________________
૪૦૭
ઉપસંપદા સામાચારી / ગાથા: ૭૪
૧૦ નંબર તે કાર્ય છે.
૯ નંબર કાર્યનું અંતિમ કારણ છે. જ્યારે નં. ૮ એ કાર્યથી નં. ૯ની અપેક્ષાએ દૂર છે, તેથી તેને અશુદ્ધ કહી શકાય. પરંતુ નં. ર થી ૭ની અપેક્ષાએ તે નજીકનું કારણ છે, તેથી અપેક્ષાએ શુદ્ધ પણ છે.
આ રીતે શુદ્ધાશુદ્ધ નૈગમનયની માન્યતા છે.
(૩) શુદ્ધ નૈગમનય :- શુદ્ધ નૈગમનય કાર્યના નજીકના અંતિમ કારણને કારણ તરીકે સ્વીકારે છે. સ્યાદ્વાદ અને નૈગમનયમાં તફાવત -
નિગમનય સ્યાદ્વાદની જેમ સામાન્ય અને વિશેષ ઉભયને સ્વીકારે છે અર્થાત્ માત્ર સામાન્યને કે માત્ર વિશેષને પૃથક સ્વીકારતો નથી. છતાં બંનેમાં તફાવત આ રીતે છે –
સ્યાદ્વાદ વસ્તુને સામાન્યવિશેષ ઉભયરૂપ સ્વીકારે છે, જ્યારે નૈગમન સામાન્ય કરતાં વિશેષને પ્રધાનરૂપે પૃથર્ સ્વીકારે છે. તેથી સામાન્યવિશેષરૂ૫ વસ્તુને સ્વીકારવા છતાં તે અનેકાંતવાદરૂપ નથી; પરંતુ એક નયવાદરૂપ છે.
હવે જે નય સામાન્ય અને વિશેષને એકાંતે પૃથગુ માને છે, તે તો મિથ્યા નૈગમનાય છે. આથી સામાન્ય અને વિશેષ બંનેને સ્વતંત્ર સ્વીકારનાર તૈયાયિક દર્શન નૈગમન પર હોવા છતાં એકાંતવાદી છે, માટે મિથ્યાવાદી છે.
સ્યાદ્વાદને માનનારા દ્વારા સ્વીકારાયેલ નૈગમન સામાન્યથી વિશેષને પૃથક સ્વીકારવા છતાં એકાંતે પૃથક સ્વીકારતો નથી, પણ પ્રાધાન્યથી પૃથક્ સ્વીકારે છે. તેથી અપ્રધાનરૂપે તો સામાન્ય અને વિશેષને અપૃથક પણ સ્વીકારે છે; અને તે નૈગમનયની દૃષ્ટિથી અહીં વિચારીએ તો, કોઈક સાધુ ગુરુની આજ્ઞા નહીં હોવા છતાં અપવાદથી શ્રુતની અવ્યવચ્છિત્તિ આદિના કારણે અન્ય ગુરુ પાસે ઉપસંપદા સ્વીકારે ત્યારે, શ્રુતની અવ્યવચ્છિત્તિ આદિ કાર્યને શ્રુતથી પૃથક સ્વીકાર્યા વગર તેઓ શ્રુત ભણવા ગયા છે તેવી વિવક્ષા કરીને કહી શકાય કે, જેમ પ્રથમ ભાંગો શુદ્ધ છે, તેમ શ્રુતની અવ્યવચ્છિત્તિનું કારણ હોવાથી પાછળના ત્રણ ભાંગા પણ શુદ્ધ છે. જ્યારે શ્રુતની અવ્યવચ્છિત્તિ આદિ કાર્યને શ્રુતથી પૃથક સ્વીકારીને તેને પ્રધાન કરીને વિચારીએ તો પહેલા ભાંગા કરતાં પાછળના ત્રણ ભાંગા વિશુદ્ધતર પણ છે. જેમ સામાન્ય કરતાં વિશેષને પૃથક સ્વીકારીને પ્રસ્થકની નજીકની અવસ્થામાં થતી ક્રિયાને જ્યારે “પ્રસ્થક બનાવું છું,' તેમ કહે છે, ત્યારે તે શુદ્ધ નૈગમનય છે; તે રીતે પ્રસ્તુતમાં શ્રુતની અવ્યવચ્છિત્તિરૂપ કાર્ય જેનાથી નજીકમાં થવાનું છે, એવા કાર્યને પ્રધાન કરીને કોઈ સાધુ ગુરુની અનિચ્છા છતાં ઉપસંપ સામાચારી સ્વીકારીને શ્રુત ભણીને જે શ્રુતની અવ્યવચ્છિત્તિરૂપ કાર્ય કરે છે, કે જેના કારણે પોતાને અને અનેક જીવોને સંવેગની વૃદ્ધિને કરે છે, તે સર્વને અન્ય શ્રુતઅભ્યાસથી પૃથક કરીને પ્રધાનરૂપે સ્વીકારનાર નૈગમન ને આશ્રયીને પ્રથમ ભાંગા કરતાં પાછળના ભાંગાઓ શુદ્ધતર છે; કેમ કે પ્રથમ ભાંગાને સેવનાર સાધુ જેવી નિર્જરા કરી શકે છે, તેના કરતાં શ્રુતની અવ્યવચ્છિત્તિ કરનાર સાધુ વિશેષ નિર્જરા પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org