SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ ભાંગામાં પરસ્પર નૈગમનયથી તારતમ્ય પણ છે. I[૭૪]] ટીકા ઃ વ્યારાનાયં તિ। તવા=તસ્યામવસ્થાયાં, વ્યારાનાતમ્ - બવ્યવચ્છિન્ત્યાવિò, પ્રાપ્ય વ=ત્રિત્ય હૈં, अनापृच्छा=गुरोरनालापः अनिष्टफला - कर्मबन्धलक्षणविपरीतफला न भवति । कारणाभावसहकृताया एव तस्यास्तथात्वादिति भावः । ટીકાર્યઃ ‘વ્યારાનાયં તિ’। એ ગાથાનું પ્રતિક છે. અને ત્યારે=તે અવસ્થામાં=ગુરુ જ્યારે ભણવા માટે અનુજ્ઞા ન આપે તે અપવાદને અનુકૂળ અવસ્થામાં, કારણ સમૂહને=અવ્યચ્છિતિ આદિ કારણસમૂહને, પ્રાપ્ય=આશ્રયીને, અનાપૃચ્છા ગુરુને ન પૂછવું, અનિષ્ટ ફળવાળી=કર્મબંધલક્ષણ વિપરીત ફ્ળવાળી, નથી થતી; કેમ કે કારણાભાવ સહકૃત એવી જતેનું=અનાપૃચ્છાનું, તથાત્વ છે=અનિષ્ટળપણું છે=કર્મબંધનું કારણપણું છે. એ પ્રમાણે ભાવ છે=તાત્પર્ય છે. * ‘ગર્વાચ્છન્ત્યાવિ’ અહીં ‘વિ’ શબ્દથી તથાપ્રકારની શાસનપ્રભાવનાનું ગ્રહણ કરવું. ભાવાર્થ: - ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૪ અવતરણિકામાં પૂર્વપક્ષીએ કહેલ કે પાછળના ત્રણ ભાંગામાં ગુરુઆજ્ઞાનો વિરહ હોવાથી ઉપસંપર્ સામાચારી ગ્રહણ કરે તો ઈષ્ટફળ પ્રાપ્ત થાય નહીં, તેથી અપવાદથી પણ તે ત્રણ ભાંગાઓ શુદ્ધ થઈ શકે નહીં. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, જ્યારે કોઈ વિશિષ્ટ શ્રુત વ્યવચ્છેદ થતું હોય અથવા તે શ્રુતનું કરાયેલું અધ્યયન શાસનપ્રભાવનાનું કારણ બનતું હોય, તેવા કોઈક કારણથી, અન્ય ગુરુ પાસે તે શ્રુતને ભણવા માટે અન્ય ગુરુની નિશ્રા લેવાની સ્વગુરુ અનુજ્ઞા ન આપતા હોય ત્યારે, જો શિષ્ય ગુરુને પૂછ્યા વિના પણ તે શ્રુત ભણવા માટે તે અન્ય ગુરુની નિશ્રા સ્વીકારે તો તેનાથી શિષ્યને કર્મબંધ પ્રાપ્ત થતો નથી; કેમ કે તે શ્રુતની પ્રાપ્તિથી જે વિશેષ બોધ થશે, તેનાથી પોતાને સંવેગની વૃદ્ધિ થશે, અને આ રીતે શ્રુતનું રક્ષણ થવાથી ભવિષ્યમાં પણ ઘણા જીવોને સંવેગની પ્રાપ્તિ તે શ્રુતના અધ્યયનથી થશે, અને એ રીતે તે સ્વ-પરના કલ્યાણનું કા૨ણ બનશે, માટે તે અવસ્થામાં ગુરુની આજ્ઞા કરતાં ભગવાનની આજ્ઞા જ બલવાન છે. સામાન્ય રીતે જો શિષ્યો ભગવાનના વચન પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ ન કરતા હોય તો ગીતાર્થ ગુરુ સારણા-વારણા દ્વારા ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. તે રીતે શ્રુતની અવ્યવચ્છિત્તિ માટે શ્રુતાભ્યાસ કરવો તે ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી યોગ્ય ગીતાર્થ ગુરુ યોગ્ય શિષ્યને ભણવાનો નિષેધ કરે નહીં. આમ છતાં સારા પણ ગુણવાન ગીતાર્થ ગુરુ વીતરાગ તો નથી જ, તેથી કોઈક નિમિત્તને પામીને પ્રમાદવશ થઈને ઉચિત પણ પ્રવૃત્તિ ક૨વામાં શિષ્ય સાથે સંમત થાય નહીં, તેવું પણ બની શકે છે. જેમ આર્યસુહસ્તિસૂરીશ્વરજી મહારાજ ઘણા જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy