્ધિથી જ્ઞાનાચારરૂપ દેખાય છે, પણ વસ્તુતઃ તે જ્ઞાનાચાર નથી; કેમ કે ચારિત્રી જ્ઞાનાચારનું પાલન સંયમવૃદ્ધિ અર્થે કરે છે, તેથી જેમ જેમ તે અર્થ ગ્રહણ કરે છે, તેમ તેમ સંયમના કંડકમાં ઉપર ચડે છે. પરંતુ જે સાધુ વિવેકસંપન્ન નથી, તે સાધુ જ્ઞાન ભણવામાં અતિ પરિણામવાળા છે, જેથી જ્ઞાનને સમ્યક્ પરિણમન પમાડવાના અતિ આવશ્યક અંગ એવા ચારિત્રાચારના પાલનની ઉપેક્ષા કરીને જ્ઞાન ભણવા માટે યત્ન કરે તો તે જ્ઞાન ભણવાની ક્રિયા ચારિત્ર પ્રત્યેના અનાદરભાવથી સંવલિત હોવાને કારણે ચારિત્રની વૃદ્ધિનું તો કા૨ણ બનતી નથી, પરંતુ જો તે ચારિત્રી હોય તો પણ અધોકંડકમાં જવાનું કારણ બને છે; તેથી તે પરમાર્થથી જ્ઞાનાચાર નથી, પરંતુ તે અર્થગ્રહણની ક્રિયા અનાચારરૂપ છે. અને જે સાધુ જ્ઞાનાચારના આચારને સમ્યક્ પરિણમન પમાડવા માટે અત્યંત યતનાપૂર્વક અર્થગ્રહણ માટે બેસવાના સ્થાનની પ્રમાર્જના કરીને સંયમના પરિણામમાં દૃઢ અધ્યવસાયવાળા હોય છે, તેવા સાધુને જેમ જેમ અર્થ ગ્રહણ કરે છે તેમ તેમ અધિક અધિક સંવેગના પરિણામની વૃદ્ધિ થાય છે, તેથી તે જ્ઞાનાચારની પ્રવૃત્તિ કલ્યાણની પરંપરાનો હેતુ બને છે. એ પ્રકારનું તત્ત્વ પ્રથમ પ્રમાર્જના વિધિ બતાવી, તેનાથી ફલિત થાય છે. II૭૫
ગાથા:
Jain Education International
दोन निसिज्जाउ तओ कायव्वाओ गुरूण अक्खाणं । अकयसमोसरणस्स उ वक्खाणुचिय त्ति उस्सग्गो । । ७६ ।।
For Personal & Private Use Only
www.jainelibrary.org